ઘરના પ્રવેશ દ્વાર પર આજે જ લટકાવી દો આ એક વસ્તુ, માતા લક્ષ્મી કરશે હંમેશા ઘરમાં વાસ!

Main door of home, vastu tips : માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાય કરવા લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાયોગ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે.

Main door of home, vastu tips : માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાય કરવા લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાયોગ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
vastu shastra,Vastu Tips, Vastu Shastra, Vastu Tips For Money

વાસ્તુ ટીપ્સ, ફાઇલ તસવીર

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વારથી સૌથી વધારે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ઘરમાં વધારે સકારાત્મક ઉર્જા હોવાથી દરેક સભ્યોને જીવનમાં શુભ ફળ મળે છે. પ્રસિદ્ધિની સાથે સાથે સુખ-સમુદ્રિની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાય કરવા લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાયોગ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. પોઝિટિવ ઉર્જા વધી જાય છે. ઘરમાં ખુશીઓ છવાય જાય છે. ચાલો જાણીએ કે ઘરમાં મુખ્યદ્વાર સંબંધિત કયા ઉપાયો કરવા લાભકારી સિદ્ધ થાય છે.

Advertisment

પ્રવેશ દ્વારમાં હળદરની ગાંઠ બાંધો

હળદરની એક ગાંઠ લઈને પીળા રંગના કપડામાં બાંધી દો. આ સાથે જ ઘરમાં પ્રવેશ દ્વારમાં અંદરની તરફ લટકાવી દો. આવું કરવાથી સુખ સમૃદ્ધિ, ધન સંપદાની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.

પ્રવેશ દ્વારામાં હળદરના આ ઉપાયો કરવા પણ રહેશે શુભ

ઘરના પ્રવેશ દ્વાર પર સાથિયો બનાવો

ઘરના મુખ્ય દ્વારમાં હળથી ઓમ અને સ્વસ્તિક ચિન્હ બનાવી શકો છો. ત્યારબાદ ગંગાજળ છાંટી દો.આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે પૈદા થશે.

મુખ્ય દ્વારા હળદરના પાણીથી ધોવો

શાસ્ત્રો અનુસાર દરરોજ મુખ્ય દ્વારને જરૂર સાફ કરવાની સાથે પાણીથી ધોવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ સકારાત્મક ઉર્જા વધારે પ્રવેશ કરે છે. બસ પાણીમાં થોડી હળદર નાંખો. હળદરવાળી પાણીથી મુખ્ય દ્વાર ધોવો લાભકારી સિદ્ધ થશે.

Advertisment

હળદરથી રંગોલી બનાવો

ઘરના મુખ્ય દ્વારમાં સવારના સમયે દરરોજ રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. રંગોળી બનાવવા માટે તમે લોટમાં થોડી હળદર નાંખી શકો છો. હળદરથી નિયમિત રુપથી રંગોળી બનાવતા રહો.

મુખ્ય દ્વારમાં રાખો હળદરનો છોડ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારમાં હળદરનો છોડ રાખવો લાભકારી સાબિત થઇ શકે છે. આ સાથે જ કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂ થાય છે. આ સાથે જ ધન ધાન્યની ક્યારેય પણ કમી હોતી નથી. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ બનેલો રહે છે.

ગુજરાતી ન્યૂઝ astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ