વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

Vikram Samvat : આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હિન્દુ નવું વર્ષ 30 માર્ચ 2025 ના રોજ ઉજવવામાં આવશે

Vikram Samvat : આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હિન્દુ નવું વર્ષ 30 માર્ચ 2025 ના રોજ ઉજવવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vikram Samvat, hindu new year

હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે

Vikram Samvat : આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હિન્દુ નવું વર્ષ 30 માર્ચ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ચૈત્ર નવરાત્રી પણ આ દિવસથી શરૂ થાય છે.

Advertisment

હિન્દુ નવવર્ષને હિન્દુ નવ સંવત્સર અથવા નયા સંવત તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ નવું વર્ષ શા માટે ઉજવવામાં આવે છે અને ક્યારે શરૂ થયું? જો નહીં, તો ચાલો આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

વિક્રમ સંવત શું છે?

હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવતના આધારે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. આ યુગ અંગ્રેજી કેલેન્ડર કરતા 57 વર્ષ આગળ ચાલે છે. તેને ગણિતિય દ્રષ્ટિએ સૌથી સચોટ કાલ ગણના માનવામાં આવે છે અને જ્યોતિષીઓ પણ તેને માને છે. આ સંવતમાં કુલ 354 દિવસ હોય છે અને દર ત્રણ વર્ષે વધારાનો મહિનો (અધિક મહિનો) ઉમેરવામાં આવે છે, જેથી સમયનું સંતુલન જળવાઈ રહે. તેને ભારતના અલગ અલગ રાજ્યોમાં ગુડી પડવા, ઉગાદી જેવા નામથી ઓળખવામાં આવે છે.

હિન્દુઓ માટે હિન્દુ નવું વર્ષ કેમ મહત્વનું છે?

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન બ્રહ્માએ ચૈત્ર સુદ એકમના દિવસે સૃષ્ટિની રચના કરી હતી. આ જ કારણ છે કે આ દિવસને નવ સંવત્સર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે, જેમાં દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. સાથે જ આ મહિનામાં રામ નવમી પણ આવે છે, જેને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો - ચૈત્ર નવરાત્રી ક્યારથી શરુ થઇ રહી છે, જાણો તારીખ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રીથી હિંદુ નવવર્ષની શરૂઆત કેમ થાય છે?

હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનામાં શુક્લ પ્રતિપદાથી નવા વર્ષની શરૂઆત થાય છે. આની પાછળ એક ખાસ કારણ છે. ચૈત્ર માસ ફાગણ પૂર્ણિમા પછી શરૂ થાય છે પરંતુ તે સમયે કૃષ્ણ પક્ષ ચાલુ રહે છે. સનાતન પરંપરા હંમેશા અંધકારથી પ્રકાશ તરફ જવામાં માને છે. તેથી જ્યારે ચૈત્ર શુક્લ પક્ષની શરૂઆત થાય છે ત્યારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

હિન્દુ નવા વર્ષ વિશે રસપ્રદ તથ્યો

  • ચૈત્ર મહિનો એ હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો છે અને તેની શરૂઆત હોળી પછી થાય છે. હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના સુદથી થાય છે. આ મહિનામાં નવરાત્રી શરૂ થાય છે અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
  • હિન્દુ નવા વર્ષથી નવા સંવત્સરની શરૂઆતનું થાય છે. બધા ચારેય યુગોમાં સૌથી પહેલા સતયુગની શરૂઆત પણ ચૈત્ર શુક્લ પ્રતિપદા સાથે થઇ હતી. તે સૃષ્ટિના કાલચક્રનો પ્રથમ દિવસ માનવામાં આવે છે.
  • આ દિવસે ભગવાન શ્રી રામે વાનરરાજ બાલીનો વધ કર્યો હતો અને ત્યાંની પ્રજાને તેના અત્યાચારથી મુક્ત કરાવ્યા હતા. જેની ખુશીમાં લોકોએ પોતપોતાના ઘરો પર ધ્વજ ફરકાવ્યા હતા.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર navratri ધર્મ ભક્તિ