Wall Clock Vastu Tips : ઘરની આ દિશામાં ભૂલથી પણ ના લગાવો ઘડિયાળ, થશે આવા ગેરફાયદા

Wall Clock Vastu Tips for Home : વાસ્તુશાસ્ત્રમાં દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આવો જાણીએ ઘરની કઈ દિશામાં ઘડિયાળ મુકવી જોઈએ અને કઈ દિશામાં નહીં, તેના ફાયદા અને ગેરફાયદા શું છે

Wall Clock Vastu Tips for Home : વાસ્તુશાસ્ત્રમાં દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આવો જાણીએ ઘરની કઈ દિશામાં ઘડિયાળ મુકવી જોઈએ અને કઈ દિશામાં નહીં, તેના ફાયદા અને ગેરફાયદા શું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Wall Clock Vastu Tips for Home Placement, Wall Clock Vastu Tips

Wall Clock Vastu Tips for Home Placement: વાસ્તુશાસ્ત્રમાં દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે (ફ્રીપિક)

Wall Clock Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરની કઈ દિશામાં શું રાખવું જોઈએ અને શું નહીં તેની માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કઈ દિશામાં શું રાખવું શુભ છે અને શું અશુભ હોય છે. આવો જાણીએ ઘરની કઈ દિશામાં ઘડિયાળ મુકવી જોઈએ અને કઈ દિશામાં નહીં, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

Advertisment

ઘરમાં ક્યારેય તૂટેલી કે બંધ ઘડિયાળ ન રાખવી

તૂટેલી અને બંધ ઘડિયાળ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં બંધ અને તૂટેલી ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા નથી આવતી અને નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.

ઘડિયાળને ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ

વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઈએ. આ તમારી પ્રગતિમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આ સિવાય ઘરની પશ્ચિમ દિશામાં પણ ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઈએ.

આ પણ વાંચો - ધનતેરસ પર ગાડી ખરીદવાના શુભ મુહૂર્ત જાણો, ખોટા મુહૂર્તમાં ના કરો ખરીદી

Advertisment

ઘડિયાળને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ન લગાવવી જોઈએ

ઘરના મુખ્ય દ્વાર પર ઘડિયાળ લગાવવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ તમારા ઘરમાં તણાવ પેદા કરી શકે છે. નકારાત્મક ઉર્જા ઘર પર હાવી થઈ શકે છે અને તેની અસર તમારા જીવન પર પણ પડી શકે છે. આ કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.

ઘડિયાળને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવી જોઈએ

ઘડિયાળ હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધે છે. જ્યારે ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાથી પ્રગતિની નવી તકો મળવાની માન્યતા છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ