ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આમ આદમી પાર્ટી OTP થકી ચૂંટણી જીતશે? અરવિંદ કેજરીવાલે જણાવ્યો પ્લાન

Gujarat assembly election OTP aam aadmi party: આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી OTP પર લડશે. O નો અર્થ ઓબીસી, જે અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. T નો મતલબ ટ્રાઈબલ સાથે છે. જે અમને મોટી સંખ્યામાં સમર્થન કરી રહ્યા છે. P નો મતલબ પાટીદાર સાથે છે. જે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે.

Gujarat assembly election OTP aam aadmi party: આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી OTP પર લડશે. O નો અર્થ ઓબીસી, જે અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. T નો મતલબ ટ્રાઈબલ સાથે છે. જે અમને મોટી સંખ્યામાં સમર્થન કરી રહ્યા છે. P નો મતલબ પાટીદાર સાથે છે. જે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - આપ ટ્વિટર વીડિયો ગ્રેબ)

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે પરિણામો પણ જાહેર થશે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધારે સક્રિય બની ગઈ છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ઓટીપી થકી ગુજરાતની ચૂંટણી જીતશે. તેમણે કહ્યું હતું કે, એક વ્યક્તિએ આ મેસેજ મોકલ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે ઓટીપી ઉપર ચૂંટણી લડી રહ્યા છો. કેજરીવાલે ઓટીપીનો મતલબ પણ જણાવ્યો હતો. તેમણે સમાચાર ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે O નો અર્થ ઓબીસી, જે અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. T નો મતલબ ટ્રાઈબલ સાથે છે. જે અમને મોટી સંખ્યામાં સમર્થન કરી રહ્યા છે. P નો મતલબ પાટીદાર સાથે છે. જે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે.

Advertisment

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, ભાજપે છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં કોઈ કામ કર્યું નથી. પીએમ મોદી પણ ટૂંક સમયમાં વાસ્તવિક શાળામાં બેસશે. ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટી રહ્યો છે અને AAPનો વોટ શેર વધી રહ્યો છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી પાસેથી આશા છે. ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. ભાજપના લોકો રાવણ અને કંસ કરતા પણ વધુ અત્યાચારી છે.

તેમના પર લાગેલા આરોપો અંગે કેજરીવાલે કહ્યું, “ભાજપની આકર્ષક વાતો સામે આવે છે. મોરબીમાંથી ધ્યાન હટાવવા માટે સુકેશ ચંદ્રશેખરનો કેસ લાવવામાં આવ્યો હતો. ધ્યાન હટાવવાનું ષડયંત્ર છે. મોરબીની ઘટનાના બીજા જ દિવસે ચંદ્રશેખરની વાર્તા સામે આવે છે. ઓરેવા કંપનીના માલિક સામે આજદિન સુધી કેસ કેમ નોંધાયો નથી?

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સિસોદિયા સામે કોઈ કેસ નથી. પરંતુ ભાજપે તેમની સામે 800થી વધુ અધિકારીઓને ઊભા રાખ્યા છે. સત્યેન્દ્ર જૈન પર શું આરોપ છે? ભાજપના લોકો કંસ અને રાવણ કરતા પણ વધુ અત્યાચારી છે.

Advertisment

બીજી તરફ, AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી કંટાળી ગયા છે અને અહીં પેપર લીક થાય છે, જે યુવાનોનું ભવિષ્ય બગાડે છે. તેમણે કહ્યું કે અમે મોદીજીને અપીલ કરીએ છીએ કે ગુજરાતમાં સરકાર બનાવવામાં અમારી મદદ કરો, અમે તમારું સન્માન બચાવીશું અને વચન આપીશું કે કોઈ પેપર લીક નહીં થાય. તેમણે કહ્યું કે જો પેપર લીક થશે તો આવું કરનાર વ્યક્તિને બીજા દિવસનો સૂરજ દેખાશે નહીં અને તે જેલમાં જશે.

ચૂંટણી 2022 અરવિંદ કેજરીવાલ ગુજરાત આપ gujarat election 2022