રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: વસુંધરા રાજે અચાનક ‘જૂના હરીફ’ ઘરે કેમ પહોંચી ગયા? બંને વચ્ચે 40 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 (Raje Rajasthan Assembly Elections 2023 ભાજપ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) વચ્ચે કંઇક ગાંઠ પડી હોય એવું લાગે છે. રાજસ્થાનમાં રાજકીય સમીકરણ બદલાતા હોવાનો સળવળાટ છે. વસુંધરા રાજે અને એક સમયના હરીફ દિગ્ગજ નેતા ગુલાબ ચંદ કટારિયા વચ્ચેની બેઠક ઘણી ચર્ચાસ્પદ છે.

Written by Haresh Suthar
Updated : October 16, 2023 18:57 IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: વસુંધરા રાજે અચાનક ‘જૂના હરીફ’ ઘરે કેમ પહોંચી ગયા? બંને વચ્ચે 40 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી.
રાજસ્થાન ચૂંટણી 2023: વસુંધરા રાજે રાજસ્થાનના સીએમ રહી ચૂક્યા છે. તે ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક છે (ટ્વિટર/વસુંધરા બીજેપી)

Vasundhra Raje: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં રાજસ્થાનમાં રાજકીય તાપમાન વધુ વધી ગયું છે. મરુધરામાં ચૂંટણી પહેલા રોજ નવા સમીકરણ જોવા મળી રહ્યા છે. રવિવારે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અચાનક તેમના પૂર્વ હરીફ અને આસામના વર્તમાન ગવર્નર ગુલાબચંદ કટારિયાના ઉદયપુરના ઘરે પહોંચી ગયા હતા. બંનેની આ મુલાકાત બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા ગુલાબચંદ કટારિયા અને વસુંધરા રાજે વચ્ચે લગભગ 40 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ પછી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ત્રિપુરા સુંદરી જવા રવાના થયા. આ બેઠકમાં બંને વચ્ચે શું ચર્ચા થઈ તે અંગે કોઈને જાણ નથી. વસુંધરા રાજેની ઉદયપુર મુલાકાત વિશે કોઈને અગાઉથી કોઈ જાણકારી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની મુલાકાત પહેલાથી જ ગુપ્ત હતી.

આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ તેમની અને વસુંધરા રાજે વચ્ચેની મુલાકાતની પુષ્ટિ કરી છે. વસુંધરા રાજેને મળવા અંગે તેમણે કહ્યું કે બંને એક જ પરિવારના છે અને એકબીજાને મળતા રહે છે. ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે, આજકાલ હું રાજકારણની ચર્ચા નથી કરતો કારણ કે મેં મારી લાઇન બદલી છે.

રાજસ્થાનના રાજકારણમાં થશે વળાંક!

જો કે બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતે રાજકીય ચર્ચાઓ વધુ વધારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુલાબચંદ કટારિયા અને વસુંધરા રાજે બંને ભાજપના ટોચના નેતૃત્વથી નારાજ છે. રાજસ્થાનમાં ભાજપ દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોમાં વસુંધરા રાજે અને તેમના સમર્થક નેતાઓને જે રીતે સાઈડલાઈન કરવામાં આવ્યા છે તે જોતા લાગે છે કે મેવાડનું રાજકારણ નવો વળાંક લેશે.

શું વસુંધરા સમર્થકો અપક્ષ તરીકે ચૂંટણી લડશે?

રાજસ્થાનમાં ભાજપે હજુ પણ વસુંધરા અને તેમના સમર્થકોને હાંસિયામાં ધકેલી દીધા છે. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વસુંધરાના ઘણા સમર્થકો અપક્ષ તરીકે ચૂંટણી લડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિતા સિંહ ગુર્જર તે નેતાઓમાંથી એક છે. મીડિયા સાથે વાત કરતા તેણીએ કહ્યું કે, “મેં મારું આખું જીવન આ પાર્ટીને આપી દીધું છે. મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મારા લોકો ઇચ્છે છે કે હું ચૂંટણી લડું અને હું લડીશ. આ પાર્ટીએ મને ટિકિટ ન આપીને મારાથી દૂરી બનાવી લીધી છે. “

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ