/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-9-1.jpg)
રામાયણ સિરિલયમાં રામના પાત્રમાં અરુણ ગોવિલ અને આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસ
Arun Govil calls Adipurush 'Hollywood ki cartoon film' : આદિપુરુષ ફિલ્મના ડાયલોગ અને ડાયરેક્શનને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે 'રામાયણ' સિરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવીને દુનિયાભરમાં લોકપ્રિય થનાર દિગ્ગજ અભિનેતા અરુણ ગોવિલે એ ફિલ્મને લઇને નારાજગી વ્યક્ત કરવાની સાથે સાથે મોટું નિવેદન આપ્યું છે. અરુણ ગોવિલે એક નવા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "પ્રેક્ષકોએ તેમનો ચુકાદો સંભળાવી દીધો છે". તેમણે ઉમેર્યું કે, સોશિયલ મીડિયા પર ફિલ્મની જે ક્લિપ્સ જોઈ છે તેનાથી તેઓ પરેશાન હતા.
અભિનેતાએ સ્પષ્ટતા કરી કે તેમણે હજી સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ કહ્યું કે રામાયણના સંદર્ભમાં આધુનિકતા અને પૌરાણિક કથાઓની ચર્ચા કરવી યોગ્ય નથી. તેમણે પાત્રોને સચોટ રીતે રજૂ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને એબીપી સાથેના એક ઇન્ટરવ્યૂહમાં તેમણે કહ્યું કે, 'રામાયણ'ને 'હોલીવુડ કી કાર્ટૂન ફિલ્મ'માં ફેરવવા માટે' તો આવુ બધુ નથી કર્યુંને' .
ગોવિલેએ જણાવ્યુ કે, ફિલ્મનું ફર્સ્ટ ટીઝર રિલિઝ થયા બાદ તેમણે આદિપુરુષના નિર્માતાઓ સાથે ચર્ચા કરી હતી, જે દરમિયાન તેમણે તેમના મંતવ્યો અને માહિતી શેર કરી હતી. દિગ્ગજ અભિનેતાએ કહ્યુ કે, તેમને આદિપુરુષ ફિલ્મમાં વપરાયેલી ભાષા ગમી નથી. તે સંયમી ભાષાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને રામાયણના સંદર્ભમાં બોલચાલની ભાષાનો ઉપયોગ કરવાને યોગ્ય માનતા કરતા નથી.
ફિલ્મમાં રાવણના પાત્ર વિશે વાત કરતા અરુણ ગોવિલે કહે છે કે, “આટલા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ તેવું નિરૂપણ કરવામાં શું ખોટું હતું? વિષય વસ્તુ બદલવાની શું જરૂર હતી? કદાચ ટીમને ભગવાન રામ અને સીતામાં યોગ્ય વિશ્વાસ નથી અને તેથી જ તેઓએ આ ફેરફારો કર્યા છે. આજતક સાથેની તાજેતરની મુલાકાતમાં, આદિપુરુષના સહ-લેખક મનોજ મુન્તાશીરે દાવો કર્યો હતો કે આ ફિલ્મ રામાયણનું રૂપાંતરણ નથી , પરંતુ તે માત્ર તેનાથી પ્રેરિત છે.
આ પણ વાંચોઃ રામાનંદ સાગરને કેવી સ્થિતિમાં આવ્યો હતો રામાયણ બનાવવાનો આઇડિયા - વાંચો રોચક કહાની
ટેલિવિઝન અને ફિલ્મમાં રામાયણની કહાણીના વિવિધ ફિલ્માંકનોમાં દૂરદર્શન પર પ્રસારિત રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલ જ લોકપ્રિય થઇ છે. રામાનંદના પુત્ર પ્રેમ સાગરે પણ આદિપુરુષ વિશે નારાજગી વ્યક્ત કરી છે. હિન્દુસ્તાન લાઈવને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “ઓમ રાઉતે માર્વેલ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. રામાયણ બનાવતી વખતે પપ્પાજી (રામાનંદ સાગર)એ થોડી રચનાત્મક સ્વતંત્રતાઓ લીધી હતી પરંતુ તેઓ ભગવાન રામને સમજી ગયા હતા. તેણે વિવિધ શાસ્ત્રો વાંચ્યા અને પછી થોડા ફેરફારો કર્યા પરંતુ ક્યારેય તથ્યો સાથે છેડછાડ કરી ન હતી. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, આદિપુરુષને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી હોવા છતાં, તેને સંવાદો અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લઇને ગંભીર ટીકા અને આલોચનાનો સામનો કરવો પડ્યો છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us