Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ સાથે લગ્ન કરશે, વેડિંગ લોકેશન વિશે કર્યો ખુલાસો

Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના લગ્નને લઈને ચાહકોને લાગી રહ્યું છે કે તેમના એક મોટા ડેસ્ટિનેશન વેડિંગ હશે, પરંતુ તેઓ લગ્ન માટે કોઈ મોટી જગ્યાએ જઈ રહ્યા નથી.

Aditi Rao Hydari : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના લગ્નને લઈને ચાહકોને લાગી રહ્યું છે કે તેમના એક મોટા ડેસ્ટિનેશન વેડિંગ હશે, પરંતુ તેઓ લગ્ન માટે કોઈ મોટી જગ્યાએ જઈ રહ્યા નથી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Aditi Rao Hydari Siddharth

અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થ સાથે લગ્ન કરશે, વેડિંગ લોકેશન વિશે કર્યો ખુલાસો

Aditi Rao Hydari : બોલિવૂડની જાણીતી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) એ ઘણા સમયથી સિદ્ધાર્થ (Siddharth) સાથે ડેટિંગ કર્યા કપલે માર્ચ મહિનામાં પ્રાઇવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી હતી. આ કપલ બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક ગણવામાં આવે છે. સગાઈના ન્યુઝ બાદ હવે ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisment

અદિતિ રાવ હૈદરી લગ્ન (Aditi Rao Hydari Wedding)

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના લગ્નને લઈને ચાહકોને લાગી રહ્યું છે કે તેમના એક મોટા ડેસ્ટિનેશન વેડિંગ હશે, પરંતુ તેઓ લગ્ન માટે કોઈ મોટી જગ્યાએ જઈ રહ્યા નથી. અભિનેત્રીએ એક વાતચીતમાં ખુલાસો કર્યો કે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. જો કે તેઓએ લગ્નની તારીખ જાહેર કરી ન હતી, પરંતુ તેઓએ તેમના યુનિક લગ્ન સ્થળ વિશે કેટલીક વિગતો આપી હતી.

આ પણ વાંચો: Rajkumar Rao : રાજકુમાર રાવ બર્થ ડે । અભિનય દ્વારા લોકોના દિલમાં બનાવી જગ્યા, એક્ટરની ટોપ 5 હિટ અને ફ્લોપ ફિલ્મ લિસ્ટ

અદિતિ રાવ હૈદરી લગ્ન સ્થળ (Aditi Rao Hydari Wedding Venue)

અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેના અને સિદ્ધાર્થના લગ્ન 400 વર્ષ જૂના મંદિરમાં થશે. તેણે કહ્યું, 'લગ્ન વાનપાર્ટીના 400 વર્ષ જૂના મંદિરની આસપાસ થશે, જે મારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.' અદિતિ અને સિદ્ધાર્થ 2021ની તેલુગુ ફિલ્મ મહા સમુદ્રમના સેટ પર મળ્યા હતા.

Advertisment

અદિતિ રાવ હૈદરી લગ્ન પ્રસ્તાવ (Aditi Rao Hydari Marriage Proposal)

આ દરમિયાન અદિતિએ સિદ્ધાર્થના લગ્નના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું, 'હું મારી દાદીની સૌથી નજીક હતી, જેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેણે હૈદરાબાદમાં શાળા શરૂ કરી હતી. એક દિવસ સિદ્ધાર્થે મને પૂછ્યું કે શું તે શાળા જોઈ શકે છે. કારણ કે તે સારી રીતે જાણતો હતો કે હું તેની કેટલી નજીક છું.

આ પણ વાંચો: જાવેદ અખ્તરે આલિયા ભટ્ટના કર્યા વખાણ, એક્ટરે પેઢીની ‘શ્રેષ્ઠ અભિનેતા’ ગણાવી

તે માર્ચમાં શાળા જોવા આવ્યો હતો. તેણે અદિતિને તેના હૃદયની નજીકની એક ખાસ જગ્યા બતાવવા કહ્યું, નર્સરી વિભાગની ઉપર એક માળ હતો. તેણે યાદ કર્યું, 'તે ઘૂંટણિયે પડી ગયો અને મેં તેને પૂછ્યું, હવે તમે શું ગુમાવ્યું? કોના શૂઝ ઢીલા છે? તે કહેતો રહ્યો, અદું, મારી વાત સાંભળ. આ પછી તેણે પ્રપોઝ કર્યું હતું. અદિતિએ કહ્યું, 'તેણે કહ્યું કે તે મને બાળપણની મારી પ્રિય જગ્યાએ લઈ જવા માંગે છે, જ્યાં મને મારી દાદીના આશીર્વાદ છે.'

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ