રણબીર કપૂર રામ અને આલિયા બનશે સીતા, રાવણના પાત્રમાં આ સાઉથ સુપરસ્ટાર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Alia Ranbir Ramayana: દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'રામાયણ'પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેમાં રણબીર-આલિયાની એન્ટ્રી થઇ ગઇ છે અને તેના પાત્ર માટે ટેસ્ટ ચાલી રહ્યો છે.

Alia Ranbir Ramayana: દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'રામાયણ'પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેમાં રણબીર-આલિયાની એન્ટ્રી થઇ ગઇ છે અને તેના પાત્ર માટે ટેસ્ટ ચાલી રહ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
alia bhatt ranbir kapoor

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફાઇલ તસવીર

દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'રામાયણ'પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેને લઇને પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતુ કે, ફિલ્મ રામાયણમાં સાઉથની સુપરસ્ટાર સાઇ પલ્લવી અને રણબીર કપૂર જોવા મળશે, પરંતુ હવે નવી કાસ્ટનું નામ સાંભળીને તમે બધા દંગ રહી જશો. પિંકવિલાના અહેવાલ અનુસાર, નિતેશ કુમારની ફિલ્મ 'રામાયણ'માં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં અને રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળી શકે છે.

Advertisment

પ્રાપ્ત વિગત અનુસાર, નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં માતા સીતાના રોલ માટે આલિયા ભટ્ટની એન્ટ્રી થઇ ગઇ છે. નિતેશ તિવારી ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે અને દિવાળી પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી શકે છે.

ફિલ્મમાં રાવણના પાત્રને લઇને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને KGFના એક્ટર યશ રાવણનું પાત્ર ભજવી શકે છે. એટલું જ નહીં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લૂક ટેસ્ટ પણ ચાલી રહ્યો છે. આ રીતે બોલિવુડ રામાયણ પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. ત્યારે હાલ 'રામાયણ' પર આધારિત આદિપુરૂષ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં રામના અવતારમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને માતા સીતાના પાત્રમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી ક્રિતિ સેનન જોવા મળશે.

આ પણ વાંચો: આદિપુરુષ : ક્રિતિ સેનન અને ડિરેક્ટર ઓમ રાઉતની હરકતથી તિરૂપતિ બાલાજી મંદિરના પુજારી ભડક્યા, કહ્યુ- ‘હોટલમાં જતા રહો’

Advertisment

પિંક વિલાના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રામાયણના મેકર્સ રાવણના રોલ માટે છેલ્લા આઠ મહિનાથી KGF સ્ટાર યશ સાથે વાતચીત કરી રહ્યા છે. ઘણી હા-ના પછી હવે વાતચીત સાચી દિશામાં છે. યશ પણ હવે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, તેણે હજુ સુધી હા નથી કહી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક મધુ મન્ટેનાને પૂરી આશા છે કે યશ રાવણના રોલ માટે સહમત થઇ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મામલો કેટલાક નાના મુદ્દાઓ પર અટવાયેલો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ