/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/anushka-sharma-virat-kohli-baby.jpg)
અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલીનો દીકરો અકાય આ કારણથી લંડનમાં જ પેદા થયો
Anushka Sharma Virat Kohli : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં તેમના બીજા બાળકને લઇને ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. વિરુષ્કાના બીજા બાળકનો જન્મ 15 ફેબ્રઆરી 2024ના રોજ લંડનમાં થયો છે. વામિકાના નાના ભાઇનું નામ અયાન રખાયું છે. ત્યારે વિરાટ અનુષ્કાએ પુત્રના જન્મ માટે લંડન જ કેમ પસંદ કર્યું તેવા પ્રશ્ન લોકોના મનમાં ઉઠતા હશે. તો ચલો જાણીએ કારણ.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ પછી 11 જાન્યુઆરીમાં અનુષ્કા શર્માએ પુત્રી વામિકાને જન્મ આપ્યો. વામિકાનો જન્મ મુંબઇમાં થયો હતો.
મીડિયા અહેવાલમાં એવો દાવો કરાયો છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બીજા બેબીને લઇને વધુ પ્રાઇવસી ઇચ્છતા હતા. જેને પગલે તેમણે મુંબઇથી દૂર લંડન પસંદ કર્યું હતું.
આ સાથે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિરાટ અને અનુષ્કા શર્મા પોતાના બંને બાળકોના ભવિષ્ય વિશે વિચારીને ભારત છોડીને લંડન શિફ્ટ થઇ શકે છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અનુષ્કા શર્મા ઇચ્છે છે કે તેના બંને બાળકો લંડનમાં રહે. મહત્વનું છે કે અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલા ઝોહેબ યુસુફના પ્રેમમાં હતી. બંનેની મુલાકાત બેંગ્લોરમાં એક ફેશન શો દરમિયાન થઇ હતી. આ પછી બંને સાથે મુંબઇ આવ્યા.
કહેવાય છે કે, ઝોહેબ યુસુફ અનુષ્કા શર્માને મુંબઇ લાવ્યો હતો. બંને મુંબઇ આવીને પોતાનું કરિયર બનાવવા માંગતા હતા. બંનેએ ઘણી ફિલ્મો માટે ઓડિશન પણ આપ્યા હતા. તેથી અનુષ્કા શર્માને ફિલ્મો ઓફર થવા લાગી હતી, પરંતુ તેના બોયફ્રેન્ડ ઝોહેબને ક્યાંય કામ મળતું નહોતું.
ધીમે-ધીમે અનુષ્કા શર્મા ફિલ્મો ઓફર થતા તેના બોયફ્રેન્ડ સાથે ખરાબ વર્તન કરવા લાગી હતી અને તેણે ઝોહેબ સાથે બ્રેક અપ કરી લીધું હતુ. આ પછી અનુષ્કા શર્માનું નામ રણવીર સિંહ, શાહિદ કપૂર અને રણબીર કપૂર સહિત ઘણા એક્ટર્સ સાથે જોડાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us