ક્યોંકી સાસ ભી.. ફેમ અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના વૃંદાવનના મંદિરમાં લગ્ન કર્યા, 23 વર્ષથી સાથે રહેતા હતા

Ashlesha and Sandeep married in Vrindavan : ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિરિયલના કલાકાર અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના 23 વર્ષ સુધી રિલેશનશીપમાં સાથે રહ્યા બાદ વૃંદાવનના કૃષ્ણ મંદિર લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્ન ફોટા વાયરલ થાય છે.

Written by Ajay Saroya
November 24, 2025 12:23 IST
ક્યોંકી સાસ ભી.. ફેમ અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના વૃંદાવનના મંદિરમાં લગ્ન કર્યા, 23 વર્ષથી સાથે રહેતા હતા
Ashlesha and Sandeep Marriage : અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના એ 23 વર્ષ સાથે રહ્યા બાદ વૃંદાવનમાં લગ્ન કર્યા છે. (Photo : @baswanasandeep)

Sandeep Baswana & Ashlesha Sawant tie the knot : અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના નાના પડદા પરના બેસ્ટ કપલ પૈકીના એક છે. બંનેની જોડી લોકોને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે બંનેએ પોતાના લગ્નની તસવીરો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હકીકતમાં, આ દંપતીએ 23 વર્ષ સાથે રહ્યા પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને 16 નવેમ્બરના રોજ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં એક ખાસ રીતે લગ્ન કર્યા હતા, જેમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો હાજર રહ્યા હતા.

લગ્ન બાદ આ દંપતીએ એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો અને જણાવ્યું હતું કે શા માટે તેમણે આટલા વર્ષો પછી લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ માટે વૃંદાવનનું મંદિર કેમ પસંદ કર્યું. ચાલો જાણીએ આ દંપતીએ આ વિશે શું કહ્યું.

લગ્ન માટે વૃંદાવનનું મંદિર શા માટે પસંદ કર્યું?

એક ઇન્ટરવ્યૂહમાં સંદીપે બસવાના જણાવ્યું હતું કે, “અશ્લેષા અને હું એપ્રિલમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ત્યાંના રાધા કૃષ્ણ મંદિરો સાથે ઊંડો સંબંધ અનુભવ્યો હતો. તે યાત્રાએ અમને ૨૩ વર્ષ પછી લગ્ન કરવાની પ્રેરણા આપી. અમારા માતાપિતા સૌથી ખુશ છે, તેઓ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા છે. અમે તેને સાદગથી કરવા માંગતા હતા અને લગ્ન કરવા માટે ભગવાન કૃષ્ણના મંદિરથી વધુ સારું શું હોઈ શકે.”

અશ્લેશા એ કહી આ વાત

તો અશ્લેષાએ કહ્યું, “મને ખૂબ જ ખુશી છે કે આખરે મેં મારા પ્રેમ સાથે લગ્ન કર્યા છે. તેના માટે વૃંદાવન યોગ્ય જગ્યા હતી, અમે ત્યાં એક ઊંડો સંબંધ અનુભવ્યો. તે એક કુદરતી, અચાનક નિર્ણય હતો અને અમે તેને ફક્ત અમારા પરિવારો સુધી રાખવાનું નક્કી કર્યું. ”

તમે 23 વર્ષ પછી લગ્ન કેમ કર્યા?

સંદીપ અને અશ્લેશાને પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓએ 23 વર્ષ પછી લગ્ન કેમ કર્યા. આના જવાબમાં સંદીપે મજાકમાં કહ્યું હતું કે, ‘આટલા વર્ષો સુધી સાથે હોવા છતાં અમે લગ્ન કેમ નથી કરી રહ્યા એ સવાલનો જવાબ આપીને અમે થાકી ગયા હતા. મારા મનમાં, અશ્લેશા અને હું હંમેશાં પરિણીત હતા. ”

લગ્ન કરવા જેવું લાગે છે તે વિશે વાત કરતા, તેણે કહ્યું: “મને કોઈ અલગ લાગતું નથી. તે કંઈક એવું હતું જે અમે કોઈ દિવસ કરવા જઇ રહ્યા હતા અને આખરે તે થયું. અમે ખુશ છીએ, પ્રેમ અને આશીર્વાદથી અભિભૂત છીએ. અમે પોતાની જાતને ધન્ય અનુભવીએ છીએ, કારણ કે અમને અમારા મિત્રો અને શુભેચ્છકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ”

આ શો માં થઇ પ્રથમ મુલાકાત

તમને જણાવી દઈએ કે અશ્લેષા સાવંત અને સંદીપ બસવાનાની પહેલી મુલાકાત વર્ષ 2002માં ટીવી શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના સેટ પર થઈ હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

લગ્ન બાદ રવિવારે બંનેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી. લગ્ન ફોટા શેર કરતા તેમણે લખ્યું, “અને બસ આ રીતે, શ્રી અને શ્રીમતી તરીકે અમે એક નવા અધ્યાયમાં પગ મૂક્યો. પરંપરાએ આપણા હૃદયમાં સ્થાન બનાવ્યું છે. અમે બધા આશીર્વાદ માટે કૃતજ્ઞતાથી ભરેલા છીએ. ગુલાબી રંગના વસ્ત્રમાં બંને ખૂબ જ સુંદર દેખાય છે. ”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ