ભૂલ ભુલૈયા 3 એક્ટર કાર્તિક આર્યન શાહરૂખ ખાનની એક ઝલક જોવા ભીડમાં મન્નતની બહાર ઉભો રહેતો, ‘હું ભાગ્યશાળી..’

કાર્તિક આર્યનએ નમ્ર હોવા માટે જાણીતો છે, ઘણીવાર ચાહકો સાથે રહે છે. હેન્ડશેક અને ફોટોગ્રાફ્સ માટે ચાહકોની વિનંતીઓ સરળતાથી પૂરી કરતા તેના વીડિયો વારંવાર ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.

Written by shivani chauhan
October 25, 2024 10:10 IST
ભૂલ ભુલૈયા 3 એક્ટર કાર્તિક આર્યન શાહરૂખ ખાનની એક ઝલક જોવા ભીડમાં મન્નતની બહાર ઉભો રહેતો, ‘હું ભાગ્યશાળી..’
ભૂલ ભુલૈયા 3 એક્ટર કાર્તિક આર્યન શાહરૂખ ખાનની એક ઝલક જોવા ભીડમાં મન્નતની બહાર ઉભો રહેતો, 'હું ભાગ્યશાળી..'

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Karthik Aaryan) તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 થોડા દિવસમાં રિલીઝ થવા જઈ રહી છે. એક્ટરએ તાજેતરમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ખૂબ મોટા પ્રશંસક હોવા વિશે વાત કરી હતી. અભિનેતાએ યાદ કર્યું કે સ્ટાર બનતા પહેલા તેણે મુંબઈના બેન્ડસ્ટેન્ડની મુલાકાત લીધી હતી અને શાહરૂખના નિવાસસ્થાન મન્નતની બહાર સુપરસ્ટારની એક ઝલક મેળવવાની આશામાં વિશાળ ભીડ સાથે રાહ જોવા વિશે વાત કરી હતી.

બોલિવૂડ હંગામા સાથે વાત કરતા કાર્તિક કહે છે ‘હું શાહરૂખનો મોટો ફેન રહ્યો છું. જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો હતો, ત્યારે હું બેન્ડસ્ટેન્ડ ગયો હતો અને રવિવારે શાહરૂખની એક ઝલક મેળવવા માટે મન્નતની સામે ઊભો હતો. તેણે કહ્યું ‘ મે મારા જીવનમાં મન્નતની બહાર શાહરૂખ સિવાય કોઈ સેલિબ્રિટીને જોઈ ન હતી. તે સમયે મે માત્ર શાહરૂખને તેની કારમાં જોયો હતો કારણ કે તે રવિવારે તેના ઘરેથી નીકળતો હતો, અને તે જ સમયે મે તેને પહેલીવાર જોયો હતો.’

આ પણ વાંચો: આલિયા ભટ્ટએ નંણદ રિદ્ધિમા કપૂર વિશે એવું શું કહ્યું જે થયું વાયરલ?

કાર્તિક આર્યનએ નમ્ર હોવા માટે જાણીતો છે, ઘણીવાર ચાહકો સાથે રહે છે. હેન્ડશેક અને ફોટોગ્રાફ્સ માટે ચાહકોની વિનંતીઓ સરળતાથી પૂરી કરતા તેના વીડિયો વારંવાર ઇન્ટરનેટ પર સામે આવ્યા છે. તેના ચાહકો વિશે અને તે શા માટે તેમાં પોતાનો જુએ છે તે વિશે વાત કરતાં કાર્તિકે સમજાવ્યું, “હું પણ લોકોનો ચાહક હતો, અને મેં તેમની એક ઝલક મેળવવા અથવા ફક્ત એક ફોટોગ્રાફ તેમની સાથે મેળવવાનો પ્રયાસ કરતો. તેથી હું સમજી શકું છું કે ચાહકો ક્યારે આ પ્રતિક્રિયા આપે છે. હું બને તેટલા લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરું છું.”

આ પણ વાંચો: સ્ત્રી 2 આઈટમ સોંગ 500 મિલિયનને પાર, તમન્ના ભાટિયાએ ફેન્સનો આભાર માનતા શેર કર્યો નવો વીડિયો

અગાઉની વાતચીતમાં કાર્તિકે તેના વફાદાર ચાહકોના આધાર વિશે અને સમય જતાં તેને કેવી રીતે બનાવવું તે વિશે વાત કરી હતી. તે કહે છે, ‘હું એટલો ભાગ્યશાળી છું કે મને એક વફાદાર ચાહક વર્ગ મળ્યો છે જેને હું ક્યારેય ગુમાવવા માંગતો નથી. હું મારા ચાહકોને અપાર પ્રેમ કરું છું. અને મારો ચાહક વર્ગ એવો છે જે મારાથી કોઈ છીનવી શકતું નથી. તે એવી વસ્તુ નથી જે મે રાતોરાત મેળવી લીધી હોય. મને અહીં સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો છે.’

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ