બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની મુલાકાતે, કોતરણી જોઇ થયા મંત્રમુગ્ઘ

Akshay Kumar visits BAPS hindu temple : બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર જાણીતા ફિલ્મ નિર્માતા અને અગ્રણી ઉદ્યોગપતિ જીતેન દોશી વાશુ ભગનાની સાથે અબુ ધાબીમાં BAPS મંદિરે પહોંચ્યા હતા.

Written by Ajay Saroya
Updated : May 05, 2023 14:26 IST
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની મુલાકાતે, કોતરણી જોઇ થયા મંત્રમુગ્ઘ
અક્ષય કુમાર એક ફિલ્મ પ્રતિનિધિમંડળ સાથે યુએઇના અબુ ધાબી ખાતે નિર્માણ પામી રહેલા BAPS હિંદુ મંદિરની મુલાકાતે પહોંચ્યા.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર જાણીતા ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને અગ્રણી ઉદ્યોગપતિ જીતેન દોશી સાથે યુએઇના અબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS હિંદુ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. રવિવારે સવારે 8:00 વાગ્યે અક્ષય કુમાર અબુધાબી સ્થિતિ BAPS મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે ફૂલોના હારથી કર્યું હતુ. મંદિરના ઈતિહાસને સમજવા માટે ઉત્સુક અક્ષય અને પ્રતિનિધિમંડળને રિવર્સ ઑફ હાર્મની પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતા.

આ એક્ઝિબિશન આ મંદિરના સર્જનની એક આકર્ષક ઝલક આપે છે, જેની કલ્પના 1997માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિ માટેની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્રણ દાયકાઓની સધન કામગીરી બાદ ફેબ્રુઆરી 2024માં ખુલ્લું મૂકવામાં આવનાર આ મંદિર પ્રાર્થનાની શક્તિના પુરાવા તરીકે તેમજ વધુ સુમેળભર્યા વિશ્વ માટે લાખો લોકોની સામુહિક પ્રાર્થનાનો પડધો છે.

Akshay Kumar Photos | અક્ષય કુમાર ફોટા

એક્ઝિબિશનને નીહાળ્યા બાદ અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મુખ્ય સ્વયંસેવકોના સમંલેનમાં જોડાયા હતા. અહીં સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમના વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં તેમણે પ્રોજેક્ટની કલ્પના અને વિકાસનો જાદુઈ ઇતિહાસ શેર કર્યો. અક્ષય કુમાર અને ઉપસ્થિત ફિલ્મ ઉદ્યોગના પ્રોફેશનલ તરફ ઇશારો કરતા સ્વામીએ કહ્યું કે “આ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ સ્વર્ગમાં લખાઇ છે અને હવે પૃથ્વી પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.”

અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના નિર્માણમાં પોતાની ઈંટ મૂકવા માટે પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. અહીં, તેઓ 40,000 થી વધુ લોકો સાથે જોડાયા જેમણે પહેલેથી જ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે તેમની ઇંટો મૂકી દીધી છે.

મંદિરના અનિવાર્ય આકર્ષણથી મોહિત થઈને, અક્ષય કુમાર, અને પ્રતિનિધિમંડળ તેમની સખત ટોપીઓ પહેરીને મંદિરની ભવ્ય સીડી પર અપેક્ષા સાથે ચઢ્યું. જેમ જેમ તેઓ ટોચ પર પહોંચ્યા, તેમ મંદિરના આકર્ષક દૃશ્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. હાલમાં એક બાંધકામ સ્થળ હોવા છતાં, મંદિરની શાંત ઉર્જા હાજર રહેલા બધાને શાંત કરતી હતી.

ગુલાબી રાજસ્થાની પથ્થરો અને ઇટાલિયન માર્બલથી મંદિરનું બાંધકામ

ફિલ્મ કલાકારો સ્વામી બ્રહ્મવિહારીદાસે આ નિર્માણાધીન BAPS મંદિરની ભવ્યતા વિશે જણાવ્યું હતું. સ્ટીલના એક પણ ટુકડાનો ઉપયોગ કર્યા વગર ભવ્ય ગુલાબી રાજસ્થાની પથ્થરો અને ઇટાલિયન માર્લબથી સાકાર થનાર આ મંદિરની કોતરણી અને સ્થાપત્યથી પરિચિત કરાવ્યા હતા. સ્વામી બ્રહ્મવિહારીદાસે જુદા જુદા દેવતાના સાત શિખરોમાં પ્રત્યેકની જટિલ કોતરણી દેખાડી ત્યારે કલાકારો આશ્ચર્યચકિત થઈ ગયા. મંદિરના આધારસ્તંભો પર કરાયેલું કોતરણી કામ સંબંધિત દેવની જીવનકથાને દર્શાવે છે, જે મંદિરના નિર્માણમાં અપ્રતિમ કારીગરી અને ભક્તિને દર્શાવે છે.

Akshay Kumar Photos | અક્ષય કુમાર ફોટા

સ્વામી બ્રહ્મવિહારીદાસ ફિલ્મ કલાકારોના સમૂહને તે સ્થાન પર લઈ ગયા જ્યાં પ્રાચીન સંસ્કૃતિની 14 આંતરરાષ્ટ્રીય મૂલ્યની કહાણીઓ કોતરવામાં આવશે – જે વિશ્વભરના અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી. ત્યાં, તેમણે તેમની સાથે આફ્રિકામાં બાબેમ્બા જનજાતિની એક વાર્તા શેર કરી; વાર્તા ઉબુન્ટુના ખ્યાલને પ્રતિબિંબિત કરે છે, જેનો અનુવાદ “અન્ય પ્રત્યે માનવતા” થાય છે. આ જનજાતિમાં જો કોઈ ગુનો કરે છે, તો સમગ્ર આદિજાતિ તેમનું કામ બંધ કરી દે છે અને જે વ્યક્તિએ ગુનો કર્યો છે બે દિવસ સુધી તેની આસપાસ ફરે છે. આ સમય દરમિયાન તેઓ તે વ્યક્તિના ખરાબ કાર્યોનો અસ્વીકાર કરે છે અને માત્ર તે વ્યક્તિના વખાણની વાત કરે છે. આ કહાણી અક્ષય કુમારના હૃદયને સ્પર્શી ગઇ.

હકીકતમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાતનો કાર્યક્રમ માત્ર 40 મિનિટનો જ હતો પરંતુ અક્ષય કુમાર અને તેમના પ્રતિનિધિમંડળની ઉત્સુકતાને લીધે તે બે કલાકનો બની ગયો હતો. અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર, પ્રાર્થનાની શક્તિનું સ્મારક અને અસંખ્ય સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓના અતૂટ સમર્પણ, હાજર રહેલા તમામ લોકો પર ઊંડી અસર છોડી છે. અક્ષય કુમારે તેમની મુલાકાત અંગે જણાવ્યુ કે: “તમે ઇતિહાસ રચી રહ્યા છો… તમે જે બનાવી રહ્યા છો તે માત્ર આપણા સમુદાયની સેવા નથી, પરંતુ માનવજાતની સેવા છે. એક નવી દુનિયાનું નિર્માણ કરવું જ્યાં શાંતિ, પ્રેમ અને સમર્થન હોય. એક માણસથી બીજા; ખરેખર તેનાથી વધુ શક્તિશાળી બીજું કંઈ નથી… ‘પ્રેમ પર્વતોને ખસેડી શકે છે’ એ તમારા પ્રયત્નોનો સાચો પુરાવો છે… ખરેખર જબરજસ્ત! તે સપનાનું સ્વપ્ન છે!”

Akshay Kumar Photos | અક્ષય કુમાર ફોટા

અક્ષય કુમાર અને બ્રહ્મવિહારી સ્વામી બંનેએ સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ HH શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ઉદારતા અને વિઝન અને આ આધ્યાત્મિક રણભૂમિ બનાવવા માટે માનનીય નરેન્દ્ર મોદીના ભારતના વડા પ્રધાનના સતત સમર્થન માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ