/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/dharmendra-video-viral.jpg)
દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્ર
Film Star Dharmendra Passes Away at 89: ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. મુંબઇ સ્થિત નિવાસ સ્થાન બોલીવુડના હિમેન કહેવાત ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષે નિધન થયું છે. ધર્મેન્દ્ર દેઓલના નિધનથી ચાહકોમાં શોકની લહેર ફેલાઇ થઇ છે. સોમવારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ઘર નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને ત્યાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.
હેમા માલિની સહિત દેઓલ પરિવાર પવનહંસ સ્મશાને પહોંચ્યો
હવે 24 નવેમ્બરે ફરી એકવાર એમ્બ્યુલન્સ અભિનેતાના ઘરે પહોંચી હતી. આ પછી એમ્બ્યુલન્સ અને આખો પરિવાર પવન હંસ સ્મશાનગૃહમાં પહોંચતો જોવા મળ્યો હતો.
ધર્મેન્દ્ર દેઓલ લાંબા સમયથી બીમાર હતા
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. આ પછી ઇન્ટરનેટ પર એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતાનું નિધન થયું છે, પરંતુ અભિનેતાની પુત્રી એશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમને 12 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
- Nov 24, 2025 23:12 IST
શું ધર્મેન્દ્રની સંપત્તિમાં હેમા માલિની અને તેમની પુત્રીઓને હિસ્સો મળશે? જાણો શું કહે છે કાયદો
Dharmendra property division: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિની અને તેમની બે પુત્રીઓને ધર્મેન્દ્રની સંપત્તિમાં હિસ્સો મળશે કે નહીં તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ચાલો જાણીએ કે શું તેમને દિવંગત અભિનેતાની સંપત્તિ પર કાયદેસર અધિકાર છે કે નહીં. ...અહીં વાંચો
- Nov 24, 2025 20:42 IST
VIDEO: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ સ્માશાન ઘાટથી નીકળ્યા હેમા માલિની, કેમેરો જોઈ જોડ્યા હાથ
અભિનેત્રી હેમા માલિનીનો એક વીડિયો સામે આવ્યો છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પછી હેમા માલિની, તેમની પુત્રી એશા દેઓલ સાથે કેમેરા સામે હાથ જોડીને બહાર આવી. હેમા માલિની અને એશા દેઓલ બંને ખૂબ જ દુઃખી અને શોકગ્રસ્ત દેખાતા હતા, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ...સંપૂર્ણ માહિતી
- Nov 24, 2025 16:41 IST
Dharmendra નહીં રહે...
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ધર્મેન્દ્રને શ્રધ્ધાંજલિ આપતાં લખ્યું કે, તે બધા યુવાનો માટે હિરો હતા...
Growing up, Dharmendra ji was the hero every boy wanted to be…our industry’s original He-Man.
Thank you for inspiring generations.
You’ll live on through your films and the love you spread. Om Shanti 🙏 pic.twitter.com/Vj6OzV20Xz
— Akshay Kumar (@akshaykumar) November 24, 2025 - Nov 24, 2025 15:56 IST
રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર દેઓલના નિધન પર શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ નેતા રાહલ ગાંધી ધર્મેન્દ્ર દેઓલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે - મહાન અભિનેતા ધર્મેન્દ્રજીના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને ભારતીય કલા જગત માટે એક પુરી ન શકાય તેવી ખોટ છે. લગભગ સાત દાયકા સુધી સિનેમામાં તેમનું અદ્વિતિય યોગદાન હંમેશા આદર અને સ્નેહ સાથે યાદ કરવામાં આવશે. હું ધર્મેન્દ્રજીને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના શોકાકુળ પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે.
महान अभिनेता धर्मेंद्र जी के निधन का समाचार अत्यंत दुखद है और भारतीय कला जगत के लिए अपूरणीय क्षति है। सिनेमा में लगभग सात दशकों के उनके अद्वितीय योगदान को हमेशा सम्मान और मोहब्बत के साथ याद रखा जाएगा।
धर्मेंद्र जी को अपनी भावभीनी श्रद्धांजलि अर्पित करता हूं। इस दुख की घड़ी में… pic.twitter.com/a4Wl1JOM3G— Rahul Gandhi (@RahulGandhi) November 24, 2025
- Nov 24, 2025 15:25 IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂે ધર્મેન્દ્ર દેઓલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂે ધર્મેન્દ્ર દેઓલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. "પ્રખ્યાત અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ શ્રી ધર્મેન્દ્રજીનું અવસાન ભારતીય સિનેમા માટે એક મોટું નુકસાન છે. સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક, તેમણે તેમના દાયકાઓની લાંબા શાનદાર કારકિર્દીમાં ઘણા યાદગાર અભિનય આપ્યા. ભારતીય સિનેમાના એક મહાન વ્યક્તિત્વ તરીકે, તેઓ એક એવો વારસો છોડી ગયા છે જે કલાકારોની નવી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના."
राष्ट्रपति द्रौपदी मुर्मू ने मशहूर एक्टर धर्मेंद्र के निधन पर दुख जताया।
"मशहूर एक्टर और पूर्व सांसद श्री धर्मेंद्र जी का निधन भारतीय सिनेमा के लिए एक बहुत बड़ा नुकसान है। सबसे पॉपुलर एक्टर्स में से एक, उन्होंने अपने दशकों लंबे शानदार करियर में कई यादगार परफॉर्मेंस दीं। भारतीय… pic.twitter.com/jO775NFeLq— ANI_HindiNews (@AHindinews) November 24, 2025
- Nov 24, 2025 15:19 IST
PM નરેન્દ્ર મોદી ધર્મેન્દ્ર દેઓલને શ્રદ્ધાંજલી પાઠવી
ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક આઈકોનિક ફિલ્મ પર્સનાલિટી હતા, એક અસાધારણ અભિનેતા હતા જેમણે ભજવેલી દરેક ભૂમિકામાં આકર્ષણ અને ઊંડાણ લાવ્યું. તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવવાની રીત અસંખ્ય લોકોના હૃદયને સ્પર્શી ગઈ. ધર્મેન્દ્રજી તેમની સાદગી, નમ્રતા અને ઉષ્મા માટે એટલા જ લોકપ્રિય હતા. આ દુઃખદ ઘડીમાં, મારી પ્રાર્થના તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો સાથે છે. ઓમ શાંતિ.
The passing of Dharmendra Ji marks the end of an era in Indian cinema. He was an iconic film personality, a phenomenal actor who brought charm and depth to every role he played. The manner in which he played diverse roles struck a chord with countless people. Dharmendra Ji was…
— Narendra Modi (@narendramodi) November 24, 2025
- Nov 24, 2025 14:24 IST
ધર્મેન્દ્ર દેઓલના નિધન પર કરણ જોહરની ભાવુક પોસ્ટ
કરણ જોહરે પણ ધર્મેન્દ્ર દેઓલના નિધન પર એક ભાવુક પોસ્ટ લખી છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર અભિનેતાની એક તસવીર શેર કરી અને લખ્યું, "આ એક યુગનો અંત છે... એક મોટો મેગાસ્ટાર... મુખ્ય પ્રવાહના સિનેમામાં એક હીરોનું અવતાર... અવિશ્વનિય રીતે સુંદર અને સૌથી રહસ્યમય સ્ક્રીન પર હાજરી... તે ભારતીય સિનેમાનો એક સાચો દંતકથા હતો અને હંમેશા રહેશે. સિનેમાના ઇતિહાસના પાનાઓમાં એક વ્યાખ્યાયિત અને સમૃદ્ધ રીતે હાજરી, પરંતુ સૌથી ઉપર તે સારા માણસ હતા. આપણા ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમને ખૂબ પ્રેમ કરતો હતો. તેમની પાસે દરેક માટે અપાર પ્રેમ અને સકારાત્મકતા હતી. તેમના આશીર્વાદ, તેમના આલિંગન અને તેમની અદ્ભુત હૂંફ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તે કરતાં વધુ યાદ આવશે. આજે આપણા ઉદ્યોગમાં એક વિશાળ ખાલીપો છે. એક એવી જગ્યા જે કોઈ ક્યારેય ભરી શકાશે નહી. તે હંમેશા એકમાત્ર ધરમજી રહેશે... અમે તમને પ્રેમ કરીએ છીએ સાહેબ... અમે તમને ખૂબ યાદ કરીશું... આજે સ્વર્ગ ધન્ય છે... તમારી સાથે કામ કરવું હંમેશા મારા માટે આશીર્વાદ રહેશે... અને મારું હૃદય આદર, સમ્માન અને પ્રેમ સાથે કહે છે... અભી ના જાઓ છોડ કે... કે દિલ અભી ભરા નહીં... ઓમ શાંતિ."
- Nov 24, 2025 14:16 IST
અમિતાભ બચ્ચન, આમિર ખાન સહિત ઘણા સેલેબ્રિટી સ્મશાને પહોંચ્યા
ધર્મેન્દ્ર દેઓલના નિધનથી શોલના જય વીરુની જોડી તૂટી ગઇ છે. ધર્મેન્દ્ર દેઓલના પાર્થિવ દેહને પવનહંસ સ્મશાને લઇ જવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન સહિત ઘણા સેલેબ્રિટી સ્મશાનગૃહ પહોંચ્યા છે.
- Nov 24, 2025 14:09 IST
ધર્મેન્દ્ર દેઓલ લાંબા સમયથી બીમાર હતા
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. આ પછી ઇન્ટરનેટ પર એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતાનું નિધન થયું છે, પરંતુ અભિનેતાની પુત્રી એશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમને 12 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
https://www.instagram.com/p/DRbo6V9E8mk/?hl=en&img_index=1
- Nov 24, 2025 14:09 IST
દેઓલ પરિવાર પવનહંસ સ્મશાને પહોંચ્યો
હવે 24 નવેમ્બરે ફરી એકવાર એમ્બ્યુલન્સ અભિનેતાના ઘરે પહોંચી હતી. આ પછી એમ્બ્યુલન્સ અને આખો પરિવાર પવન હંસ સ્મશાનગૃહમાં પહોંચતો જોવા મળ્યો હતો.
- Nov 24, 2025 14:07 IST
ધર્મેન્દ્ર દેઓલનું નિધન, 89 વયે અંતિમ શ્વાસ લીધા
ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. મુંબઇ સ્થિત નિવાસ સાથે બોલીવુડના હિમેન કહેવાત ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષે નિધન થયું છે. ધર્મેન્દ્ર દેઓલના નિધનથી ચાહકોમાં શોકની લહેર ફેલાઇ થઇ છે. સોમવારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ઘર નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને ત્યાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us