Emergency Trailer : કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર રિલીઝ । ટ્રેલરમાં ઈન્દિરા ગાંધી પર નેહરુની ખુરશી હડપવાનો દાવો, જુઓ ટ્રેલર

Emergency Trailer : કંગના રનૌત સિવાય આ ફિલ્મમાં મિલિંદ સોમન, સતીશ કૌશિક અને મહિમા ચૌધરી પણ છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે અને તે અગાઉ 2023 માં રિલીઝ થવાની હતી. તે પછી રિલીઝ 2024 સુધી મુલતવી રાખવામાં આવી હતી

Emergency Trailer : કંગના રનૌત સિવાય આ ફિલ્મમાં મિલિંદ સોમન, સતીશ કૌશિક અને મહિમા ચૌધરી પણ છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે અને તે અગાઉ 2023 માં રિલીઝ થવાની હતી. તે પછી રિલીઝ 2024 સુધી મુલતવી રાખવામાં આવી હતી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Kangana Ranaut Emergency Movie Trailer

કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર રિલીઝ । ટ્રેલરમાં ઈન્દિરા ગાંધી પર નેહરુની ખુરશી હડપવાનો દાવો, જુઓ ટ્રેલર

Emergency Trailer : સિનેમાની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશેલી કંગના રનૌત (Kangana Ranaut) ની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' (Emergency) છે. એકટ્રેસએ આ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું ટ્રેલર આજે લોન્ચ થઈ ગયું છે.ટ્રેલરની શરૂઆતમાં 'સત્તાની શકિત' વિશે વાત કરે છે, કંગનાએ ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ઇન્ડિયાએ ઇન્દિરા છે અને ઇન્દિરા એ ઇન્ડિયા છે !!! દેશના ઈતિહાસની સૌથી શક્તિશાળી મહિલા, તેણે તેના ઈતિહાસમાં લખેલું સૌથી અંધકારમય પ્રકરણ! સાક્ષી મહત્વાકાંક્ષા જુલમ સાથે અથડાઈ. #ઇમર્જન્સી ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.#કંગના રણૌતની #ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જુઓ મુવી ટ્રેલર

Advertisment

ટ્રેલર ઇમરજન્સી (Emergency Trailer)

https://www.instagram.com/p/C-pGBdEI1xM/?hl=en

કંગના રનૌતની ફિલ્મ પોલિટિક્સમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ઉદય પર બની છે. ઇન્દિરા ગાંધીના પિતા અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના મૃત્યુ બાદ સત્તા પર આવ્યા. ઇમર્જન્સી ટ્રેલરમાં ઇન્દિરાએ પિતા પાસેથી સત્તા છીનવી લેવાના દાવાઓ કરવામાં આવે છે, ટ્રેલર પરથી એવું લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી ઈન્દિરાના વડાપ્રધાન તરીકેના વર્ષો સુધી સીમિત છે.

તે સમયમાંથી પસાર થાય છે જ્યારે તેઓ પ્રથમ વખત 1966 માં સત્તા સંભાળી, 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ અને કટોકટીના વર્ષો દરમિયાન તેઓએ નિર્ણય લીધો, જે ભારતીય ઈતિહાસનો સૌથી કાળો અધ્યાય કહેવાય છે જ્યારે મૂળભૂત અધિકારો પર કાપ મૂકવામાં આવ્યો હતો અને સરકારે હુકમનામા દ્વારા શાસન કર્યું હતું.કદાચ ફિલ્મ તેની હત્યાને પણ આવરી લેશે.

કંગના ઇન્દિરાની ભૂમિકા એક નિરંકુશની જેમ ભજવે છે અને ઇન્દિરાના નેતૃત્વમાં કેવી રીતે લોકશાહીની પવિત્રતાનું સન્માન કરવામાં આવ્યું ન હતું તેના પર ભાર મૂકે છે. તે કહે છે, 'ભારત ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા' જાહેર કર્યું. ફિલ્મમાં ઈન્દિરા સ્પષ્ટપણે જાહેર કરે છે કે તે પોતાના ફાયદા માટે રાજકારણમાં છે, રાષ્ટ્રના કલ્યાણ માટે નહીં. પરંતુ તે તેની આંખોમાં આંસુ સાથે પણ કહે છે, 'નફરત, નફરત નફરત..ઔર મિલા ક્યા હૈ મુઝે ઇસ દેશ સે (નફરત સિવાય મને આ દેશ પાસેથી શું મળ્યું છે) ?" આ ફિલ્મ પુત્ર સંજય ગાંધીને ઈન્દિરાના જીવનના સૌથી મોટા વિલન તરીકે પણ જાહેર કરે છે.

Advertisment

કંગના રનૌત સિવાય આ ફિલ્મમાં મિલિંદ સોમન, સતીશ કૌશિક અને મહિમા ચૌધરી પણ છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે અને તે અગાઉ 2023 માં રિલીઝ થવાની હતી. તે પછી રિલીઝ 2024 સુધી મુલતવી રાખવામાં આવી હતી પરંતુ કંગનાએ તેને આગળ સ્થગિત કરી દીધી કારણ કે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહી હતી. આખરે તે ચૂંટણી જીતી અને રાજકારણમાં પ્રવેશ્યા બાદ આ તેની પ્રથમ ફિલ્મ રિલીઝ હશે.

કંગના રનૌત મુવી ટ્રેલર celebrities મનોરંજન ન્યૂઝ