Hrithik Roshan Praises Dhurandhar | ફિલ્મ નિર્માતા આદિત્ય ધાર (Aditya Dhar) ની મુવી ધૂરંધર (Dhurandhar) રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મ તેના રાજકીય સ્વર અને ઉશ્કેરણીજનક વાર્તા કહેવાને કારણે દર્શકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે . બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશને (Hrithik Roshan) પણ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની પ્રશંસા કરી છે, જાણો એક્ટરે શું કહ્યું?
ધુરંધર મુવીના ઋત્વિક રોશન દ્વારા વખાણ
ઋત્વિક રોશનએ ધુરંધર મુવી જોયા બાદ ખુબજ વખાણ કર્યા છે, તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અને ટ્વીટર પર નોટ શેર કરીને વખાણ કર્યા છે, રિતિકે લખ્યું, “મને સિનેમા ખૂબ ગમે છે, મને એવા લોકો ગમે છે જે સ્ટોરીને સ્ટોરીને હીરો બનાવે છે, સખ્ત મહેનત કરે છે જ્યાં સુધી તેઓ જે કહેવા માંગે છે તે સ્ક્રીન પર તેમનામાંથી બહાર ન આવે. ધુરંધર તેનું એક ઉદાહરણ છે. સ્ટોરી જે રીતે કહેવામાં આવી છે તે અપ્રોચ ખુબ મ પસંદ આવ્યો છે તે ખરેખર સિનેમા છે.” તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેઓ ફિલ્મના ‘રાજકારણ સાથે અસંમત’ છે.
વોર 2 ના અભિનેતાએ આગળ કહ્યું, “હું તેના રાજકારણ સાથે અસંમત હોઈ શકું છું, અને વિશ્વના નાગરિક તરીકે આપણે ફિલ્મ નિર્માતાઓએ જે જવાબદારીઓ નિભાવવી જોઈએ તે અંગે દલીલ કરી શકું છું. તેમ છતાં, સિનેમાના વિદ્યાર્થી તરીકે આ વ્યક્તિ પાસેથી કેટલું પ્રેમ અને શિક્ષણ મળ્યું તે અવગણી શકાય નહીં. અદ્ભુત.” “ધૂરંધર” માં રણવીરના પાત્રની જેમ, ઋતિક પણ યશ રાજ ફિલ્મ્સની હાઇ-પ્રોફાઇલ સ્પાય ફ્રેન્ચાઇઝ વોરમાં જાસૂસની ભૂમિકા ભજવે છે.
ઋત્વિક રોશન ટ્વીટર પોસ્ટ
હજુ પણ ધુરંધર મુવીને મારા મનમાંથી નીકળી શકતી નથી. @આદિત્યધરફિલ્મ્સ તમે એક અદ્ભુત નિર્માતા છો. રણવીર સિંહ @રણવીરઓફિશિયલ .શાંત થી ઉગ્ર સુધીની સફર કેટલી સુસંગત અને શાનદાર છે. #akshayekhannaa હંમેશા મારી પ્રિય રહી છે અને આ ફિલ્મ તેનું પુરાવો છે. @એક્ટર માધવન મેડ ગ્રેસ, શક્તિ અને ગૌરવ!! પણ માણસ @બોલબેડીબોલ તમે જે કર્યું તે અદ્ભુત હતું.. શું અદ્ભુત કાર્ય, શાનદાર !! બધા તરફથી તાળીઓનો ગડગડાટ, ખાસ કરીને મેકઅપ અને પ્રોસ્થેટિક્સ વિભાગ તરફથી! હું ભાગ 2 ની રાહ જોઈ શકતો નથી !!!
અક્ષય કુમારે પણ સોશિયલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરી છે. તેણે સ્વીકાર્યું કે તેઓ સ્ટોરીથી “દંગ” થઈ ગયા હતા અને લખ્યું, “ધૂરંધર જોઈ અને હું દંગ રહી ગયો છુ. કેટલી રસપ્રદ સ્ટોરી છે અને તમે તેને @AdityaDharFilms પર સરળતાથી સમજાવી દીધી છે. અમને અમારી સ્ટોરી ખૂબ જ રસપ્રદ રીતે કહેવાની જરૂર છે અને મને ખૂબ આનંદ છે કે દર્શકો ફિલ્મને તેટલો પ્રેમ આપી રહ્યા છે જે તેને લાયક છે.”
ધુરંધર મુવી (Dhurandhar Movie)
ધુરંધર વાસ્તવિક જીવનની ઘટનાઓમાંથી પ્રેરણા લે છે જેમાં ભૂ-રાજકીય તણાવ અને પાકિસ્તાનમાં ભારતના R&AW દ્વારા હાથ ધરવામાં આવેલા ગુપ્ત ઓપરેશનોનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને સારા અર્જુન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે રિલીઝના છ દિવસમાં 180 કરોડ રૂપિયાની કમાણી કરી છે.





