રણબીર કપૂર અંગે કરણ જોહરે કર્યો મોટો ખુલાસો, રણબીર કપૂર અને રણવીર સિંહ બંને વિશે પણ કહી આ મોટી વાત

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે તાજેતરમાં મિડ-ડેને ઇન્ટરવ્યુ આપ્યું હતુ. જેમાં તેણે રણબીર કપૂર વિશે મોટી વાત કહી હતી. આ સાથે નિર્માતાએ રણવીર કપૂર અને રણવીર સિંહમાંથી કોણ શ્રેષ્ઠ છે તે અંગે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી.

Written by mansi bhuva
September 19, 2023 07:39 IST
રણબીર કપૂર અંગે કરણ જોહરે કર્યો મોટો ખુલાસો, રણબીર કપૂર અને રણવીર સિંહ બંને વિશે પણ કહી આ મોટી વાત
રણબીર કપૂર અંગે કરણ જોહરે કર્યો મોટો ખુલાસો

બોલિવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ પછી ચાહકોમાં ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ વધી ગયો છે. આ દરમિયાન કરણ જોહરે રણવીર કપૂર અંગે મોટો ખુલાસો કર્યો છે.

‘રણવીર કપૂર પોતાના દમ પર આજે આ મુકામ પર’

રણવીર કપૂર હાલમાં એનિમલ સિવાય અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા કરણ જોહરે ખુલાસો કર્યો છે કે, ‘અભિનેતા પાસે કોઈ મેનેજર નથી. રણવીર પોતાનું કામ જાતે જ કરે છે અને પોતાના દમ પર આજે આ મુકામ પર છે.’

હકીકતમાં કરણ જોહરે તાજેતરમાં મિડ-ડેને ઇન્ટરવ્યુ આપ્યું હતુ. જેમાં નિર્માતાએ ખુલાસો કર્યો હતો કે, ‘રણવીર સુપરસ્ટાર હોવા છતા તે તેની ફિલ્મોની તારીખો પોતે હેન્ડલ કરે છે. તેની પાસે કોઈ PR નથી, કોઈ મેનેજર નથી. જો તમે તેને ફિલ્મની તારીખો માટે પૂછશો તો તે તેનો ફોન ચેક કરશે. જેમાં તેની બધી તારીખ નોટ કરેલી હોય છે. આ સિવાય એક્ટરેતેના ફોનમાં તેની દરેક મહત્વપૂર્ણ માહિતી નોટ કરેલી રાખે છે.’

રણવીર કપૂર અને રણવીર સિંહમાંથી કોણ શ્રેષ્ઠ?

જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે, રણબીર અને રણવીર વચ્ચે શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે? તો કરણ જોહરે કહ્યું, ‘રણબીર એવો છોકરો છે જે ખુબ મહેનતથી અભ્યાસ કરશે પરંતુ તે જ્યારે શાળાએ આવશે તો તેને અહેસાસ થશે કે મને ખબર નથી કે તમે શું વાત કરી રહ્યા છો?

આ પણ વાંચો : Jawan Box Office Collection Day 11 : શાહરૂખ ખાનની ‘જવાન’નો દબદબો, પઠાણ, ગદર 2, બાહુબલી 2 સહિત KGF 2ને પછાડી ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, 800 કરોડનો આંકડો પાર

રણબીર અને રણવીરમાં આ વાત કોમન

રણવીર સિંહ અંગે કરણ જોહરે કહ્યું હતુ કે,’આ એક સરળ દિવસ છે. તે કોઇ દેખાડો કરી શકતો નથી કારણ કે તેના પ્રત્યે ખુબ જ પ્રામાણિક અને સાચો છે. તે સૌથી શાંત અને ધૈર્યવાન વ્યક્તિ છે, તમે તેને સેટ પર 14 કલાક રાહ જોવા માટે મજબૂર કરી શકો છો અને તે કંઈપણ બોલશે નહીં. રણબીર અને રણવીર બંને પાસે એક જ વસ્તુ છે જે સામાન્ય છે તે છે તેમની સખત મહેનત.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ