karwa chauth 2023 : આ બોલિવૂડ અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખશે, પતિના લાંબા આયુષ્યની કરશે કામના, આ કથા વિના કરવા ચોથ છે અધૂરૂં

Karwa Chauth 2023 : 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથનું વ્રત ઉજવવામાં આવશે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા-અર્ચના કરે છે. તેમજ પત્નીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારે આ વર્ષે બોલિવૂડની આ અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર કરવા ચોથ સેલિબ્રેટ કરશે.

Written by mansi bhuva
Updated : October 31, 2023 14:58 IST
karwa chauth 2023 : આ બોલિવૂડ અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખશે, પતિના લાંબા આયુષ્યની કરશે કામના, આ કથા વિના કરવા ચોથ છે અધૂરૂં
karwa chauth 2023 : આ બોલિવૂડ અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખશે

Karwa Chauth 2023 Bollywood Actress : આ વર્ષે આવતીકાલે 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથનું વ્રત ઉજવવામાં આવશે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા-અર્ચના કરે છે. ત્યારે આ વર્ષે બોલિવૂડની આ અભિનેત્રીઓ લગ્ન પછી પહેલીવાર પોતાના પતિની લાંબી આયુ અને સ્વસ્થ જીવન માટે કામના કરશે. જાણો આ અહેવાલમાં તે બોલિવૂડ સેલિબ્રિટીના નામ તેમજ વ્રતના દિવસે કરવા ચોથની કથા ખાસ સાંભળવી જોઇએ. કારણ કે આના વિના વ્રત અધૂરું માનવામાં આવે છે.

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા

લગ્ન પછી પહેલી કરવા ચોથ કરનારા સેલેબ્સમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું સામેલ છે. આ પાવર કપલે 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. કિયારા-સિદ્ધાર્થના લગ્નની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. આમ વાત કરવામાં આવે તો લગ્ન પછી કિયારાની આ પહેલી કરવા ચોથ છે જેને લઇને અભિનેત્રી હાલમાં ખૂબ ખુશ જોવા મળી છે. કરવા ચોથ દરેક લોકો માટે સ્પેશિયલ બની રહે છે. મળતી માહિતી અનુસાર, કિયારા અડવાણી દિલ્હીમાં ફર્સ્ટ કરવા ચોથની ઉજવણી કરશે.

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા

બોલિવૂડનું મોસ્ટ પાવર કપલ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પણ આ લિસ્ટમાં ટોચ પર છે. પરિણીતી-રાઘવે 24 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. ત્યારે પરિણીતી ચોપરા પણ લગ્ન પછી પહેલીવાર પોતાના પતિ રાઘવ ચઢ્ઢા માટે ઉપવાસ કરશે.

હંસિકા મોટવાણી સોહેલ કથુરિયા

સાઉથની ફેમસ એક્ટ્રેસ હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાએ 4 ડિસેમ્બર 2022ના રોજ સાત ફેરા લીધા હતા. તેવામાં હંસિકા આ ​​વર્ષે તેની પ્રથમ કરવા ચોથ ઉજવશે.ઉલ્લેખનીય છે કે, હંસિકા મોટવાણીએ પોતાના મિત્રના એક્સ પતિ સંગ લગ્ન કર્યા છે.

આથિયા શેટ્ટી કેએલ રાહુલ

અથિયા શેટ્ટી પણ પતિ કેએલ રાહુલ માટે કરવા ચોથનું વ્રત રાખી શકે છે. રાહુલ-અથિયાના લગ્ન આ વર્ષે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં થયા હતા. મહત્વનું છે કે, રાહુલ હાલમાં વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે વ્યસ્ત છે. આવી સ્થિતિમાં અથિયા સાથે તેનું રહેવું અત્યારે મુશ્કેલ લાગે છે, કારણ કે તેને બીજી નવેમ્બરે શ્રીલંકા સાથે મેચ રમવાની છે.

સ્વરા ભાસ્કર ફહદ અહમદ

સ્વરા ભાસ્કર હંમેશા દરેક મુદ્દે મુક્તપણે પોતાનો મત રજૂ કરવાના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે 16 ફેબ્રુઆરીએ સોશિયલ એક્ટિવિસ્ટ ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી હતી. ત્યારે તે પણ પહેલીવાર કરવા ચોથ 2023 સેલિબ્રેટ કરશે.

શિવાલિકા ઓબરોય અભિષેક પાઠક

સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ના દિગ્દર્શક અભિષેક પાઠક અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે 9 ફેબ્રુઆરી 2023ના રોજ ગોવામાં સાત ફેરા લીધા હતા. ત્યારે શિવાલિકા ઓબરોય પણ પોતાના પતિ માટે આખો દિવસ ઉપવાસ કરશે અને પતિના લાંબા આયુષ્યની કામના કરશે.

કરવા ચોથની કથા

કરવા ચોથના દિવસે પરિણીત સ્ત્રીઓ નિર્જલા વ્રત રાખીને દેવી પાર્વતી અને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે છે. પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીની પણ પૂજા કરે છે. વ્રતના દિવસે કરવા ચોથની કથા સાંભળે છે. આના વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. કથા સાંભળવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે અને વ્રતનું મહત્વ પણ જાણવા મળે છે.

પૌરાણિક કથા અનુસાર, એક શાહુકારની પુત્રી કરવા હતી અને 7 પુત્રો હતા. બધા ભાઈઓ તેમની બહેન કરવાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ તેમની બહેન તેમના ઘરે આવી અને ઉપવાસ રાખ્યો. સાંજે જ્યારે તેમના ભાઈ કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બહેન પરેશાન હતી. જ્યારે તેમણે બહેન પાસેથી કારણ જાણવા માંગ્યું તો તેણે કહ્યું કે આજે તે પાણી વિના ઉપવાસ કરી રહી છે અને ચંદ્રને જળ ચઢાવ્યા વિના પારણા કરી શકતી નથી. ચંદ્ર ઉગ્યો ન હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતી.

કરવાના વિચલિત થવાથી બધા ભાઈઓ પરેશાન થઈ ગયા. તેમની ન રહી શકાયું. નાના ભાઈએ ઉકેલ વિચાર્યો અને ઘરથી દૂર પીપળના ઝાડ પર ચાળણીમાં દીવો સંતાડી દીધો, જાણે ચંદ્રોદય થઈ રહ્યો હોય. આ પછી તે કરવા પાસે જાય છે અને કહે છે કે ચંદ્રોદય થઈ ગયો છે. આ સાંભળીને કારવા ખુશ થઈ જાય છે અને તેને ચંદ્રના રૂપમાં જળ અર્પણ કર્યા પછી તે પારણ કરવા બેસી જાય છે.

પહેલો બાઈટ મુકતા જ છીંક આવે છે, જ્યારે બીજી બાઈટ લે છે ત્યારે તેમાં વાળ નીકળે છે. તેણી વખત મોંમાં મૂકતા જ તેણીને તેના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા. આ સાંભળીને તે રડી પડે છે. પછી તેની ભાભી તેને કહે છે કે તેના નાના ભાઈએ ઉપવાસ તોડવા માટે શું કર્યું હતું. આ જાણ્યા પછી, કરવા પ્રતિજ્ઞા લે છે કે તે તેના પતિને ફરીથી જીવિત કરાવીને રહેશે.

કરવા આખું વર્ષ તેના પતિના મૃતદેહ પાસે રહે છે અને તેના મૃતદેહ પાસે સોયની જેમ ઉગેલું ઘાસ એકઠું કરતી રહે છે. જ્યારે કરવા ચોથનું વ્રત આવે છે, ત્યારે તેની બધી ભાભી ઉપવાસ રાખે છે અને તેની પાસે આશીર્વાદ લેવા આવે છે, પછી તે તેની દરેક ભાભીને કહે છે કે યમ સુઈ લે લો, પિય સુઈ દે દો, મને પણ તમારી જેમ સુહાગણ બનાવી દો. તેણી બીજી ભાભીને આ વિનંતી કરવા કહે છે.

જ્યારે છઠ્ઠી ભાભી આવે છે ત્યારે તેને કહે છે કે સૌથી નાના ભાઈને કારણે તારો ઉપવાસ તૂટી ગયો છે, તેથી તું તેની પત્નીને કહે, તે તેની શક્તિથી તારા પતિને જીવિત કરશે. જ્યાં સુધી તેઓ જીવિત ન થાય ત્યાં સુધી તેને છોડતી નહી. આટલું કહીને તે નીકળી જાય છે. પછી આખરે નાની ભાભી આવે છે. કરવા તેણીને તેના પતિને પુનર્જીવિત કરવા અને તેને સુહાગન બનવવા પણ કહે છે. નાની ભાભી તેની વાત સાંભળતી નથી, તે વિલંબ કરે છે. કરવા તેને પકડી રાખે છે અને વિનંતી કરતી રહે છે.

આ પણ વાંચો : Dunki Teaser : શું પઠાણ અને જવાનની જેમ કિંગ ખાનની ‘ડંકી’ પણ બ્લોકબસ્ટર સાબિત થશે? શાહરૂખ ખાનના બર્થડે પર ટીઝર રિલીઝ થશે

તેની જીદ અને કઠોર મક્કમતા જોઈને, નાની ભાભી કરવાના પતિને જીવિત કરવા સંમત થાય છે. તે તેના હાથની નાની આંગળી ચાટીને અમૃત બહાર કાઢે છે અને તેને તેના પતિના મોંમાં મૂકે છે. તેમના પ્રભાવ હેઠળ, તેમના પતિ શ્રી ગણેશનું નામ લઈને ઉભા થાય છે. આ રીતે કરવાના પતિ જીવિત થઈ જાય છે. આ રીતે માતા પાર્વતીના આશીર્વાદ દરેક પર રહે અને દરેકને કરવા જેવું અખંડ સૌભાગ્ય મળે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ