કેસરી ચેપ્ટર 2 ના લેખક પર સાહિત્યચોરીનો આરોપ, યુટ્યુબર અને કવિ યાહ્યા બુટવાલાની કવિતામાંથી ડાયલોગ કોપી કર્યા

કેસરી ચેપ્ટર 2 ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ' 18 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1919 ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીની ઘટનાઓ પર આધારિત છે. આમાં અક્ષય કુમારે વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવી છે.

Written by shivani chauhan
April 26, 2025 11:29 IST
કેસરી ચેપ્ટર 2 ના લેખક પર સાહિત્યચોરીનો આરોપ, યુટ્યુબર અને કવિ યાહ્યા બુટવાલાની કવિતામાંથી ડાયલોગ કોપી કર્યા
કેસરી ચેપ્ટર 2 ના લેખક પર સાહિત્યચોરીનો આરોપ, યુટ્યુબર અને કવિ યાહ્યા બુટવાલાની કવિતામાંથી ડાયલોગ કોપી કર્યા

અક્ષય કુમાર (Akshay Kumar), આર માધવન (R Madhavan) અને અનન્યા પાંડે (Ananya Panday) સ્ટારર ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ (Kesari Chapter 2) રિલીઝ થઈ ત્યારથી જ સમાચારમાં છે, પરંતુ હવે આ ફિલ્મ એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. પ્રખ્યાત યુટ્યુબર અને કવિ યાહ્યા બુટવાલા (YouTuber and poet Yahya Bootwala) એ ફિલ્મના નિર્માતાઓ પર જલિયાંવાલા બાગ પર લખેલી તેની કવિતાની પંક્તિઓની પરવાનગી વિના નકલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

યુટ્યુબર યાહ્યા બુટવાલાએ ગંભીર આરોપો લગાવ્યા

યુટ્યુબર યાહ્યાએ પુરાવા તરીકે પોતાની કવિતા અને ફિલ્મમાં અનન્યા પાંડે દ્વારા બોલાયેલા ડાયલોગનો વીડિયો શેર કર્યો છે, જેના પછી મામલો વધુ ગરમાયો છે. યાહ્યા બુટવાલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચાર દિવસ પહેલા તેમના એક ચાહકે તેમને ફિલ્મની એક ક્લિપ મોકલી હતી, જેમાં ડાયલોગ બિલકુલ તેની કવિતા ‘જલિયાંવાલા બાગ’ જેવા જ હતા. આ કવિતા યાહ્યાએ પાંચ વર્ષ પહેલાં તેની યુટ્યુબ ચેનલ ‘અનરેઝ પોએટ્રી’ પર પ્રકાશિત કરી હતી. તેણે લખ્યું, “આ સ્પષ્ટ કોપી-પેસ્ટ છે. નિર્માતાઓએ તેને છુપાવવાનો પ્રયાસ પણ કર્યો નથી. ‘વ્હીસ્પર’ જેવા શબ્દો પણ આ રીતે લેવામાં આવ્યા છે.”

યુટ્યુબર યાહ્યાએ ફિલ્મના ડાયલોગ લેખક સુમિત સક્સેના પર નિશાન સાધતા કહ્યું, “એક લેખક સૌથી ખરાબ કામ કરી શકે છે તે છે બીજા લેખકનું કાર્ય ક્રેડિટ આપ્યા વિના ચોરી લેવું. સુમિત સક્સેનાએ આ જ કર્યું છે.” તેમણે તેના ચાહકોને આ મુદ્દો ફિલ્મના નિર્માતા કરણ જોહર, દિગ્દર્શક કરણ સિંહ ત્યાગી, ધર્મા પ્રોડક્શન્સ, અક્ષય કુમાર અને અનન્યા પાંડે સમક્ષ ઉઠાવવા અપીલ કરી છે. યાહ્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અનન્યાના ડાયલોગ અને તેની કવિતા વચ્ચે સમાનતા સ્પષ્ટપણે દેખાય છે.

https://www.instagram.com/reel/DI3xydyNy2w/?utm_source=ig_embed&ig_rid=3f805694-25c3-491d-906d-2137531b9daf

આ પણ વાંચો: Abir Gulaal Song Removed | અબીર ગુલાલ ફિલ્મ ગીત પહેલગામ હુમલાને કારણે યુટ્યુબ પરથી હટાવ્યું, ફવાદ ખાનએ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું

પ્રોડ્યુસર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી

સુમિત સક્સેનાને ટેગ કરીને તેમણે લખ્યું, “તમને ખબર હોવી જોઈએ કે ક્રેડિટ વિના લેખકનું કાર્ય ચોરી કરવું એ સૌથી ખરાબ બાબત છે.” યાહ્યાએ કહ્યું છે કે આ બાબતને વધુ ગંભીરતાથી લેવી જોઈએ. જોકે આ આરોપ પર ધર્મા પ્રોડક્શન્સ કે ફિલ્મ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કેસરી ચેપ્ટર 2 સ્ટોરી (Kesari Chapter 2 Story)

કેસરી ચેપ્ટર 2 ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ 18 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1919 ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીની ઘટનાઓ પર આધારિત છે. આમાં અક્ષય કુમારે વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવી છે, જેમણે બ્રિટિશ સરકાર સામે કાનૂની લડાઈ લડી હતી. આ ફિલ્મને તેની મજબૂત વાર્તા અને અક્ષય, માધવન અને અનન્યાના અભિનય માટે પ્રશંસા મળી છે. જોકે આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ