Lata Mangeshkar : લતા મંગેશકર નૂરજહાંને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા… વાંચો દિલચસ્પ કિસ્સો

Lata Mangeshkar : સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની 94મી જન્મજયંતી છે. શું તમે જાણો છો લતા મંગેશકર કોને પોતાના આઇડલ માનતા હતા? ફ્રી ટાઇમમાં લતાજી તેના જ ગીતો સાંભળતા હતા.

Lata Mangeshkar : સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની 94મી જન્મજયંતી છે. શું તમે જાણો છો લતા મંગેશકર કોને પોતાના આઇડલ માનતા હતા? ફ્રી ટાઇમમાં લતાજી તેના જ ગીતો સાંભળતા હતા.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
lata Mangeshkar| lata Mangeshkar Birthday| lata Mangeshkar Ideol| Noor Jahan

lata Mangeshkar and Noor Jahan

સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની 94મી જન્મજયંતી છે. 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની યાદો તેમના ચાહકોના દિલમાં હજુ પણ તાજી છે. શું તમે જાણો છો લતા મંગેશકર કોને પોતાના આઇડલ માનતા હતા? ફ્રી ટાઇમમાં લતાજી તેના જ ગીતો સાંભળતા હતા.

Advertisment

લત્તા મંગેશકરે તેના કરિયની શરૂઆત મરાઠી ગીતોથી કરી હતી. તે સમયે એક નામ ખુબ જ પોપ્યુલર હતું. તેનું નામ નૂરજહાં હતું. પરંતુ પાકિસ્તાનના વિભાજન પછી નૂરજહાં મલ્લિકા એ તરન્નુમ તરીકે પ્રચલિત થયા. લત્તા મંગેશકર નૂરજહાંને પોતાના આઇડલ માનતા હતા.

મીડિયા અહેવાલ અનુસાર, લતા મંગેશકરનો અવાજ એટલો અદભૂત હતો કે તેની તુલના નૂરજહાંથી થવા લાગી હતી. જ્યારે નૂરજહાંએ પણ લતાજી અંગે મોટી વાત કહી હતી. નૂરજહાંએ કહ્યું હતુ કે, 'લતાજી એક દિવસ ખુબ મોટા સિંગર બનશે.'

Advertisment

આ પણ વાંચો : Lata Mangeshkar : આ ટોપ 10 સદાબહાર ગીતોએ લત્તા મંગેશ્કરને સુરોના મહારાણી બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર અને નૂરજહાં વચ્ચે ખુબ સારું બોન્ડિંગ હતું. એક સમયે તે બંને એક બીજાને જોઇને રડવા લાગી હતી. ભારત-પાકિસ્તાનના વિભાજન પછી જ્યારે લતાજી અને નૂરજહાં સરહદ પર મળ્યા હતા તે સમયે બંને ભાવુક થઇ રડવા લાગી હતી.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ