Malaika Arora Father Funeral : મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા અંતિમ સંસ્કાર | પુત્ર અરહાન, પૂર્વ પતિ અરબાઝ ખાન પણ પત્ની સાથે રહ્યા હાજર

Malaika Arora Father Funeral : મલાઈકા બુધવારે સવારે પુણેમાં હતી, પરંતુ તેના સાવકા પિતાના મૃત્યુની જાણ થતાં જ તે મુંબઈ પરત દોડી ગઈ હતી. તેના પૂર્વ પતિ અરબાઝ ખાન તેના પહોંચતા પહેલા બાંદ્રામાં અરોરાના ઘરે પહોંચી ગયા હતા.

Malaika Arora Father Funeral : મલાઈકા બુધવારે સવારે પુણેમાં હતી, પરંતુ તેના સાવકા પિતાના મૃત્યુની જાણ થતાં જ તે મુંબઈ પરત દોડી ગઈ હતી. તેના પૂર્વ પતિ અરબાઝ ખાન તેના પહોંચતા પહેલા બાંદ્રામાં અરોરાના ઘરે પહોંચી ગયા હતા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Malaika Arora Father Funeral

મલાઈકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર, પુત્ર અરહાન, પૂર્વ પતિ અરબાઝ ખાન પણ પત્ની સાથે રહ્યા હાજર

Malaika Arora Father Funeral : ટેલિવિઝન અને ફિલ્મ પર્સનાલિટી મલાઈકા અરોરા (Malaika Arora) ના સાવકા પિતા અનિલ મહેતા (Anil Mehta) નું બુધવારે આત્મહત્યા (suicide) દ્વારા મૃત્યુ થયું હતું. તે 62 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના સાંતાક્રુઝ હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહના વિઝ્યુઅલ્સમાં મલાઈકા તેની માતા, જોયસ પોલીકાર્પ અને તેના પુત્ર, અરહાન ખાન સાથે આવી રહી હતી. અર્જુન કપૂર અને અરબાઝ ખાન પણ અંતિમ સંસ્કાર માટે પહોંચતા હતા. અરબાઝ તેની પત્ની શુરા ખાન સાથે જોવા મળ્યો હતો.

Advertisment

મલાઈકા બુધવારે સવારે પુણેમાં હતી, પરંતુ તેના સાવકા પિતાના મૃત્યુની જાણ થતાં જ તે મુંબઈ પરત દોડી ગઈ હતી. તેના પૂર્વ પતિ અરબાઝ ખાન તેના પહોંચતા પહેલા બાંદ્રામાં અરોરાના ઘરે પહોંચી ગયા હતા, ત્યારબાદ તેનો પુત્ર અરહાન ખાન પણ હતો. થોડી જ વારમાં સલીમ ખાન, સલમા ખાન, હેલન, સોહેલ ખાન, અલવીરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાન સહિત ખાન પરિવાર પણ આવી પહોંચ્યો હતો. મલાઈકાનો એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેને સપોર્ટ કરવા માટે હાજર હતો. તેના મિત્રો કરીના કપૂર , સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને અન્ય લોકો પણ અરોરાના ઘરે પહોંચ્યા હતા.

Advertisment

આ પણ વાંચો: Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ। આર્મીમાં જવા માંગતી હતી, નેપોટિઝમના કારણે ઘણી ફિલ્મો ગુમાવી

અનિલ મહેતાના મૃત્યુથી તેના પરિવાર અને પ્રિયજનોને આઘાત લાગ્યો હતો. આ દુ:ખદ ઘટનાની હજુ પોલીસ તપાસ કરી રહી છે. બાંદ્રા પોલીસના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું , “પ્રથમ દૃષ્ટિએ, આ આત્મહત્યાનો મામલો લાગે છે, પરંતુ અમે ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.” મલાઈકાની માતા જોયસ પોલીકાર્પે પણ બુધવારે સાંજે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું.

આ પણ વાંચો: મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરા છઠ્ઠા માળેથી નીચે પડતા મોત, અકસ્માત કે આત્મહત્યા?

મોડી રાત્રે મલાઈકા અને તેની બહેન અમૃતા ઘરની બહાર નીકળતી જોવા મળી હતી. અર્જુન મલાઈકાને તેની કાર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે ત્યાં હતો. બિલ્ડીંગની બહાર ઘણા બધા ફોટોગ્રાફરો ઉભા હોવાથી, વરુણ ધવને તેના સોશિયલ મીડિયા પર તેમના વર્તનને અસંવેદનશીલ ગણાવ્યું છે અને શેર કર્યું કે, 'જે લોકો શોક મનાવી રહ્યા છે તેમના ચહેરા પર કૅમેરા રાખવાએ સૌથી અસંવેદનશીલ બાબત છે, કૃપા કરીને વિચારો કે તમે શું કરી રહ્યા છો અથવા તમે વિચારો કે કોઈ વ્યક્તિ કેવા સમય માંથી પસાર રહી છે. હું સમજું છું કે તે તમારું કામ છે પરંતુ કેટલીકવાર અન્ય માણસ આ # માનવતા સાથે ઓકે ન હોઈ શકે.'

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ