/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/munwwar-rana.jpg)
Munawwar Rana : મશહૂર શાયર મુનવ્વર રાણાનું હાર્ટ એટેકથી અવસાન
'મિટ્ટી મેં મિલા દે કિ જુદા હો નહીં શકતા, અબ ઇસે જ્યાદા મેં તેરા હો નહીં શક્તા' શાયર મુનવ્વર રાણાનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. તેમણે 71 વર્ષની વયે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પુત્રી સુમૈયા રાણાએ મૃત્યુની માહિતીની પુષ્ટિ કરી છે. તેમની માતા પર લખેલી શાયરીઓને કારણે તેઓ સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા.
શાયર મુનવ્વરના તેમના અંતિમ સંસ્કાર રાયબરેલીમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ખરાબ તબિયતના કારણે તેમને લખનૌની સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત વધુ લથડતા તેમને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. મુનવ્વરના પરિવારે તેમને દિલ્હી એઈમ્સમાં શિફ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
મુનવ્વર રાણાનો જન્મ 26 નવેમ્બર 1952ના રોજ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના એક ગામમાં થયો હતો. દેશના ભાગલા વખતે તેમનો મોટા ભાગનો પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. પરંતુ તેના પિતાએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. આ પછી તેમનો પરિવાર કોલકાતા ગયો, જ્યાં યુવાન મુનવ્વરે તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું.
મુનવ્વર રાણા પણ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. પિત્તાશયના ચેપને કારણે ગયા વર્ષે મે મહિનામાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે પછી તેઓ લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહ્યા. તેઓ બીપી અને સુગરના પણ દર્દી હતા. તેમના નિધનના સમાચાર મળતા જ તેમના ઘરે લોકોની ભીડ ઉમટી પડી હતી.
2017માં ફેફસાં અને ગળામાં ઈન્ફેક્શન થયું હતું મુનવ્વર રાણા ઘણા વર્ષોથી ડાયાલિસિસ કરાવી રહ્યા છે. વર્ષ 2017માં પણ છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. ફેફસાં અને ગળામાં પણ ઈન્ફેક્શન હતું. આ પછી તેને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યો. તેના બંને ઘૂંટણનું પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. કિડનીની સમસ્યાને કારણે તેમની દિલ્હીમાં સારવાર પણ ચાલી રહી હતી.
મુનવ્વર રાણાને વર્ષ 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરીને . જો કે વર્ષ 2015માં અસહિષ્ણુતા વધવાના નામે એવોર્ડ પરત કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ખેડૂતોના આંદોલન દરમિયાન તેમણે કહ્યું હતું કે સંસદ ભવન તોડીને ત્યાં ફાર્મ બનાવવું જોઈએ.
મુનવ્વર રાણા અવારનવાર વિવાદોમાં રહેતા હતા. રામ મંદિર પરના નિર્ણય બાદ તેમણે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર સવાલ ઉઠાવ્યા હતા. તે જ સમયે, ખેડૂતોના આંદોલન દરમિયાન તેમણે કહ્યું હતું કે સંસદ ભવન તોડીને ત્યાં ફાર્મ બનાવવું જોઈએ.
2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન-માઇગ્રેશન અને જિન્ના જેવા શબ્દો ચર્ચામાં હતા. આ દરમિયાન કવિ મુનવ્વર રાણાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હાલની સરકાર હિજરતનો નારો લગાવી રહી છે, પરંતુ ભાજપ સરકારમાં મુસ્લિમોમાં એટલો ડર છે કે કોઈ બોલી શકતું નથી. જો હજુ પણ ઓવૈસીની મદદથી ભાજપ સરકાર આવશે તો અમારે અહીં રહેવાની જરૂર નથી, હું અહીંથી હિજરત કરીશ. તેમણે RSSની તુલના તાલિબાન સાથે કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us