પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સંગ સગાઇ કર્યા બાદ મુંબઇ માટે દિલ્હીથી રવાના, તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું...હું મારું દીલ...

Parineeti chopara: સગાઇના ત્રણ દિવસ બાદ પરિણીતી મુંબઈ જવા રવાના થઈ હતી અને તેણે દિલ્હી એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી.

Parineeti chopara: સગાઇના ત્રણ દિવસ બાદ પરિણીતી મુંબઈ જવા રવાના થઈ હતી અને તેણે દિલ્હી એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Raghav Chadha-Parineeti Chopra Engagement

અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે દિલ્હીમાં રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી (તસવીર -પરિણીતી ચોપરા ઇન્સ્ટાગ્રામ)

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મેના રોજ રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે નવી દિલ્હીમાં સગાઈ કરી હતી. સગાઈ સમારોહમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. ત્યારે સગાઇના ત્રણ દિવસ બાદ પરિણીતી મુંબઈ જવા રવાના થઈ હતી અને તેણે દિલ્હી એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી.

Advertisment

પરિણીતીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરેલી તસવીરમાં લખ્યું, બાય દિલ્હી. મારા દિલને પાછળ છોડીને. સગાઈ બાદ પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે હૃદય સ્પર્શી સંદેશ લખ્યો હતો. તેણીએ લખ્યું, “રાઘવ અને હું છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિપુલ પ્રમાણમાં પ્રેમ અને સકારાત્મકતાથી અભિભૂત થયા છીએ, ખાસ કરીને અમારી સગાઈ પર. અમે બંને અલગ-અલગ દુનિયામાંથી આવ્યા છીએ, અને એ જાણવું અદ્ભુત છે કે આપણું વિશ્વ પણ આપણા સંઘ સાથે જોડાય છે. અમે જે વિચાર્યું હતું તેના કરતાં અમારું મોટું કુટુંબ છે.

publive-image

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, અમે જે કંઈ વાંચ્યું/જોયું છે તેનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને અમે તમારો પૂરતો આભાર નથી માની શક્તા. તમે બધા અમારી સાથે ઉભા છો એ જાણીને અમે આ યાત્રા શરૂ કરી છે. મીડિયામાંના અમારા અદ્ભુત મિત્રો માટે એક ખાસ કે આખો દિવસ ત્યાં રહેવા અને અમારા માટે ઉત્સાહ આપવા બદલ આભાર.

આ પણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન ‘જુમ્મા ચુમ્મા’ સિગ્નેચર સ્ટેપને વલ્ગર માનતા હતા અને તેને….

Advertisment

આ કપલે સમારોહની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા દ્વારા તેમની સગાઈની જાહેરાત કરી હતી. પરિણીતીએ તસવીરો સાથે કેપ્શન આપ્યું, "મેં જે માટે પ્રાર્થના કરી હતી.. મેં હા કહ્યું!"

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ