Parineeti Chopra Raghav Chadha : બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપ નેતા રાધવ ચઢ્ઢા પોતાના ખાસ સંબંધોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ યુગલે 13 મેના રોજ સગાઇ કરી રિલેશનશીપ પર સત્તાવાર મુહર લગાડી દીધી છે. હવે ચાહકો આ કપલ ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. સમાચાર આવી રહ્યા છે કે પરિણીતી અને રાઘવના લગ્નની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયું છે.
સગાઈ પછી પરિણીતીના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે વહેલી તકે રાઘવની દુલ્હન બને. લાગે છે કે તેમની રાહનો અંત આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આ વર્ષે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. પ્રાપ્ત વિગત અનુસાર, બંનેના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે.
રિપોર્ટ્સ અનુસાર લગ્નના લગભગ 10 દિવસ પહેલા કપલ તમામ તૈયારીઓ શરૂ કરી દેશે. સાથે જ તેમના લગ્ન પણ ભવ્ય રીતે થશે. લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત ખાસ મિત્રો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવશે. આ ફંક્શનમાં 200 લોકો સામેલ થયાના સમાચાર છે. મોટાભાગના મહેમાનોને ઓબેરોય હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
નોંધનીય છે કે, પરિણીતી અને રાઘવ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. આ કપલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. જો કે, ત્યારે તેઓ રિલેશનશિપમાં નહોતા. તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટ પરથી શરૂ થઈ હતી. ત્યારે રાઘવ એક મિત્ર તરીકે અભિનેત્રીને મળવા ગયો હતો. આ પછી તેમની મુલાકાતોનો સિલસિલો વધતો ગયો. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, કપલે 13 મેના રોજ તેમને સગાઈ કરી.





