Parineeti Chopra Raghav Chadha : લવબર્ડ્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ છેલ્લ કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ સ્ટાર કપલે 13 મેના રોજ સગાઇ પોતાના સંબંધો પર સત્તાવાર મુહર લગાડી દીધી. હાલમાં જ બંને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં પણ જોવા મળ્યા હતા. જ્યાં તેમણે ગુરુદ્વારામાં આશીર્વાદ લીધા હતા અને સેવા પણ કરી હતી. હવે ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે પરિણીતી-રાઘવના લગ્ન સ્થળ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કપલ ઓક્ટોબરમાં ગમે ત્યારે લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર પરી-રાઘવ ગુરુગ્રામમાં રિસેપ્શનનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે અન્ય એક સમાચાર હતા કે આ કપલ મુંબઈ, ચંદીગઢ અને ગુરુગ્રામમાં ત્રણ રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. જો કે હવે માત્ર એક જ રિસેપ્શન આપવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
રાઘવ-પરિણિતીનું રિસેપ્શન ધ લીલા એમ્બિયન્સ હોટેલ ગુરુગ્રામમાં યોજવામાં આવી શકે છે. તાજેતરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના માતા-પિતા ફૂડ ટેસ્ટિંગ સેશન માટે હોટલ પહોંચ્યા હતા. બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.
બંનેના માતા-પિતા ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચ્યા હતા, ત્યાં તેમના માટે વિશાળ મેનુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હી રાઘવનું જન્મસ્થળ છે, તેથી તેના મોટાભાગના મિત્રો અને અન્ય મહેમાનો પણ દિલ્હીના છે. પરિણીતી પણ બોલિવૂડની એક મોટી સેલિબ્રિટી છે, તેથી જો એક જ રિસેપ્શન આપવાનું આયોજન હોય તો અપેક્ષા રાખવામાં આવે છે કે તેમાં કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. અને હવે જોવાનું એ રહેશે કે આ પ્રેમી યુગલ ક્યારે તેમના લગ્નની જાહેરાત કરે છે.





