Raj Kapoor : દિવગંત અભિનેતા રાજ કપૂરના જીવનના રસપ્રદ કિસ્સા, આ એક્ટ્રેસના પ્રેમમાં પોતાની જાતને સળગાવી…

રાજ કપૂર બર્થ એનિવર્સરીઃ રાજ કપૂરને જમીન પર સૂવાની આદત હતી. તે પલંગ પર નહીં પણ જમીન પર સૂતો હતો. પરંતુ જ્યારે નરગીસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તે આખી રાત બાથટબમાં બેસીને દારૂ પીતી હતી.

રાજ કપૂર બર્થ એનિવર્સરીઃ રાજ કપૂરને જમીન પર સૂવાની આદત હતી. તે પલંગ પર નહીં પણ જમીન પર સૂતો હતો. પરંતુ જ્યારે નરગીસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તે આખી રાત બાથટબમાં બેસીને દારૂ પીતી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Raj Kapoor | Raj Kapoor Birthday | Raj Kapoor and Nargis Love Story | Raj Kapoor Movies | Raj Kapoor Songs

Raj Kaooor : દિવગંત અભિનેતા રાજ કપૂરના જીવનના રસપ્રદ કિસ્સા

Raj kapoor Birthday : હિન્દી સિનેમાના શોમેન અને દિવગંત અભિનેતા રાજ કપૂર (Raj Kapoor) નો આજે 14 ડિસેમ્બરે જન્મદિવસ છે. તેણે પોતાના જીવનમાં ઘણું હાંસલ કર્યું હતુ, પરંતુ પ્રેમના મામલામાં તેનું નસીબ તેને સાથે આપી રહ્યો નહતો. રાજ કપૂરની ફિલ્મોની સાથે-સાથે તેમના કામ, તેમના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થતી હતી. આજે પણ લોકો તેમના કિસ્સાઓ યાદ કરે છે. આજે આ અહેવાલમાં રાજ કપૂર સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સા શેર કર્યા છે, જે તમે કદાચ નહીં જાણતા હોય.

Advertisment

રાજ કપૂર પહેલાથી જ પરિણીત હતા છતાં તેઓ અભિનેત્રી નરગીસના પ્રેમમાં પડ્યા હતા. રાજ કપૂર તેમના જીવનમાં ઘણી વખત પ્રેમમાં પડ્યા હતા અને આ વાતનો ખુલાસો તેમના પુત્ર સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરે કર્યો હતો. રાજ કપૂરની પહેલી દિગ્દર્શિત ફિલ્મ 'આગ' હતી. આ ફિલ્મમાં નરગીસ હીરોઈન હતી. આ દરમિયાન તેમની નિકટતા વધવા લાગી. નરગીસ રાજ કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેની માતાના ડરથી તેમ કરી શકી નહીં. જ્યારે તેની માતાનું અવસાન થયું ત્યારે તે ખુલ્લેઆમ રાજકપૂર સાથે રહેવા લાગી.

જો કે રાજ કપૂર પહેલેથી જ કૃષ્ણા સાથે પરણેલા હતા અને તેઓ પ્રેમી માટે પત્નીને છોડવા તૈયાર ન હતા. એવું કહેવાય છે કે નરગીસ રાજ કપૂરના પ્રેમમાં એટલી બધી હતી કે તેણે તેની ફિલ્મને ફાઇનાન્સ કરવા માટે તેના ઘરેણાં પણ વેચી દીધા. તેમનો સુંદર સંબંધ 9 વર્ષ સુધી ચાલ્યો, પરંતુ રાજ કપૂર તેમની સાથે લગ્ન ન કરી શક્યા. અંતે નરગીસે સંબંધ તોડી નાંખ્યો.

રાજ કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ નરગીસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા. રાજ કપૂર આ સહન ન કરી શક્યા અને તેઓ દુઃખી થવા લાગ્યા હતા. રાજ કપૂરે રાત્રે ઊંઘવાનું બંધ કરી દીધું હતું અને તે આખી રાત બાથટબમાં બેસીને દારૂ પીતા હતા અને રડતા હતા. કહેવાય છે કે નરગીસના દુઃખમાં રાજ કપૂરે ઘણી વખત સિગારેટથી પોતાની જાતને સળગાવી દીધા હતા.

Advertisment

આ પણ વાંચો : Google Search 2023 : આ વર્ષે ગૂગલ પર શાહરૂખ ખાનની ‘પઠાણ’ નહીં આ ફિલ્મ ટોપ પર રહી, જાણો ટોપ 10 મુવી

એવી પણ બાતમી છે કે, રાજ કપૂરને પલંગ પર સૂવાની આદત નહોતી. તે જમીન પર પથારી કરીને સૂતા હતા. આ આદતને કારણે તેને લંડનમાં દંડ ભરવો પડ્યો હતો. તે લંડનની એક પ્રખ્યાત હોટલમાં રોકાયા હતા અને ત્યાં જમીન પર સૂતા હતા. એક દિવસ તેણે ના પાડી અને તે સંમત ન થયો. પછી બીજા દિવસે પણ તેણે આવું જ કર્યું, જેના કારણે તેને દંડ ભરવો પડ્યો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ