આવતીકાલે બોલિવૂડમાં કામકાજ પર લાગશે બ્રેક : આ સ્ટાર્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ

Ram Mandir Opening : આવતીકાલે તા. 22 જાન્યુઆરી, 2024 અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ દિવસે રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રસંગ પર કેટલાક રાજ્યોએ રજા જાહેર કરી છે. ત્યારે બોલિવૂડને લઇને પણ મોટો નિર્ણય લેવાયો છે.

Ram Mandir Opening : આવતીકાલે તા. 22 જાન્યુઆરી, 2024 અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ દિવસે રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રસંગ પર કેટલાક રાજ્યોએ રજા જાહેર કરી છે. ત્યારે બોલિવૂડને લઇને પણ મોટો નિર્ણય લેવાયો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ram Mandir Ayodhya | Ram Mandir Opening | Ram Mandir inaugration Bollwood Holiday

રામ મંદિર અયોધ્યા ઉદ્ધાટનના પ્રસંગ પર બોલિવૂડમાં કામકાજ પર લાગશે બ્રેક

આવતીકાલે તા. 22 જાન્યુઆરી, 2024 અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ દિવસે રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક દેશવાસી રામમંદિર નિર્માણથી ખુશ છે. આ પ્રસંગ પર કેટલાક રાજ્યોએ રજા જાહેર કરી છે. તેમજ 22 જાન્યુઆરીના રોજ બોલિવૂડમાં ફિલ્મોનું શૂટિંગ બંધ રહેશે.

Advertisment

FWICE પ્રમુખ બીએન તિવારીએ આની જાહેરાત કરી છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે આ ખાસ અવસર પર રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસે કોઈ ફિલ્મનું શૂટિંગ થશે નહીં. તિવારીનું માનવું છે કે આ દિવસે તમામ લોકો રજા પર હશે.

આટલું જ નહીં, બીએન તિવારીએ વધુમાં કહ્યું કે જો કોઈ પ્રકારની કટોકટીની સ્થિતિ હોય તો માન્ય કારણ સાથેનો વિનંતી પત્ર જરૂરી રહેશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવશે.

આ પણ વાંચો : હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઈટર’નું શૂટિંગ રિયલ એરબેઝ પર થયું છે?

Advertisment

આ બોલિવૂડ સ્ટાર્સને મળ્યું છે આમંત્રણ

તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડ સહિત દેશની મોટી હસ્તીઓ આવવાની છે. તેમાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારોને પણ સામેલ કરવામાં આવશે. સ્ટાર્સની યાદી પર નજર કરીએ તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઉપરાંત અનુપમ ખેર, અજય દેવગન, સની દેઓલ, હેમા માલિની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મધુર ભંડારકર અને સંજય લીલા ભણસાલીને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથેસાથે મેગાસ્ટાર ચિરંજીવી, રજનીકાંત, ઋષભ શેટ્ટી, યશ, પ્રભાસ અને મોહનલાલ અને દક્ષિણના અન્ય સ્ટાર્સ અયોધ્યા પહોંચવાના છે.

Ayodhya રામ મંદિર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ