/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ranveer-singh-instagram.jpg)
રણવીર સિંહએ કેમ દીપિકા પાદુકોણ સાથેની લગ્ની તસવીરો ડિલીટ કરી? જાણો શું છે હકીકત
જો મોટા સ્ટાર્સ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કંઈપણ પોસ્ટ શેર કરે અથવા દૂર કરે છે, તો યૂઝર્સને તરત જ તેની જાણ થઈ જાય છે. હાલમાં રણવીર સિંહે પણ કંઈક આવું જ કર્યું છે. હાલમાં રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 24 જાન્યુઆરી 2023 પહેલાની કોઈ પોસ્ટ દેખાતી નથી. આ અહેવાલમાં સમગ્ર ઘટના વિષે વિસ્તૃત વાંચો.
રણવીર સિંહના ઇન્સ્ટાગ્રામ પર આખરી પોસ્ટ એડિડાસની જોવા મળી રહી છે. હવે, રણવીરે પોતે આ કારનામું કર્યું છે કે પછી તેની પાસે કોઈ ટેકનિકલ સમસ્યા છે, આ અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 2018માં લગ્ન કર્યા હતા. હવે જ્યારે તેના એકાઉન્ટ પર 2023થી જૂની પોસ્ટ્સ દેખાતી નથી, ત્યારે માનવામાં આવે છે કે લગ્નના ફોટા પણ ડિલીટ કરવામાં આવ્યા છે.
રણવીર સિંહને ઇન્સ્ચાગ્રામ પર 4 કરોડ 7 લાખથી વધુ લોકો ફોલો કરે છે. હાલમાં તેના હેન્ડલ પર 133 પોસ્ટ દેખાઈ રહી છે. દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ પર 79 મિલિયન એટલે કે લગભગ 7 કરોડ 90 લાખ ફોલોઅર્સ છે.
દીપિકા પાદુકોણના એકાઉન્ટ પર પણ આ ફેરફાર જોવા મળી રહ્યો છે. લગ્ન અને રિસેપ્શનની તમામ તસવીરો દીપિકાના એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. દીપિકાએ લગ્ન પહેલા તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us