રણવીર સિંહ ની મુવી ધૂરંધર ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ, લદ્દાખની હોસ્પિટલમાં ભરતી, ખોરાકના નમૂનાની તપાસ શરૂ

ધૂરંધર મુવી ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ | ધૂરંધર નું શૂટિંગ લદ્દાખમાં ચાલી રહ્યું હતું ત્યારે 120 થી વધુ ક્રૂ મેમ્બર્સ બીમાર પડતાં લેહની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધૂરંધર મુવી ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ | ધૂરંધર નું શૂટિંગ લદ્દાખમાં ચાલી રહ્યું હતું ત્યારે 120 થી વધુ ક્રૂ મેમ્બર્સ બીમાર પડતાં લેહની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ધુરંધર મુવી | Dhurandhar movie | Ranveer Singh | રણવીર સિંહ | ધૂરંધર મુવી | ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ | ધુરંધર રણવીર સિંહ

Dhurandhar Movie Crew Members Suffer Food Poisoning In Gujarati

Ranveer Singh Dhurandhar Movie | રણવીર સિંહ (Ranveer Singh) ની ખૂબ જ રાહ જોવાતી મુવી ધૂરંધર (Dhurandhar) ને અણધાર્યો ઝટકો લાગ્યો છે. ANIના એક અહેવાલ મુજબ, લદ્દાખમાં શૂટિંગ દરમિયાન ફિલ્મના ઘણા ક્રૂ સભ્યોને ફૂડ પોઇઝનિંગ (food poisoning) નો ભોગ બનવું પડ્યું હતું. વધુમાં અહીં જાણો

Advertisment

ધૂરંધર નું શૂટિંગ લદ્દાખમાં ચાલી રહ્યું હતું ત્યારે 120 થી વધુ ક્રૂ મેમ્બર્સ બીમાર પડતાં લેહની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધૂરંધર મુવી ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ (Dhurandhar Movie Crew Members Suffer Food Poisoning)

અહેવાલ મુજબ, આ ઘટના રવિવારે બની હતી, જ્યારે અસરગ્રસ્ત ક્રૂ મેમ્બર્સને લેહની SNM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. SNM હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે ANI ને જણાવ્યું કે, "દર્દીઓની ભીડ ખૂબ જ વધારે હોવાથી અમારા ડોકટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. દિવસના અંત સુધીમાં, અમારી પાસે લગભગ 120 દર્દીઓ દાખલ થયા હતા. પરિસ્થિતિ સારી રીતે સંભાળવામાં આવી હતી, અને તે બધાની સારવાર કરવામાં આવી હતી.' તેણે વધુમાં જણાવ્યું કે મોટાભાગના દર્દીઓ હવે સ્થિર હાલતમાં છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે પાંચ દર્દીઓ નિરીક્ષણ હેઠળ છે.

Advertisment

અધિકારીએ એ પણ પુષ્ટિ આપી કે કોઈ જાનહાનિ થઈ નથી. તેણે કહ્યું કે, "કેટલાક ગંભીર ડિહાઇડ્રેશન સાથે આવ્યા હતા, જ્યારે અન્યને પેટમાં દુખાવો, ઉલટી, તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને માથાનો દુખાવો હતો. અમને જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઘણી મદદ મળી હતી, અને અમે સારવાર અને ભીડના સંચાલન માટે થોડા દર્દીઓને સ્થાનાંતરિત કરવામાં સફળ રહ્યા હતા.'

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે વેબસાઇટને પુષ્ટિ આપી કે દર્દીઓ આ વિસ્તારમાં બોલિવૂડ ફિલ્મના શૂટિંગ ક્રૂનો ભાગ હતા. તેણે કહ્યું કે "આ ફિલ્મના સેટ પર બન્યું હતું. દેખીતી રીતે તેઓએ સેટ પર ભોજન લીધું હતું અને તેમને ઝાડા અને ઉલટી થઈ હતી. ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, અને અંતિમ અહેવાલો આવવાના બાકી છે.'

જ્યારે અહેવાલો દાવો કરે છે કે આ ઘટના રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ના સેટ પર બની હતી , ત્યારે નિર્માતાઓએ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Thama Teaser | થામા ટીઝર, રશ્મિકા મંદાના- આયુષ્માન ખુરાના ની ભયાનક લવસ્ટોરી, મલાઈકા અરોરા ડાન્સ કરતી જોવા મળી, જુઓ ટીઝર

ધુરંધર (Dhurandhar)

ધુરંધર (Dhurandhar) ફિલ્મનું લેખન, દિગ્દર્શન અને નિર્માણ આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે , જેમણે અગાઉ વિકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ ઉરીનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારો છે.

ધુરંધર (Dhurandhar) એ થોડા દિવસ પહેલા નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો, જેમાં લાંબા વાળ અને દાઢીમાં રણવીર સિંહ ઉગ્ર લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધારા દ્વારા કરવામાં આવ્યું છે અને તે 5 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થવાની છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ