રણવીર સિંહ ધુરંધર ટીમની તબિયત બગડવાનું મોટું કારણ આવ્યું સામે

રણવીર સિંહ ધુરંધર ટીમની બીમારીનું કારણ | રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત મુવી ધુરંધર (Dhurandhar) ટિમ મેમ્બર્સ બીમાર પડ્યા હતા, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે દ્વારા કારણ જણાવ્યું છે.

Written by shivani chauhan
August 21, 2025 14:58 IST
રણવીર સિંહ ધુરંધર ટીમની તબિયત બગડવાનું મોટું કારણ આવ્યું સામે
ranveer singh dhurandhar team illness reason

Ranveer Singh Dhurandhar Team Illness Rason | રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત મુવી ધુરંધર (Dhurandhar) ના શૂટિંગ દરમિયાન થોડા દિવસો પહેલા ટીમના ઘણા સભ્યો લેહમાં અચાનક બીમાર પડી ગયા હતા, જેના કારણે તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી હતી. શરૂઆતના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ સમસ્યા સેટ પરના ખોરાકની ક્વોલિટી નબળી હોવાને કારણે અથવા ખર્ચ ઘટાડવાને કારણે થઈ હતી.

રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત મુવી ધુરંધર (Dhurandhar) ટિમ મેમ્બર્સ બીમાર પડ્યા હતા, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે દ્વારા કારણ જણાવ્યું છે.

રણવીર સિંહ ધુરંધર ટીમની બીમારીનું કારણ

સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું કે આ ઘટના લેહમાં મોટા પાયે ચિકન દૂષણનો ભાગ હતી. ફિલ્મના નિર્માણ દ્વારા પૂરી પાડવામાં આવતી ખોરાક કે સુવિધાઓ સાથે તેનો કોઈ સંબંધ નહોતો. ફિલ્મના સેટ પર 120 લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલો હતા.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘આ આ સમયની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. અહીં ખર્ચ ઘટાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. લેહનો વિસ્તાર શૂટિંગ માટે ખૂબ જ પડકારજનક છે. તે 300 થી વધુ લોકોનું યુનિટ છે. અહીં સ્થાનિક દૂષણનો મુદ્દો હતો જેના કારણે આ બન્યું. આવી વાહિયાત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.’

ધુરંધરનું શૂટિંગ (Dhurandhar shooting)

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોએ ભાર મૂક્યો હતો કે કામદારોની સલામતી હંમેશા પ્રાથમિકતા રહી છે. સૂત્રએ ઉમેર્યું કે, “આરોગ્ય, સ્વચ્છતા અને ક્રૂ સલામતીને હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે અને સપ્લાયરની કડક તપાસ પણ કરવામાં આવી રહી છે. યુનિટે ફરીથી કામ શરૂ કરી દીધું છે.’

ધૂરંધર રિલીઝ ડેટ (Dhurandhar Release)

ધૂરંધર હવે તેના શૂટિંગના છેલ્લા તબક્કામાં છે. વધુ પૂછવામાં આવતા, સૂત્રએ કહ્યું, “થોડા અઠવાડિયાનું શૂટિંગ બાકી છે. અમે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં શૂટિંગ પૂર્ણ કરીશું અને મુંબઈ પાછા આવીશું.” જિયો સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, ધુરંધર એ B62 સ્ટુડિયોનું નિર્માણ છે અને આદિત્ય ધર દ્વારા લખાયેલ, દિગ્દર્શિત અને નિર્મિત છે. આ ફિલ્મ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ