/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Saif-Ali-Khan-Attack-case-police-recreate-the-scene-.jpg)
સૈફ અલી ખાન એટેક કેસ :આરોપીને લઈને પોલીસ અભિનેતાના ઘરે પહોંચી, ક્રાઈમ સીન કર્યો રિક્રિએટ
સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહઝાદને પોલીસ ક્રાઈમ સીન ફરીથી બનાવવા માટે વિવિધ સ્થળોએ લઈ ગઈ હતી. પોલીસ આરોપીને સૈફ અલી ખાનના ઘરે લઈ ગઈ અને આરોપીએ કેવી રીતે હુમલો કર્યો તે જાણવા માટે ઘટનાને ફરીથી રીક્રીએટ કરી હતી.
સૈફ કેસમાં પછી પોલીસ તેને નેશનલ કોલેજ બસ સ્ટોપ પર લઈ ગઈ હતી. આ પછી પોલીસ શહઝાદને બાંદ્રા રેલ્વે સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પણ ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો. આ પછી પોલીસ આરોપીને બાંદ્રા પોલીસ સ્ટેશન પરત લાવી હતી.
સૈફ અલી ખાન હુમલો (Saif Ali Khan Attack)
પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સૈફ અલી ખાન પરના હુમલાની સંપૂર્ણ સત્યતા જાણવા અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા એકત્રિત કરવાનો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈ પોલીસે સૈફ પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે આરોપી બાંગ્લાદેશનો નાગરિક હોઈ શકે છે. પોલીસ હુમલા પાછળ વિદેશી ષડયંત્રના એંગલની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સૈફ હુમલો કેસઃ હુમલા પછી ક્યાં ગયો, ક્યાં સંતાયો, સૈફ પર હુમલો કરનાર શહજાદ અંગે આવ્યા નવા ઈનપુટ
સૈફને તેના બાંદ્રાના ઘરમાં લૂંટના નિષ્ફળ પ્રયાસ દરમિયાન છ વાર એટેક કરવામાં આવ્યો હતો. છરાનો ઘા એક ખતરનાક રીતે તેની કરોડરજ્જુની નજીક થયો હતો, જેના કારણે નુકસાન થયું હતું, જેમાં થોરાસિક સ્પાઇનની ઇજાનો સમાવેશ થાય છે જેના પરિણામે કરોડરજ્જુ પ્રવાહી લીક થાય છે. હુમલા બાદ, અભિનેતાની કરોડરજ્જુની પાસે રહેલ છરીના ટુકડાને દૂર કરવા માટે સર્જરી કરાવી હતી.
સૈફ અલી ખાનની વાત કરીએ તો તે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us