/indian-express-gujarati/media/media_files/2026/01/15/salman-khan-1-2026-01-15-10-16-52.jpg)
Salman Khan : સલમાન ખાન બોલીવુડ અભિનેતા છે. Photograph: (salman khan instagram)
Salman Khan Controversy: સલમાન ખાન અને યુપી સરકારના રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહ ફરી હેડલાઇન્સમાં છે. યુપી સરકારમાં રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહ ફરી એકવાર તેમના નિવેદનને કારણે હેડલાઇન્સમાં છે. આ વખતે એણે બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અલીગઢની મુલાકાતે આવેલા મંત્રીએ સલમાન ખાનને દેશદ્રોહી ગણાવ્યો છે અને તેની સામે કડક સજાની માંગ કરી છે.
સલમાન ખાન પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સમર્થન કરે છે: રઘુરાજ સિંહ
ઠાકુર રઘુરાજ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, સલમાન ખાન દેશદ્રોહી છે. તે પાકિસ્તાનને વધુ પ્રેમ કરે છે. તેણે પાકિસ્તાન જવું જોઈએ. તે ભારતના હિન્દુઓ સાથે ફ્લર્ટ કરીને પૈસા કમાય છે અને પાકિસ્તાનને ટેકો આપે છે. તે બાંગ્લાદેશનું સમર્થન કરે છે, મુસ્લિમોને ટેકો આપે છે અને હિન્દુઓ પાસેથી પૈસા કમાય છે. આવી વ્યક્તિ દેશદ્રોહી છે અને તેને ફાંસીની સજા થવી જોઈએ. ”
સલમાન ખાન અપ્રમાણિક છે
હું ભારતના હિન્દુઓને અપીલ કરું છું કે તેઓ તેમની ફિલ્મો ન જુએ. તે અપ્રમાણિક છે, ચોર છે અને બદમાશ પણ છે. ”
ભાજપના મંત્રીનું આ નિવેદન સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેના અંગે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તીવ્ર બની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us