Sky Force | સ્કાય ફોર્સ સ્ક્રીનિંગ, રક્ષા મંત્રી રાજન્નાથ સિંહ રહ્યા હાજર, ફોટોઝ કર્યા શેર

Sky Force | સ્કાય ફોર્સ ફિલ્મનું નિર્દેશન અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાનીએ કર્યું છે. સ્કાય ફોર્સ એ 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના વળતા હુમલાની સ્ટોરી છે.

Written by shivani chauhan
January 22, 2025 08:37 IST
Sky Force | સ્કાય ફોર્સ સ્ક્રીનિંગ, રક્ષા મંત્રી રાજન્નાથ સિંહ રહ્યા હાજર, ફોટોઝ કર્યા શેર
સ્કાય ફોર્સ સ્ક્રીનિંગ, રક્ષા મંત્રી રાજન્નાથ સિંહ રહ્યા હાજર, ફોટોઝ કર્યા શેર

Sky Force | અક્ષય કુમાર (Akshay Kumar) અને વીર પહાડિયા (Veer Pahariya) ની અપકમિંગ ફિલ્મ સ્કાય ફોર્સ (Sky Force) ના સ્ક્રીનિંગમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એ હાજરી આપી હતી. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ સ્ક્રીનિંગની કેટલીક તસવીરો શેર કરી છે. ફિલ્મ 160 કરોડના બજેટમાં બની છે આ ફિલ્મનું અભિષેક અનિલ કપૂર , સંદીપ કેવલાની દ્વારા કરવામાં આવ્યું છે.

રાજનાથ સિંહે ‘સ્કાય ફોર્સ’ જોઈ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અક્ષય કુમાર, વીર પહાડિયાની ફિલ્મ સ્કાય ફોર્સના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. તેમની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ પણ ફિલ્મ જોઈ હતી. તેણે તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મની સ્ટાર કાસ્ટની તસવીરો પણ શેર કરી છે.

સ્કાય ફોર્સ રિલીઝ ડેટ (Sky Force Release Date)

સ્કાય ફોર્સ ફિલ્મનું નિર્દેશન અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાનીએ કર્યું છે. સ્કાય ફોર્સ એ 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના વળતા હુમલાની વાર્તા છે. સ્કાય ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં નિમરત કૌર અને સારા અલી ખાન પણ જોવા મળશે. ફિલ્મ અંગે વીર પહાડિયાએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર પાત્ર છે. અને મારી એક જ ઈચ્છા છે કે તે લક્ષ્ય ફિલ્મની જેમ કામ કરે… જ્યારે તે ફિલ્મ આવી ત્યારે તેણે 20 વર્ષ સુધી લોકોને સેનામાં જોડાવા અને દેશની સેવા કરવા માટે પ્રેરિત કર્યા હતા.

સ્કાય ફોર્સ ટ્રેલર (Sky Force Trailer)

આ પણ વાંચો: સૈફ અલી ખાન એટેક કેસ | આરોપીને લઈને પોલીસ અભિનેતાના ઘરે પહોંચી, ક્રાઈમ સીન કર્યો રિક્રિએટ

સ્કાય ફોર્સ સ્ટાર વીર પહાડિયાએ એક ઇન્ટરવ્યૂમાં વાત કહી કે “મારી પ્રથમ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ પર કામ કરવું ખૂબ જ ભારે હતું. મારા માટે વાસ્તવિક જીવનના હીરો, સ્ક્વોડ્રન લીડર અજ્જમદા બોપ્પાયાની ભૂમિકા ભજવવાની એક મોટી તક અને જવાબદારી હતી. દેવૈયા જે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયકોમાંના એક હતા, જે આપણે ભારે મતભેદો છતાં જીત્યા હતા, આ સ્ટોરી ભવિષ્યની પેઢીઓને જણાવવી જોઈએ જેથી તેઓ આપણને યાદ રાખી શકે. આપણે આપણા દેશના નાયકો દ્વારા આપણી આઝાદી માટે કરેલા કાર્યથી પ્રેરિત થઈએ.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ