/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/akshay-kumar-22.jpg)
સુધા મૂર્તિએ શાહરૂખ ખાન માટે કહી આ મોટી વાત
ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરનાર સુધા મૂર્તિ એક સામાજિક કાર્યકર હોવાની સાથે સાથે પ્રખ્યાત લેખક અને શિક્ષક પણ છે. સફળતાને આંબનાર સુધા મૂર્તિ પોતાની સાદગી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતની પ્રખ્યાત સોફ્ટવેર કંપની ઇન્ફોસીસ ટેક્નોલોજીના સહ-સ્થાપક, ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પ્રથમ વખત કપિલ શર્મા શોમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે ઓસ્કર વિજેતા ફિલ્મ 'ધ એલિફન્ટ'ના નિર્માતાગુનીત મોંગા તથા રવિના ટંડન પણ હતી. સુધા મૂર્તિએ કપિલ શર્માના શોમાં કિંગ ખાન શાહરૂખ ખાન વિશે ઘણી મોટી વાત કહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે બિઝનેસથી લઈને સોશિયલ વર્ક સુધીના કામમાં સૌથી આગળ રહેનારી સુધા મૂર્તિને ફિલ્મોનો પણ ઘણો શોખ છે. સુધા મૂર્તિએ ઘણી ફિલ્મો જોઈ છે અને તેના વિશે વાત કરતાં કહ્યું, 'મેં ઘણી ફિલ્મો જોઈ છે. મને યાદ છે જ્યારે હું પુણેમાં હતી ત્યારે કોઈએ મને દરરોજ ફિલ્મ જોવાની શરત લગાવી હતી. 365 દિવસમાં મેં દરરોજ એક ફિલ્મ જોઈ.
પોતાના યુવા દિવસો અને મનપસંદ હીરોને યાદ કરતાં તેણે કહ્યું, 'જ્યારે હું નાની હતી ત્યારે મારો ફેવરીટ હીરો દિલીપ કુમાર હતા. તેઓ સિમ્પલી અદ્ભુત હતા. તેમના પછી, જે અભિનેતા આ પ્રકારના ઇમોશન સાથે અભિનય કરી શકે છે તે બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે.
વધુમાં સુધા મૂર્તિએ કહ્યું હતું કે, 'જ્યારે મેં ફિલ્મ 'વીર ઝારા' જોઈ ત્યારે મેં મારી દીકરીને કહ્યું કે, જો આ સમયે દિલીપ કુમાર નાનો હોત તો તે આ ફિલ્મમાં હોત અને હવે તેની જગ્યા શાહરૂખ લઈ રહ્યો છે. ફક્ત તે જ આ કરી શકે છે.
"When i was young, my hero was Dilip Kumar. He was simply laajawab. Next to him, another actor who can act with that kind of emotion is #ShahRukhKhan. When i saw Veer Zaara, i told my daughter- if Dilip Kumar would have been young, he'd have done Veer Zaara!"
: #SudhaMurthypic.twitter.com/gXm9LtRNdC— WAJAHAT ᴷᴷᴿ (@iamwajahat_555) May 15, 2023
કપિલ શર્માના આ એપિસોડમાં સુધા મૂર્તિએ એક કિસ્સો પણ યાદ કર્યો હતો. જેમાં લોકો તેણીના કપડાને કારણે તેને કેટલ ક્લાસ સમજતા હતા. સુધા તે સમયે બિઝનેસ ક્લાસની લાઇનમાં વ્યસ્ત હતી અને લોકોને લાગ્યું કે તે કેટલ ક્લાસની છે. પછી તેમને એમ પણ કહ્યું કે
વર્ગને કિસી કહેવાય છે.
આ પણ વાંચો: રણબીર કપૂરે ખોલી પોલી, કહ્યું જો તમે પ્રેમમાં નથી તો…
ઉલ્લેખનીય છે કે, સુધા મૂર્તિ પણ ખૂબ જ પ્રભાવશાળી લેખિકા છે. સામાન્ય લોકોની સમસ્યાઓને પોતાના વિચારોથી વણીને તેમણે આઠ નવલકથાઓ લખી છે. તેણીએ તેના તમામ પુસ્તકોમાં સ્ત્રી પાત્રોને ખૂબ જ મજબૂત અને તેમના સિદ્ધાંતોને વળગી રહેવા દર્શાવ્યા છે. તેમણે ક્રાઈસ્ટ યુનિવર્સિટીમાં પણ ભણાવ્યું છે અને બે પ્રવાસવર્ણનો, બે ટેકનિકલ પુસ્તકો અને અન્ય ઘણા પુસ્તકો લખ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us