Suhani Bhatnagar : દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરના માતા-પિતાએ તેના મૃત્યુનું કારણ જણાવ્યું

Suhani Bhatnagar : સુહાની ભટનાગર (Suhani Bhatnagar) ગ્રેજ્યુએટ થયા પછી અભિનયમાં પાછા ફરવા માંગતી હતી, તે પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી હતી.

Suhani Bhatnagar : સુહાની ભટનાગર (Suhani Bhatnagar) ગ્રેજ્યુએટ થયા પછી અભિનયમાં પાછા ફરવા માંગતી હતી, તે પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
suhani bhatnagar death cause dangal parents gujarati news

suhani bhatnagar death cause સુહાની ભટનાગર મૃત્યુ કારણ માતા પિતા દંગલ

Suhani Bhatnagar : દંગલ (Dangal) અભિનેત્રી સુહાની ભટનાગર (Suhani Bhatnagar) ના માતા-પિતાએ તેના મૃત્યુ અંગે મેડિકલ સમસ્યા વિશે વિગતો શેર કરી છે. બ્લોકબસ્ટર ફિલ્મમાં ચાઈલ્ડ બબીતા ​​કુમારી ફોગટની ભૂમિકા માટે જાણીતા, સુહાનીને દુર્લભ ઓટોઇમ્યુન ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું, અને તેણે પોતાની બીમારીનો ભોગ બનતા પહેલા AIIMSમાં 10 દિવસથી વધુ સમય પસાર કર્યો હતો. તેના મૃત્યુના એક દિવસ પછી તેના માતાપિતાએ મીડિયાને સંબોધિત કર્યું હતું.

Advertisment
suhani bhatnagar death cause dangal parents gujarati news
suhani bhatnagar death cause સુહાની ભટનાગર મૃત્યુ કારણ માતા પિતા દંગલ

આ પણ વાંચો: ચેક રિટર્ન કેસ : જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા ફટકારી

સુહાની ભટનાગરના માતા-પિતાએ મૃત્યુનું કારણ જણાવ્યું

ઈન્ડિયા ટુડે અનુસાર, મીડિયા સાથેની તાજેતરની વાતચીતમાં , સુહાનીના માતા-પિતાએ કહ્યું કે તેને ડર્માટોમાયોસિટિસ હોવાનું નિદાન થયું છે. તેના પિતાના જણાવ્યા અનુસાર, આ દુર્લભ સ્થિતિ લગભગ બે મહિના પહેલા ઓળખવામાં આવી હતી, જ્યારે તેના હાથમાં સોજો આવવા લાગ્યો હતો. બાદમાં આ સોજો તેના શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયો હતો. તેણે કહ્યું કે સુહાનીને હોસ્પિટલમાં મામૂલી ચેપ લાગ્યો હતો, જેના કારણે તેના ફેફસાં સહિત તેના શરીરમાં પ્રવાહી એકઠું થયું હતું. વેન્ટિલેશન હોવા છતાં, તેનું ઓક્સિજન લેવલ નોંધપાત્ર રીતે ઘટી ગયું. તેને આપવામાં આવેલ સ્ટેરોઇડ્સથી તેની રોગપ્રતિકારક શક્તિને અસર થઈ હતી. સુહાનીના પિતાએ કહ્યું, "તેને વેન્ટિલેટર પર રાખ્યા પછી પણ તેનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું, અને પછી ગઈકાલે સાંજે 7 વાગ્યે, એઈમ્સના ડૉક્ટરોએ કહ્યું કે 'તે મૃત્યુ પામી છે'

આ પણ વાંચો: લગ્ન પહેલા આ પ્રખ્યાત અભિનેત્રી સુંદરતા વધારવા માટે ડ્રિપ ચઢાવી રહી, શું હોય છે આ IV ટ્રીટમેન્ટ?

Advertisment

તેની માતાએ કહ્યું કે સુહાની ગ્રેજ્યુએટ થયા પછી અભિનયમાં પાછા ફરવા માંગતી હતી, તે પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી હતી. તેણે કહ્યું, "તે કોલેજમાં ખૂબ જ સારું પરફોર્મ કરી રહી હતી, તેણે છેલ્લા સેમેસ્ટરમાં પણ ટોપ કર્યું હતું. તે દરેક બાબતમાં હોશિયાર હતી અને તે જે પણ કરવા માંગતી હતી તેમાં તે શ્રેષ્ઠ બનવા માંગતી હતી. અમારી દીકરીએ અમને પ્રાઉડ ફીલ કરાવ્યું છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર જઈને તેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સુહાનીના સહ કલાકારો, જેમાં ઝાયરા વસીમ, નિર્દેશક નિતેશ તિવારી અને નિર્માતા કિરણ રાવે પણ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મિર ખાનના પ્રોડક્શન હાઉસે ટ્વીટર પર લખ્યું, ''અમારી સુહાનીના નિધન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમની માતા પૂજાજી અને સમગ્ર પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. આટલી ટેલેન્ટેડ યુવતી, આવી ટીમ પ્લેયર, દંગલ સુહાની વિના અધૂરી હોત. સુહાની, તું હંમેશા અમારા દિલમાં સ્ટાર બનીને રહીશ. રેસ્ટ ઈન પીસ.''

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ