સુશાંત સિંહ રાજપૂતની 5મી પુણ્યતિથિ, પવિત્ર રિશ્તા થી ઓળખ બનાવી, એક્ટરનું વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ કુમાર સિંહ અને ઉષા સિંહને ત્યાં થયો હતો. તેમનું ઘર પટના જિલ્લામાં છે.

Written by shivani chauhan
June 14, 2025 10:57 IST
સુશાંત સિંહ રાજપૂતની 5મી પુણ્યતિથિ, પવિત્ર રિશ્તા થી ઓળખ બનાવી, એક્ટરનું વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે
Sushant Singh Rajput 5th death anniversary | સુશાંત સિંહ રાજપૂતની 5મી પુણ્યતિથિ, પવિત્ર રિશ્તા થી ઓળખ બનાવી, એક્ટરનું વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે 5 મી પુણ્યતિથિ (5th death anniversary) છે. એક તરફ 2020 નું વર્ષ સમગ્ર વિશ્વ પર કોરોના કાળની જેમ છવાઈ રહ્યું હતું, તો બીજી તરફ, જ્યારે કોરોનાની આ લહેર વચ્ચે એક ખુશખુશાલ, પ્રતિભાશાળી અને સુંદર અભિનેતાના મૃત્યુના સમાચાર કાન સુધી પહોંચ્યા, ત્યારે આખું ભારત હચમચી ગયું. હકીકતમાં, 14 જૂન 2020 ના તે દિવસે સુશાંત સિંહ રાજપૂતના ચાહકો, પરિવાર સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે આપણી વચ્ચે ભલે નથી, પરંતુ તેનું સ્મિત, તેની આંખો અને વ્યક્તિત્વ હંમેશા જીવંત રહેશે. સુશાંત જે વાતથી દુખી હતો તે આજ સુધી જાહેર થઈ શક્યું નથી અને ન તો ‘આત્મહત્યા’નો મામલો ઉકેલાઈ શક્યો છે.

સુશાંત સિંહ રાજપૂત જન્મદિવસ (Sushant Singh Rajput Birthday)

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ કુમાર સિંહ અને ઉષા સિંહને ત્યાં થયો હતો. તેમનું પૈતૃક ઘર પટના જિલ્લામાં છે. તેમના પિતા નિવૃત્ત ટેકનિકલ અધિકારી છે અને પટનામાં બિહાર રાજ્ય હેન્ડલૂમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. સુશાંત તેમના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ (Sushant Singh Rajput Death)

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ તેમના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું, સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસ અંગે ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘ગૂંગળામણ’ હોવાનું જણાવાયું હતું. આ હાઇ-પ્રોફાઇલ કેસ અંગે દેશભરમાં ઘણો હોબાળો મચી ગયો હતો.

અમદાવાન વિમાન દુર્ઘટનાને કારણે રશ્મિકા મંદાના ની ફિલ્મ કુબેરાની ઇવેન્ટ મુલતવી

સુશાંત સિંહ રાજપૂત એક એવું નામ છે જેણે ટીવી તેમજ ફિલ્મોમાં પોતાના શાનદાર અને શક્તિશાળી અભિનયથી છાપ છોડી છે. શાંત ચહેરો, સૌમ્ય સ્મિત અને મજબૂત અભિનય કૌશલ્ય સાથે, ‘બિહાર કે લાલ’ સુશાંત સિંહે પોતાના શાનદાર અભિનયથી દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ