/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/sushant-singh-sister.jpg)
સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ
Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું હતું. જોકે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારમાંથી એક કૂપર હોસ્પિટલના કર્મચારી રુપ કુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે, આ ચોંકાવનારા સમાચારે બધાને ચકિત કરી દીધા છે. સુશાંતના પ્રશંસકો પહેલા જ આ ઘટનાને આત્મહત્યા માનતા ન હતા. હવે તેમને આત્મહત્યા ન માનવાનું વધુ એક કારણ મળી ગયું છે. રૂપ કુમારને આ હકીકત પ્રકાશમાં લાવવાને પગલે તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હકીકતમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ આ મામલે CBIને ફરી તપાસ આદરવા હિમાયત કરી છે. આ ઉપરાંત તેને કર્મચારીને સત્ય ઉજાગર કરવા માટે સુરક્ષા આપવામાં આવે તેવી અપીલ કરી છે. સુશાંત સિંહની બહેને ટ્વિટર પર રૂપકુમારનો વીડિયો શેયર કરી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ગુજારિશ કરતા લખ્યું છે કે, આપણે સુનિશ્વિત કરવું જોઇએ કે રૂપકુમાર શાહની સુરક્ષા કરવામાં આવે.
We stand together as a nation for CBI Enquiry! Demanding an unbiased investigation is our right and we expect nothing but the truth to come out. 🙏 #CBIForSSR#Warriors4SSR#justiceforSushanthSinghRajput@PMOIndia@narendramodi@AmitShahpic.twitter.com/5WgkaUQybJ
— Shweta Singh Kirti (@shwetasinghkirt) August 13, 2020
આ સિવાય શ્વેતાએ કહ્યું કે, અમે સીબીઆઇ તપાસ માટે એક રાષ્ટ્રના રૂપમાં સાથે ઉભા છીએ,નિષ્પક્ષ તપાસની માંગ કરવી અમારો અધિકાર છે તેમજ અમે માત્ર સત્ય સામે આવે તેની આશા કરીએ છીએ. શ્લેતા સિંહની આ પોસ્ટ બાદ લોકો તેમના સમર્થનમાં આવી ગયા છે અને સુશાંતને ન્યાય અપાવવાની બુલંગ અવાજમાં માંગ કરી રહ્યા છે.
We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi@AmitShah#SushantSinghRajputhttps://t.co/suY8sCuwrU
— Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022
તમને જણાવી દઇએ કે મોર્ચરીના કર્મચારીના દાવા અનુસાર, સુશાંતની લાશ પર ચોટના નિશાનો હતા. તેમજ સુશાંતના પોસ્ટમોર્ટમ દરમિયાન વીડિયોગ્રાફીને સ્થાને માત્ર તેમની તસવીરો જ ક્લિક કરવામાં આવી હતી. સુશાંતના મૃતદેહને જોતા સાફ લાગી રહ્યુ હતુ કે તેણે આત્મહત્યા નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી ફોરેન્સિક એક્સપર્ટે કર્માચારીના દાવા પર રોષ ઠાલવ્યો છે.
#WATCH | "When I saw Sushant Singh Rajput's body it didn't appear to be a case of suicide. Injuries marks were there on his body. I went to my senior but he said we will discuss it later," says Roopkumar Shah, Mortuary Servant, Cooper Hospital, Mumbai pic.twitter.com/NOXAsaI8uH
— ANI (@ANI) December 26, 2022
ફોરેન્સિક એક્સપર્ટે કહ્યું કે, 'આ કર્મચારી બે વર્ષ સુધી ક્યાં હતો. તે કોઇ એક્સપર્ટ નથી જે શરીર જોઇને કહી શકે કે આ મર્ડર છે કે હત્યા. જો આ કર્મચારીને આ હત્યા લાગતી હોય તેના પૂરાવા આપે. કર્મચારી પાસે તેની વાત સાબિત કરવાના પૂરાવા હોય તો તપાસ એજન્સી આ મામલાની ઉંડી તપાસ કરશે'.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us