/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Sushant-Singh-Rajput.jpg)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો (image: twitter)
Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું હતું. જોકે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારમાંથી એક કૂપર હોસ્પિટલના કર્મચારી રુપ કુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંતનું મોત સુસાઇડથી નહીં પણ મર્ડરના કારણે થયું છે.
સીબીઆઈએ આ મોતના કેસની તપાસ ખતમ કરીને ક્લોઝર રિપોર્ટ સોંપ્યો નથી. હવે આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચકિત કરી દીધા છે. સુશાંતના પ્રશંસકો પહેલા જ આ ઘટનાને આત્મહત્યા માનતા ન હતા. હવે તેમને આત્મહત્યા ન માનવાનું વધુ એક કારણ મળી ગયું છે.
એઅનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રુપ કુમાર શાહે મોટો ખુલાસો કરતા કહ્યું કે હું 14-15 તારીખે ડ્યૂટી પર હતો. તે સમયે એક વીઆઈપી બોડી આવી હતી. વીઆઈપી બોડી હતી એટલે ઘણી બધી પોલીસ હતી. તેનો નંબર 11-12 વાગ્યે આવ્યો હતો. કપડા ખોલ્યા પછી જોયું તો થોડું અલગ હતું. સુસાઇડમાં બોડી અલગ દેખાય છે. હું સરને વાત કરવા ગયો કે સર આ અલગ બોડી દેખાય છે. 28 વર્ષનો મને અનુભવ છે, હું 50-60 હજાર બોડીનું પોસ્ટમોર્ટમ કરી ચૂક્યો છું. સાહેબે કહ્યું કે પછી ચર્ચા કરીશું.
આ પણ વાંચો - તુનિશા શર્મા આત્મહત્યા: કાયદા પ્રમાણે કોઇને આત્મહત્યા કરવા મજબૂર કરવા એટલે શું?
#WATCH | "When I saw Sushant Singh Rajput's body it didn't appear to be a case of suicide. Injuries marks were there on his body. I went to my senior but he said we will discuss it later," says Roopkumar Shah, Mortuary Servant, Cooper Hospital, Mumbai pic.twitter.com/NOXAsaI8uH
— ANI (@ANI) December 26, 2022
રુપ કુમાર શાહે કહ્યું કે બોડી ઓબ્ઝર્વ કર્યા પછી જે ગળા પર સુસાઇડ કરતા નિશાન રહે છે તેવું જોવા મળતું ન હતું. ખેંચાણના કારણે પકડવા પર જેવું થાય છે તેવું હતું. અલગ-અલગ ઢંગથી હાથમાં, પગમાં કોઇએ માર માર્યો હોય તે રીતના ઇજાના નિશાન હતા. ત્યાં ફ્રેક્ચર જેવું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us