/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-01T153249.753.jpg)
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી હે મા માતાજી ગુંજશે?
TMKOC : લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સફળતા સાથે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે શૉની આખી ટીમે સેલિબ્રેશન કર્યું છે અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં મહિલા કલાકારોએ શૉના પ્રોડ્યૂસર અસિત મોદી સામે મોરચો ખોલ્યો હતો. કેટલાક કલાકારોએ શૉને અલવિદા કહી દીધું છે, જેમની જગ્યાએ નવા ચહેરા લેવામાં આવ્યા છે, છતાં આજ સુધી એક કલાકારની જગ્યા કોઈ લઈ શક્યું નથી. અહીંયા ‘દયાબેન’ના પાત્રની વાત કરવામાં આવી રહી છે. પહેલા આ શૉમાં દિશા વાકાણી ‘દયાબેન’નું પાત્ર ભજવી રહી હતી. દિશા વાકાણી 6 વર્ષથી આ શૉથી દૂર રહી હતી.
અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, આ શૉમાં ‘દયાબેન’નું પાત્ર ભજવનાર દિશા વાકાણી કમબેક કરી રહી છે. દિશા વાકાણી આ શૉથી 6 વર્ષ સુધી દૂર રહી છે. અનેક લોકોએ અસિત મોદીને દિશા વાકાણીના કમબેક બાબતે સવાલો પૂછ્યા છે. અસિત મોદીએ અનેક વાર કહ્યું છે કે, દિશા વાકાણી માટે આ શૉના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તેમને કોઈપણ સમયે શૉમાં પરત લેવામાં આવશે.
મહત્વનું છે કે, જ્યારથી દયાબેને આ શૉમાંથી એક્ઝિટ લીધી છે, ત્યારથી દર્શકો ખૂબ જ નિરાશ હતા. આ કારણોસર ફેન્સ દયાબેનની વાપસી બાબતે ખૂબ જ સવાલ કરતા હતા, ઉપરાંત શૉના રેટિંગમાં પણ ફેરફાર થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us