TMKOC Ambika Ranjankar News | તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના તાજેતરમાં કેટલાક એપિસોડમાંથી ગાયબ રહેલી કોમલ ભાભી (Komal Bhabhi) ઉર્ફે અંબિકા રંજનકરે (Ambika Ranjankar) ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેના કારણે નેટીઝન્સે તેના શો છોડવાની ચર્ચા શરૂ કરી હતી. જોકે, હવે અભિનેત્રીએ પોતે જ ખુલાસો કર્યો છે, અહીં જાણો
કોમલ ભાભી (Komal Bhabhi) ઉર્ફે અંબિકા રંજનકરે (Ambika Ranjankar) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. આ સાથે કેટલાક નવા મહેમાનોની પણ શોમાં એન્ટ્રી થઈ છે. વધુમાં અહીં વાંચો.
અંબિકા રંજનકરે શો છોડશે?
અંબિકા રંજનકરે બધી અફવાઓનો અંત લાવતા ટેલીચકકર સાથેની વાતચીતમાં કહ્યું, ‘ના, મેં શો છોડ્યો નથી. હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છું.ઉપરાંત, શોથી દૂર રહેવાના કારણનો જવાબ આપતા, અભિનેત્રીએ કહ્યું, ‘હું કેટલાક અંગત કારણોસર દૂર હતી. મને મારા માટે થોડો સમય જોઈતો હતો. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે અભિનેત્રી 17 વર્ષ પહેલા પ્રસારિત થયેલા પહેલા એપિસોડથી આ શોનો ભાગ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા પાત્રો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ તાજેતરમાં ગોકુલધામ સોસાયટીમાં એક નવા રાજસ્થાની પરિવારનું સ્વાગત કર્યું છે. આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર એક પ્રોમો દ્વારા શેર કરવામાં આવી છે. આ શોમાં, રતન-રૂપાનો પરિવાર હવે ગોકુલધામના નવા રહેવાસી બની ગયો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા પાત્રો વિશે વાત કરીએ તો, અભિનેતા કુલદીપ ગૌર રતન બિંજોલાની ભૂમિકા ભજવી રહ્યા છે, જે સાડીની દુકાનના માલિક છે. બીજી તરફ, ધરતી ભટ્ટ બિંજોલાની પત્ની રૂપા બદીટોપની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ગૃહિણી હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. આ ઉપરાંત, તેમના બાળકો, વીર અને બંસરી, અનુક્રમે અક્ષર સેહરાવત અને માહી ભદ્ર દ્વારા ભજવવામાં આવ્યા છે.