‘સોઢી’ ગુમ થવાનો કેસ: TMKOCના સહ અભિનેતા મંદાર ચાંદવાડકરનો ખુલાસો

Tmkoc Actor Sodhi Missing Case : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી 4 દિવસથી ગુમ છે. ન તો તે મુંબઈ પહોંચ્યો અને ન તો દિલ્હીમાં તેના પિતાના ઘરે પાછો ગયો. હવે આ મામલે Indianexpress.com એ તેના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સહ કલાકારો સાથે વાત કરી હતી.

Tmkoc Actor Sodhi Missing Case : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી 4 દિવસથી ગુમ છે. ન તો તે મુંબઈ પહોંચ્યો અને ન તો દિલ્હીમાં તેના પિતાના ઘરે પાછો ગયો. હવે આ મામલે Indianexpress.com એ તેના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સહ કલાકારો સાથે વાત કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
TMKOC ACtor Sodhi Missing Case | Gurucharan Singh Kidnapping | Gurucharan Singh News in gujarati | Gurucharan Singh

TMKOC ACtor Sodhi Missing Case : TMKOCના સહ-અભિનેતા મંદાર ચાંદવાડકરનો ખુલાસો

TMKOC Actor Sodhi Missing Case Updates In Gujarati : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થયાને પાંચ દિવસથી વધુ સમય પૂર્ણ થઇ ગયો છે. સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ 22 એપ્રિલે મુંબઈ આવવા માટે દિલ્હીથી નીકળ્યો હતો. જોકે, તે મુંબઈ ન પહોંચતા કે ઘરે પરત ન ફરતાં તેના પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ પોલીસે કલમ 365 હેઠળ અપહરણનો કેસ નોંધ્યો હતો. આ વચ્ચે Indianexpress.com એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સહ કલાકારો સાથે વાત કરી હતી.

Advertisment

તારક મહેતામાં ભીડેની ભૂમિકા ભજવનાર ગુરુચરણના સહ-અભિનેતા મંદાર ચાંદવાડકરે શેર કર્યું હતું કે અભિનેતા ઘણીવાર દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતો હતો. મંદરે વધુમાં કહ્યું હતું કે તે છેલ્લે ડિસેમ્બરમાં ગુરુચરણને મળ્યો હતો. તેણે કહ્યું, "આ મારા માટે પણ ખરેખર આશ્ચર્યજનક છે." તે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી કરે છે. અમે છેલ્લે ડિસેમ્બરમાં દિલીપ જોશીના પુત્રના લગ્નમાં મળ્યા હતા. અમે સાથે સારો સમય પસાર કર્યો, પરંતુ ત્યારથી અમે સંપર્કમાં નથી. બસ આશા અને પ્રાર્થના કે બધું સારું થાય.”

https://www.instagram.com/p/C6TMcEWh4ai/

ગુરુચરણ સિંહે છેલ્લીવાર પાંચ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તે તેના પિતા માટે જન્મદિવસની શુભેચ્છા હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની એક ટીમે ગુરુચરણ સિંહના રહસ્યમય રીતે ગુમ થવાની તપાસ માટે દિલ્હીના પાલમ વિસ્તારમાં તેમના ઘરની મુલાકાત લીધી હતી. એક સીસીટીવી ફૂટેજમાં ગુમ થયેલા અભિનેતાને દિલ્હી એરપોર્ટની આસપાસ બેકપેક સાથે રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે તેમને ટેકનિકલ તપાસ દ્વારા તેની પ્રવૃત્તિઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી છે.

Advertisment

અગાઉ કેટલાક અહેવાલમાં સામે આવ્યું હતુ કે ગુરૂચરણ ગુમ થયા પહેલા તેમની તબિયત સારી નહોતી. અહેવાલ મુજબ, અભિનેતાને હાઈ બ્લડ પ્રેશર હતું. ગુમ થયાના થોડા દિવસો પહેલા તેણે સ્વાસ્થ્ય તપાસ પણ કરાવી હતી.

https://www.instagram.com/p/C6S0cQ8LIsN/

આ પણ વાંચો : ‘સોઢી’ ગુમ થવાનો કેસ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક્ટરની અપહરણની આશંકા, શંકાસ્પદ ટ્રાન્જેક્શન, અનેક ખુલાસા

અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે, જે TMKOC પર ગુરુચરણની પત્નીની ભૂમિકા ભજવે છે, તેણે પણ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી અને અમને કહ્યું હતું કે, “મને કંઈ ખબર નથી. જૂન 2023થી તેના સંપર્કમાં નથી. મને આશા છે કે તે સુરક્ષિત અને સ્વસ્થ હશે.

celebrities મનોરંજન ન્યૂઝ