Urmila Matondkar Birthday: ઉર્મિલા માતોંડકર બર્થડે, રંગીલા ફિલ્મથી નસીબ ચમક્યું, એક ભૂલ અને કરિયર બરબાદ

Urmila Matondkar Birthday: રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર 51 વર્ષની થઇ છે. આજે તેના બર્થડે પર ફિલ્મ કરિયરથી લઇ રામ ગોપાલ વર્મા સાથે વિવાદ થી લઇ પર્સનલ લાઇફ વિશે વિગતવાર જાણીશું

Urmila Matondkar Birthday: રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર 51 વર્ષની થઇ છે. આજે તેના બર્થડે પર ફિલ્મ કરિયરથી લઇ રામ ગોપાલ વર્મા સાથે વિવાદ થી લઇ પર્સનલ લાઇફ વિશે વિગતવાર જાણીશું

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
urmila matondkar | Urmila Matondkar Birthday | Urmila Matondkar movies

Urmila Matondkar Birthday: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 51 વર્ષની થઇ છે. (Photo: @urmilamatondkarofficial)

Happy Urmila Matondkar Birthday: ઉર્મિલા માતોંડકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહી છે. રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1974માં મુંબઇમાં થયો હતો. 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ ઉર્મિલા માતોંડકર આજે ભલે ફિલ્મોમાં કામ ન કરતી હોય, પરંતુ એક સમયે બોલીવુડમાં મોટું નામ હતું. ફિલ્મ દિગ્દર્શકો અને નિર્માતાઓ તેની સાથે કામ કરવા માટે લાઇન લગાવતા હતા.

Advertisment

ઉર્મિલા માતોંડકર ફિલ્મ કરિયરની શરૂઆત

ઉર્મિલા માતોંડકરે ફિલ્મ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેણે 1977માં રિલીઝ થયેલી ફિલ્મ 'કર્મા'માં કામ કર્યું હતું. આ સાથે જ તેણે મલયાલમ ફિલ્મ 'ચાણક્યન'થી લીડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા'થી તેને ઓળખ મળી હતી. જ્યારે હિન્દીમાં તેની પહેલી ફિલ્મ 'નરસિમ્હા' હતી, જે 1991માં રિલીઝ થઈ હતી અને તેની સામે સની દેઓલ લીડ રોલમાં હતી. આ ફિલ્મો બાદ ઇન્ડસ્ટ્રીમાં તેનો દબદબો રહ્યો, પરંતુ, તેની એક ભૂલના કારણે તેનું કરિયર ખતમ થઇ ગયું અને તે ફિલ્મોથી દૂર થઇ ગઇ.

ખરેખર, ઉર્મિલા માતોંડકર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તે 51 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ થયો હતો. તેમણે મુંબઈની ડીજી રૂપારેલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમને બાળપણથી જ એક્ટિંગમાં રસ હતો. આ જ કારણ છે કે તેણે 3 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત બી.આર.ચોપરા દિગ્દર્શિત ફિલ્મ 'કર્મા'થી કરી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના, વિદ્યા સિંહા અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં હતા. અહીંથી અભિનેત્રીએ કામ કરવાનું બંધ ન કર્યું પરંતુ મરાઠી ફિલ્મો 'જકોલ' અને 'કલયુગ'માં કામ કર્યું. આ પછી તે શેખર કપૂરની ફિલ્મ 'માસૂમ'માં જોવા મળી હતી, જેણે તેને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખ અપાવી હતી.

https://www.instagram.com/p/DDiyP0qKzyy/?hl=en

ઉર્મિલા માતોંડકર રંગીલા ફિલ્મથી નસીબ ચમક્યું, 7 એવોર્ડ જીત્યા

રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા' ઉર્મિલા માતોંડકર માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ રહ્યા બાદ તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ છે. આ ફિલ્મ બાદ ઉર્મિલા માતોંડકર રંગીલા ગર્લ તરીકે ફેમસ થઇ. આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરની એક્ટિંગની બહુ પ્રશંસા થઇ અને ફિલ્મે 7 એવોર્ડ પણ મળ્યા હતા. જેમાં ફિલ્મફેર બેસ્ટ ફિલ્મ એવોર્ડ, ફિલ્મફેર બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ, ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ (ઉર્મિલા માતોંડકર), ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ (જેકી શ્રોફ), તન્હા તન્હા માટે આશા ભોંસલે માટે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અને બેસ્ટ કોરિયોગ્રાફી માટે અહમદ ખાન એવોર્ડ સામેલ હતા.

Advertisment

તમને જણાવી દઇયે કે, ઉર્મિલા માતોંડકરે ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં 'રંગીલા'નો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે રામ ગોપાલના લગ્ન પહેલાથી જ થયા હોવા છતાં તે તેના પ્રેમમાં હતી. તેમના અફેરને લઇને ઘણી ચર્ચા થઇ હતી. કહેવાય છે કે અભિનેત્રી દિગ્દર્શકને પ્રેમ કરતી હતી એટલે એણે એની સાથે ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું અને અન્ય દિગ્દર્શકો સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. રામ ગોપાલ પણ તેમની બધી જ ફિલ્મોમાં તેમને કાસ્ટ કરતા હતા.

આ કારણે બરબાદ થયું કરિયર, એક્ટિંગ છોડી દીધી

ઉર્મિલા માતોંડકરની કારકિર્દી જ્યારે પીક લેવલ પર હતી ત્યારે તેણે એક્ટિંગ કરિયર છોડી દીધું. આ ત્યારે બન્યું જ્યારે તેણે રામ ગોપાલ વર્મા સાથેના તેના સંબંધોનો અંત લાવ્યો. આ સંબંધમાં વિવાદો ત્યારે શરૂ થયા જ્યારે ફિલ્મ ડિરેક્ટરની પત્નીએ શુટિંગના સેટ પર ઉર્મિલા માતોંડકરને થપ્પડ માર્યો હતો. જ્યારે રામ ગોપાલની પત્નીને તેમના સંબંધોની ખબર પડી તો તે તેમની ઓફિસ પહોંચી અને ત્યાં ઉર્મિલા માતોંડકરનો ફોટો જોઈ તેમને બહુ ગુસ્સો આવ્યો અને ઉર્મિલા માતોંડકરને થપ્પડ માર્યો. તે દિવસોમાં બોલિવૂડમાં આ ઘટનાની બહુ ચર્ચા થતી હતી. આ ઘટનાની ઉર્મિલા માતોંડકરના ફિલ્મ કરિયર પર પણ ઘણી અસર થઇ હતી.

કહેવાય છે કે આ ઘટના બાદ રામ ગોપાલની પત્નીએ તેને તલાક આપી દીધા હતા. સાથે જ ઉર્મિલા માતોંડકરે પણ પોતાની ફિલ્મ કરિયર બચાવવા માટે તેની સાથેના સંબંધોનો અંત આણ્યો હતો, પરંતુ તેમ છતાં તે સફળ ન થઈ શકી. એક સમય એવો પણ આવ્યો જ્યારે રામ ગોપાલે પણ તેની સાથે ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું. જ્યારે અભિનેત્રીએ અન્ય દિગ્દર્શકો સાથે સંપર્ક સાધવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે અગાઉ ઉર્મિલાએ તેમને ના પાડી દીધી હતી અને રામ ગોપાલ સાથે તેને મનમેળ નહોતો મળ્યો, જેના કારણે અભિનેત્રીની કારકિર્દી પર અસર પડી હતી. આ પછી ધીરે ધીરે ઉર્મિલા માતોંડકરને ફિલ્મો મળતી બંધ થઇ ગઇ હતી અને તેની કારકિર્દીનો અંત આવી ગયો હતો.

ઉર્મિલા માતોંડકરે વિવાદો પર મૌન તોડ્યું

દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક ઇન્ટરવ્યૂ અનુસાર, ઉર્મિલા માતોંડકર એ રામ ગોપાલ વર્મા સાથેના ઝઘડા પર પોતાનું મૌન તોડ્યું હતું, જેને તેણે ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેણે રામ ગોપાલ વર્મા સાથે કામ કરવાનું બંધ કર્યું નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, તેની કારકિર્દી દિગ્દર્શકને કારણે નહીં પરંતુ નેપોટિઝમને કારણે બરબાદ થઈ હતી. તેને હંમેશાં આઈટમ ગર્લ અથવા સેક્સ સાયરન તરીકે જોવામાં આવતી હતી.

42 વર્ષની ઉંમરે લગ્ન પણ સંબંધ ટક્યો નહીં

ઉર્મિલા માતોંડકર પોતાના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરે 4 ફેબ્રુઆરી, 2016 ના રોજ ઉદ્યોગપતિ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. મનીષ મલ્હોત્રા દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે પરંતુ, હવે તેમના સંબંધો પણ તૂટવાના આરે છે.


સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ