Vikrant Massey | પિતા ખ્રિસ્તી, ભાઈએ મુસ્લિમ, પત્ની હિન્દૂ, વિક્રાંત મેસીનો પરિવાર ભારતનું આદર્શ બિનસાંપ્રદાયિકતાનું ઉદાહરણ

Vikrant Massey | વિક્રાંત મેસી હાલમાં 2002 ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત તેની આગામી ફિલ્મ, ધ સાબરમતી રિપોર્ટની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ આ શુક્રવારે 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

Written by shivani chauhan
November 14, 2024 09:09 IST
Vikrant Massey | પિતા ખ્રિસ્તી, ભાઈએ મુસ્લિમ, પત્ની હિન્દૂ, વિક્રાંત મેસીનો પરિવાર ભારતનું આદર્શ બિનસાંપ્રદાયિકતાનું ઉદાહરણ
પિતા ખ્રિસ્તી, ભાઈએ મુસ્લિમ, પત્ની હિન્દૂ, વિક્રાંત મેસીનો પરિવાર ભારતનું આદર્શ બિનસાંપ્રદાયિકતાનું ઉદાહરણ

Vikrant Massey | અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) ના પરિવાર પર એક નજર કરીયે તો એક આદર્શ ભારતનું ઉદાહરણ દેખાય છે. જે બહુમતી અને બિનસાંપ્રદાયિકતા દ્વારા ચિહ્નિત થયેલ છે. એક્ટરના પિતા ખ્રિસ્તી ધર્મને અનુસરે છે, ત્યારે તેની માતા શીખ ધર્મનું પાલન કરે છે અને તેની પત્ની શીતલ ઠાકુર હિંદુ છે. તો વિક્રાંતનો ભાઈ મોઈન તે માત્ર 17 વર્ષનો હતો ત્યારે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું પસંદ કર્યું હતું.

વિક્રાંત મેસી ટ્રોલિંગ (Vikrant Massey Trolling)

તાજેતરમાં 12મા ફેલ અભિનેતાને કરવા ચોથ દરમિયાન શીતલના પગને સ્પર્શ કર્યાના ફોટા વાયરલ થયા બાદ ઓનલાઇન ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે કેટલાક લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે અભિનેતાને ચોક્કસ નેટીઝન્સ તરફથી ટીકા અને પ્રતિક્રિયાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના અને ધાર્મિક માન્યતાઓના વ્યાપક વિષય વિશે બોલતા વિક્રાંતે પ્રકાશિત કર્યું કે તે અને તેનો પરિવાર આદર સાથે તમામ ધર્મોને સ્વીકારે છે.

આ પણ વાંચો: વિકાસ દિવ્યકીર્તિનું મોટું નિવેદન – પાન મસાલાની જાહેરાત કરનારા અભિનેતાઓને તે લાશો નહીં દેખાય

વિક્રાંત મેસી યુટ્યુબ ચેનલ પર શુભંકર મિશ્રા સાથે ચેટ દરમિયાન કહ્યું કે “મારી માતા શીખ છે. પરંતુ નાનપણથી જ અમને મંદિરોમાં જવાનું શીખવવામાં આવ્યું છે. નવરાત્રિ નિમિત્તે મારા ઘરની નીચે માતા રાણીના પંડાલ લગાવવામાં આવ્યા હતા. તેથી, તે ખૂબ જ સામાન્ય બાબત છે.”

આ ઉપરાંત તે કહે છે, ‘મારા પિતા છ વખત વૈષ્ણો દેવી મંદિર (કટરા, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત) ગયા છે. તે એક ખ્રિસ્તી છે અને અઠવાડિયામાં બે વાર ચર્ચમાં જાય છે. પરંતુ ભારત હંમેશા એવું જ રહ્યું છે. તમને એવા ખ્રિસ્તીઓ મળશે જેમના નામ રાહુલ, રોહિત વગેરે છે. આપણે પોતે ગુરુદ્વારામાં જઈએ છીએ અને ઘણા હિંદુઓ અજમેર શરીફ દરગાહ ( રાજસ્થાનમાં આવેલી ) જાય છે. આ આપણું હિન્દુસ્તાન છે. શા માટે તે આટલું આશ્ચર્યજનક છે (હવે)? મારા ઘરમાં મંદિર છે. મારા પુત્રનું નામ વરદાન છે. આ આપણા દેશની ખાસિયત છે.”

આ પણ વાંચો: ટિફિન સર્વિસથી ઘર ચાલતું, અભિનેતા વિક્રાંત મેસીએ આર્થિક મુશ્કેલીઓ અંગે કરી વાત

વિક્રાંતે વધુમાં ઉમેર્યું હતું કે તેનો ભાઈ મોઈન પણ આ ઉજવણીમાં જોડાય છે. તે કહે છે, ‘મારો ભાઈ દિવાળીના અવસર પર લક્ષ્મી પૂજા કરે છે. તેમનું ધર્માંતરણ (ઇસ્લામમાં) તેમની વ્યક્તિગત પસંદગી છે. પરંતુ અમે અહીં દિવાળી અને હોળી એકસાથે ઉજવીએ છીએ. ઈદના અવસર પર અમે એના ઘરે સાથે બિરયાની ખાઈને ઉજવણી કરીએ છીએ. આજે, તે આધાર (સમાજમાં) ગેરહાજર છે.

વિક્રાંત મેસી મૂવી (Vikrant Massey Movie)

વિક્રાંત મેસી હાલમાં 2002 ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત તેની આગામી ફિલ્મ, ધ સાબરમતી રિપોર્ટની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ આ શુક્રવારે 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ