/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-06T074534.186.jpg)
Vinod Khanna : વિનોદ ખન્ના ફાઇલ તસવીર
Vinod Khanna Movies : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાની આજે 76મી જન્મજયંતિ છે. વિનોદ ખન્નાનું બ્લડ કેન્સરના કારણે 2017માં નિધન થયું હતુ. વિનોદ ખન્ના ભલે આજે આ દુનિયામાં નથી પણ દરેક લોકો તેમની દમદાર એક્ટિંગને હંમેશા યાદ રાખશે. વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર 1946ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેઓએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, જેને દર્શકો આજે પણ જોવાનું પસંદ કરે છે. વિનોદ ખન્નાએ પોતાની કારકિર્દીમાં 146થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં એવા ઘણા ડાયલોગ્સ છે જે લોકોમાં ઉંડી અસર કરી ગઇ અને તેમને ચાહકોમાં અમર બનાવી દીધા. ચલો એ સુપરહિટ સંવાદો પર નજર કરીએ.
બોલિવૂડમાં વિલન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વિનોદ ખન્ના એક સમયે હિન્દી સિનેમા નિર્દેશકોની પહેલી પસંદ બની ગયા હતા પણ કારકિર્દીના શિખર પર એમને અચાનક જ ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લઈ ઓશોનો માર્ગ અપનાવ્યો હતો. જો કે વિનોદ ખન્નાની સ્ટોરી પણ કોઈ ફિલ્મ સ્ક્રિપ્ટથી ઓછી નથી.
1 'દોસ્તી ભૂલી શકાય છે, દુશ્મની નહીં', આ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્રોધ'ના ગુસ્સાનો ડાયલોગ છે.
2 'સન્માન એ સંપત્તિ છે જે એક વાર ગુમાવ્યા પછી ક્યારેય પાછી મેળવી શકાતી નથી', આ સંવાદ 1978માં રિલીઝ થયેલી ફિલ્મ 'મુકદ્દરનો સિકંદર'નો છે.
3 'જ્યારથી મને હોશ આવ્યો ત્યારથી હું રમકડાંને બદલે મોત સાથે રમી રહ્યો છું', આ સંવાદ છે વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુરબાની'નો.
4 'ગરીબ કા દિલ અગર સોને કા હોતે હૈ તો હાથ ફૌલાદ કે હોતે હૈ', આ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'સૂર્યા'નો ડાયલોગ છે.
5 'બાળકો! 'તમે જે સ્કૂલમાં ભણો છો તેના અમે હેડમાસ્તર રહી ચૂક્યા છીએ' આ સંવાદ છે વર્ષ 1968માં રિલીઝ થયેલી ફિલ્મ મન કા મીતનો.
6 'દર્દની દવા ન હોય તો દર્દને જ દવા ગણવી જોઈએ', આ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચાંદની'નો ડાયલોગ છે.
7 'સમય એક મોટી ગેમ છે, તેની સાથે ક્યારેય ન રમો', વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'રિસ્ક'નો એક સંવાદ છે.
8 'પ્રેમ એટલો ઊંડો છે કે તેની સામે સમુદ્ર પણ નાનો લાગે છે', આ પણ વર્ષ 1978માં રિલીઝ થયેલી ફિલ્મ મુકદ્દરનો સિકંદરનો ડાયલોગ છે.
9 'રિટાયર માત્ર પોલીસ હોય છે, ચોર નહીં', આ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખિલાડી'નો ડાયલોગ છે.
10 'તલવારની લડાઈ તલવારથી, પ્રેમની લડાઈ પ્રેમથી અને સરકાર સાથે નકામીની લડાઈ' પણ 1978માં રિલીઝ થયેલી ફિલ્મ 'મુકદ્દરનો સિકંદર'નો એક ડાયલોગ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us