/indian-express-gujarati/media/media_files/2026/02/06/vishal-shelke-opens-up-about-arijit-singh-retirement-2026-02-06-09-29-30.jpg)
વિશાલ શેલ્કેએ અરિજિત સિંહ રિટાયરમેન્ટ પ્લાન વિશે ખુલાસો કર્યો મનોરંજન બોલિવૂડ સિંગર। vishal shelke opens up about Arijit Singh retirement plan Photograph: (Social Media)
મનોરંજન ન્યૂઝ | સંગીતકાર વિશાલ શેલકે (vishal shelke) અસંખ્ય ફિલ્મોમાં તેમના પ્રભાવશાળી કામ માટે જાણીતા છે. તેમણે આગામી ફિલ્મ "ભાભાજી ઘર પર હૈં" માટે પણ ગીતો રચ્યા હતા. અરિજીત સિંહ (Arijit Singh) ના ગીત છોડવાના નિર્ણયથી ઘણા ચાહકોનું દિલ તૂટી ગયું હતું. લોકો વિચારતા હતા કે અરિજીત આગળ શું કરશે. વિશાલે આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને અરિજીતના નિર્ણય વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.
વિશાલ શેલ્કેનો અરિજિત સિંહના રિટાયરમેન્ટ પ્લાન પર ખુલાસો
જ્યારે વિશાલે અરિજિત સાથે વ્યક્તિગત રીતે વાત કરી, ત્યારે તેમને ખબર પડી કે અરિજિત નિવૃત્તિ લઈ રહ્યા નથી, પરંતુ સંગીતને લગતી અન્ય બાબતોમાં પોતાનો સમય ફાળવવા માંગે છે. મની કંટ્રોલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું "અરિજિતના નિર્ણય પાછળનું કારણ ફક્ત દેખીતી રીતે જ નથી. તેમાં ઘણું બધું છે. અરિજિતે નક્કી કર્યું છે કે તે હવે પ્લેબેક સિંગિંગ નહીં કરે. જોકે તે મ્યુઝિક સાથે જોડાયેલા રહેશે. તે પોતાના ગીતો કંપોઝ કરવાનું અને ગાવાનું ચાલુ રાખશે. તેની પોતાની ચેનલ પણ છે. તેથી તે મ્યુઝિકમાં કામ કરવાનું ચાલુ રાખશે. તે ભવિષ્યમાં કોન્સર્ટ પણ કરશે."
''અમારું ખુબ શોષણ થાય છે'' અભિજીત સાવંતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર કર્યો મોટો ખુલાસો
શું અરિજિત ફિલ્મમેકિંગમાં આગળ વધારવા માંગે છે?
વિશાલ શેલ્કેએ આગળ સમજાવ્યું કે "સંગીતથી આગળ વધવાનો અરિજિતનો નિર્ણય સ્ટોરી કહેવા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યેના તેમના વધતા જુસ્સાને કારણે છે. અરિજિતને ફિલ્મ નિર્માણમાં ઊંડો રસ છે. તે પોતાની ફિલ્મ પણ બનાવી શકે છે. અરિજિત હાલમાં આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ જ કારણ છે કે તેણે પ્લેબેક સિંગિંગ છોડી દેવાનો નિર્ણય લીધો છે."
અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. અરિજીત સિંહે ગયા મહિને અચાનક પ્લેબેક સિંગિંગ છોડી દેવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગાયકે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "નમસ્તે, તમારા બધાને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષોથી શ્રોતાઓ તરીકે મને આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવી સોંપણીઓ સ્વીકારીશ નહીં. હું તેને અલવિદા કહી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે." જોકે, અરિજીતએ સ્પષ્ટતા કરી હતી કે તે સંગીત બનાવવાનું અને કોન્સર્ટ કરવાનું ચાલુ રાખશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us