ગુજરાત: ગરબા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકાઈ, VIDEO વાયરલ

gujarat assembly election 2022 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટમાં ખોડલધામ ગરબા કાર્યક્રમ (Garba event) માં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈએ AAP આયોજક પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી (water bottle thrown) હતી. જો કે કેજરીવાલ પર બોટલ ફેંકનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી

Written by Kiran Mehta
Updated : October 06, 2022 11:35 IST
ગુજરાત:  ગરબા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકાઈ, VIDEO વાયરલ
અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકાઈ

Gujarat AAP: ગુજરાતની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા, આમ આદમી પાર્ટી (aam aadmi party) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે (arvind kejriwal) 1 ઓક્ટોબર, 2022) ગાંધીધામ (Gandhidham) અને જૂનાગઢ (Junagadh) માં જાહેર સભાઓને સંબોધી (Speech) હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ એક ગરબા કાર્યક્રમ (Garba event) માં સામેલ થયા હતા. આ પ્રસંગે ગરબા કાર્યક્રમમાં કોઈએ સીએમ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકી (water bottle thrown) હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Video Viral) પર વાયરલ થઈ રહ્યો છે.

કેજરીવાલ પર ક્યાં પાણીની બોટલ ફેંકાઈ?

જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટમાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈએ AAP આયોજક પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. જો કે કેજરીવાલ પર બોટલ ફેંકનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

આ ઘટના ખોડલધામ મંદિરના ગરબા સ્થળે બની હતી જ્યારે આમ આદમી પાર્ટીના વડા ગઈકાલે રાત્રે તેમના પક્ષના કાર્યકરો સાથે વાત કરવામાં અને લોકોને શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત હતા. જો કે, બોટલ અરવિંદ કેજરીવાલ પાસેથી પસાર થઈ ગઈ અને તેમને કોઈ ઈજા થઈ ન હતી.

AAP ગુજરાતમાં બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરે છે

ગુજરાતમાં એક જાહેર સભાને સંબોધતા, CM કેજરીવાલે કહ્યું, “ગુજરાતના લોકો પાસે 27 વર્ષથી કોઈ વિકલ્પ નહોતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે અને હવે તેમાં પરિવર્તન આવ્યું છે. ગુજરાતની જનતા 27 વર્ષથી તેમને સહન કરી રહી છે. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.”

ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠક

કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં જંગી બહુમતી સાથે AAPની સરકાર બનવા જઈ રહી છે. જેથી આ લોકો પાગલ થઈ ગયા છે. તેઓએ દરેક જગ્યાએ ગુંડાગીરી અને લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકો થઈ રહી છે કે, ગમે તે થાય, AAPની સરકાર ન આવીવ જોઈએ. તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો લૂંટ બંધ થશે અને તમામ પૈસા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ AAPની સરકાર બનશે. પાર્ટીના વડા રાજ્યના નિયમિત પ્રવાસ અને જાહેર સભાઓ યોજીને શાસક ભાજપને સખત લડત આપવાની વાત કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ