વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મોરબી પીડિત એસોસિએશન વારંવારની આવી ઘટનાઓને લઈ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

Vadodara boat incidents : વડોદરાની બોટ પલટી જવાની દુર્ઘટના બાદ મોરબી પીડિત એસોસિએશન દ્વારા દેશમાં વારંવાર બેદરકારીના આવા બનાવોની તપાસ કરવા નિષ્ણાતોની સંસ્થાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાંમાં રજૂઆત કરી.

Written by Kiran Mehta
Updated : January 20, 2024 17:45 IST
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મોરબી પીડિત એસોસિએશન વારંવારની આવી ઘટનાઓને લઈ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોએ બેદરકારીની ઘટના ના બને તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

Vadodara boat incidents : મોરબી બ્રિજ તુટી જવાની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સગાઓ સમાવિષ્ટ ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન મોરબીએ નગરપાલિકાની સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોની વારંવારની બેદરકારીના કિસ્સાઓની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચનાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સંસ્થાએ જણાવ્યું હતું કે, બેદરકારીના કારણે મોરબી બ્રિજ ધરાશાયી થવા અને વડોદરા બોટ પલટી જવા જેવી ઘટનાઓ બની રહી છે. બાદમાં, ગુરુવારે શાળાની પિકનિક દરમિયાન ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 10-13 વર્ષની વયના ઓછામાં ઓછા 12 શાળાના બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા.

25 જાન્યુઆરી, 2014 થી 18 જાન્યુઆરી, 2024 સુધીની 24 ઘટનાઓની યાદી આપતા, અરજીમાં સમગ્ર ભારતમાં આંદામાન, ગુજરાત, આસામ, કોલકાતા, મહારાષ્ટ્ર, બિહાર, ગોવા, ઉત્તર પ્રદેશ અને મિઝોરમ જેવા સ્થળોએ પુલ તૂટી પડવાની અને બોટ ડૂબી જવાની ઘટનાઓની યાદી આપવામાં આવી છે. ટાંકેલ, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાઓમાં “સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘાયલ થયા છે”.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઘટનાઓમાં એક સામાન્ય થ્રેડ એ છે કે, સ્થાનિક સંસ્થાઓ જાહેર સુવિધાઓ જેવી કે તળાવો, પુલ વગેરેના સમારકામ, જાળવણી અને સંચાલનને ખાનગી કોન્ટ્રાક્ટરોને આઉટસોર્સ કરે છે, જેઓ બદલામાં પેટા કોન્ટ્રાક્ટરોને કામ આઉટસોર્સ કરે છે. પિટિશનમાં જણાવાયું છે કે, આ સિસ્ટમને કારણે કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી સુરક્ષા પગલાં લેતા નથી.

અરજદારે વધુમાં સમજાવ્યું, “જ્યારે અકસ્માત થાય છે, ત્યારે મ્યુનિસિપાલિટી કોન્ટ્રાક્ટરને દોષી ઠેરવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર તેની પાસે કોઈ ટેકનિકલ જ્ઞાન કે કુશળતા ન હોવાના આધાર પર અજ્ઞાનતા બતાવે છે. પોલીસ ઉતાવળમાં અને અસ્પષ્ટ તપાસ કરે છે, પરિણામે પીડિતોને અન્યાય થાય છે. બીજી બાજુ, રાજ્ય પીડિતોને વળતર તરીકે નજીવી રકમની જાહેરાત કરવામાં આવે છે.”

અરજીના પ્રતિવાદી પક્ષકારોમાં કેન્દ્રના ગૃહ મંત્રાલય, વડોદરાના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર, વડોદરાના કલેક્ટર, શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ અને ન્યૂ સનરાઇઝ સ્કૂલ નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

અરજદાર માંગ કરી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટ પણ એવી માર્ગદર્શિકા જારી કરે કે, આવી તમામ દુર્ઘટનાઓની તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે અને કેસના તથ્યોના આધારે સંબંધિત હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે.

અરજદાર એસોસિએશને વડોદરા બોટ દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન (SIT) ની રચના કરવા માટે કોર્ટ પાસેથી નિર્દેશો પણ માંગ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ