અમદવાદમાં 608 રહેણાંક ઈમારતોમાં માન્ય ફાયર એનઓસી નથી : એફિડેવિટમાં થયો ખૂલાસો

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

અમદાવાદમાં 600થી વધુ રહેણાંક બિલ્ડીંગોમાં ફાયર એનઓસી નહીં (ફોટો - એક્સપ્રેસ)

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 608 રહેણાંક ઇમારતો પાસે ગુરુવાર સુધી માન્ય ફાયર "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ" (NOC) નથી.

Advertisment

અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, “અમે જાન્યુઆરી 2023માં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ, લગભગ 739 રહેણાંક ઇમારતો પાસે માન્ય ફાયર NOC નથી. તેમાંથી 131 નવા સીમાંકન પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે”.

ભટ્ટના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં કોમર્શિયલ બિલ્ડીંગો સામે માન્ય એનઓસી ન હોવાના ઘણા કેસો નોંધાયા હતા, તેઓએ તેનું પાલન કર્યું હતું અને હાલમાં માત્ર બે કોમર્શિયલ બિલ્ડીંગ છે જ્યાં ફાયર એનઓસીની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 મુજબ, રહેણાંક ઈમારતોએ ઈમારતના બાંધકામ પછી અને બિલ્ડિંગ યુઝ પરમિટ પહેલાં ફાયર એનઓસી લેવી જરૂરી છે. જો કે, ફાયર એનઓસી દર વર્ષે રિન્યુ કરાવવાની જરૂર હોય છે.

Advertisment

ભટ્ટે જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ આ રહેણાંક ઇમારતોને ઘણી નોટિસ આપી છે. આખરી નોટિસ જૂન 2022માં આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ફાયર એનઓસી રિન્યુ કરવામાં નહીં આવે, તો તેમના પાણીના કનેક્શન અને વીજળીના કનેક્શન્સ કાપી નાખવામાં આવી શકે છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે".

હવે સ્થિતિ એવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ રહેણાંક ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આશરે 23 રહેણાંક મકાનોમાં પાણીના જોડાણો બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 પૂર્વ અમદાવાદમાં અને 12 પશ્ચિમ ભાગમાં છે. અમદાવાદની કુલ 608 બિલ્ડીંગમાંથી તે માત્ર પ્રથમ છે. પાલન ન કરવાના કિસ્સામાં, બાકીની ઇમારતો પર સમાન કાર્યવાહી કરવામાં આવશે.

ભટ્ટે જણાવ્યું હતું કે, હાઇરાઇઝમાં ફાયર સેફ્ટી અંગે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવે તે પહેલાં લગભગ દોઢ વર્ષ પહેલાં વાર્ષિક ફાયર એનઓસી રિન્યૂ ન કરનાર ઇમારતોને નોટિસ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ ઇમારતોને અંતિમ નોટિસ જૂન 2022માં જાહેર કરવામાં આવી હતી.

ભટ્ટે જણાવ્યું હતું કે, "આ બહુમાળી ઇમારતો માટેનો ઉપાય એ છે કે, અમે પાણી અથવા વીજળીનું કનેક્શન કાપી નાખવા અથવા તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા જેવી વધુ કાર્યવાહી કરીએ તે પહેલાં તરત જ એનઓસીનું રિન્યુ કરવું."

ભટ્ટ દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી તે પહેલાં, 2020 માં શાળાઓ, રહેણાંક મકાનો, કોમર્શિયલ ઈમારતો, હોસ્પિટલો, મોલ વગેરે સહિત માત્ર 3,483 ઈમારતો પાસે માન્ય એનઓસી હતી. જાન્યુઆરી 2023 માં, આવી 9,719 ઇમારતો પાસે માન્ય ફાયર એનઓસી હતી. AMC અધિકારક્ષેત્ર હેઠળ લગભગ 10,469 ઇમારતો છે કે જેની પાસે માન્ય ફાયર NOC હોવી આવશ્યક છે.

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા જૂન 2022માં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, 1,128 રહેણાંક ઈમારતો, 259 રહેણાંક-કમ-કોમર્શિયલ અને 26 કોમર્શિયલ ઈમારતો પાસે માન્ય ફાયર એનઓસી નથી.

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ગુજરાત