Ahmedabad Plane Crash : 15 મૃતકોના DNA મેચ થયા, 3 ના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા

Air India Plane Crash In Ahmedabad Updates: અમદાવાદ સિવિલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 15ના DNA મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 15 મૃતકોના DNA મેચ થયા બાદ 3ના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

Air India Plane Crash In Ahmedabad Updates: અમદાવાદ સિવિલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 15ના DNA મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 15 મૃતકોના DNA મેચ થયા બાદ 3ના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Plane Crash in Gujarat Ahmedabad Live Updates

અમદાવાદ વિમાન દુર્ઘટના લાઈવ અપડેટ્સ - photo- Social media

Ahmedabad Plane Crash Updates: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787 પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં આપેલી બીજે મેડિકલની મેસ પર ક્રેશ થયું હતું. જેના પગલે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત 265 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિદેશી નાગરીકો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. DGCAની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને બ્લેક બોક્સ અને ડીવીઆર રીકવર કર્યું છે.

Advertisment

બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં પણ તેમના મોતથી ઘેરો શોક વર્તાય છે. રાજકોટના વેપારીઓએ દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે.સાથે જ ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે.

15 મૃતકોના DNA મેચ થયા

અમદાવાદ સિવિલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 15ના DNA મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 15 મૃતકોના DNA મેચ થયા બાદ 3ના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યના પરિવારજનોની રાહ જોવાઈ રહી છે. દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ છે. મૃતકોના ઘર સુધી પોલીસ એસ્કોર્ટ સાથે મૃતદેહ પહોંચાડાશે.

  • Jun 14, 2025 22:59 IST

    Ahmedabad plane crash Live : 15 મૃતકોના DNA મેચ થયા, 3ના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા

    અમદાવાદ સિવિલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 15ના DNA મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 15 મૃતકોના DNA મેચ થયા બાદ 3ના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યના પરિવારજનોની રાહ જોવાઈ રહી છે. દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ છે. મૃતકોના ઘર સુધી પોલીસ એસ્કોર્ટ સાથે મૃતદેહ પહોંચાડાશે.



  • Jun 14, 2025 21:46 IST

    પ્લેન ક્રેશ પીડિત ડોક્ટરે રડતા-રડતા કરી અપીલ, મારી બાળકી અને મેડ હોસ્પિટલમાં દાખલ છે, મને થોડો સમય આપો, જુઓ Viral Video

    Ahmedabad Plane Crash Victims: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર અનિલ રડીને સરકારને અપીલ કરી રહ્યો છે. તે કહેતા સંભળાય છે - રાતોરાત ઘર ખાલી કરવું એટલું સરળ નથી. અમને બે-ત્રણ દિવસનો સમય આપવો જોઈએ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારી બાળકી અને મેડ દાખલ છે. મારે ત્યાં હોવું જોઈએ. ...અહીં વાંચો



  • Advertisment
  • Jun 14, 2025 18:24 IST

    એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘171’ નો ઉપયોગ નહીં કરે, દુર્ઘટના પછી એરલાઇન્સનો નિર્ણય

    Air India Flight Crash: એર ઇન્ડિયાના એક વિમાનના ગુરુવારે થયેલા જીવલેણ અકસ્માત બાદ કંપની દ્વારા એર ઇન્ડિયા (એઆઇ) એક્સપ્રેસ ફ્લાઇટ નંબર '171'નો ઉપયોગ કરવામાં આવશે નહીં. સૂત્રોએ આ માહિતી આપી હતી ...વધુ માહિતી



  • Jun 14, 2025 17:41 IST

    Ahmedabad plane crash Live : મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.



  • Jun 14, 2025 15:38 IST

    વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા ગ્રુપ, જાણો કેટલી રકમ મળશે

    Ahmedabad Plane Crash: આ ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 274 પર પહોંચી ગઈ છે. વિશ્વાસકુમાર રમેશ એકમાત્ર જીવિત બચ્યા છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. ...સંપૂર્ણ માહિતી



  • Jun 14, 2025 12:31 IST

    Ahmedabad plane crash Live : સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની યાદી

    સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની યાદી



  • Jun 14, 2025 12:30 IST

    Ahmedabad Plane Crash: પતિના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા માટે રિસ્કેડ્યુઅલ કરાવી હતી ફ્લાઈટ, અને મોત ભેટ્યું

    plane crash passenger Harpreet Kaur Hora : હરપ્રીતે પહેલા 19 જૂને લંડન જવા માટે ટિકિટ બુક કરાવી હતી પરંતુ તેના પતિના જન્મદિવસ માટે તેણે તેને રદ કરીને 12 જૂન કરી. ...બધું જ વાંચો



  • Jun 14, 2025 12:11 IST

    Ahmedabad plane crash Live : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સિવિલમાં બેઠક

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે શનિવાર સવારથી જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલ, સ્થળ મુલાકાત તેમજ કોલ્ડ સ્ટોરેજની મુલાકાત કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ફરીથી બેઠક શરુ કરી હતી.



  • Jun 14, 2025 11:51 IST

    Ahmedabad plane crash : Google એ કંઈક આવી રીતે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

    Ahmedabad Plane Crash : ગૂગલે તેના હોમપેજ પર કાળી રિબન બનાવીને તમામ પીડિતોને યાદ કર્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કુલ 242 લોકો હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. ...અહીં વાંચો



  • Jun 14, 2025 11:45 IST

    Ahmedabad plane crash Live : FSL પહોંચ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

    આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 36 ફોરેન્સિક એક્સપર્ટ 3 દિવસથી સતત કામ કરી રહ્યાં છે. નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં પણ રાત દિવસ કામ ચાલુ છે. જલ્દીથી પ્રક્રિયા પૂરી થાય તેવો પ્રયત્ન ચાલુ છે.



  • Jun 14, 2025 11:40 IST

    Ahmedabad plane crash Live : ક્રેશ પ્લેનની ટેલમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

    પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ લંડન એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થયું હતું. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત પર પ્લેન ક્રેશ થયું હતું. જેની ટેલ ઈમારત પર ફસાઈ હતી. આ ટેલમાંથી વધુ એક મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે આ મૃતદેહ એરહોસ્ટેસનો હશે.



  • Jun 14, 2025 11:38 IST

    Ahmedabad plane crash Live : હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ FSL ઓફિસ પર પહોંચ્યા

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ સચિવ નિપુણા તોરવણ અને ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર સિંહ યાદવ FSL ઓફિસ પર પહોંચ્યા છે. જ્યાં અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકો અને પરિજનોના ડીએનએ પ્રક્રિયા ચાલી રહી છે.



  • Jun 14, 2025 10:16 IST

    Ahmedabad plane crash Live : ડોક્ટર્સ હોસ્ટેલની ઈમારતને પહોંચ્યું નુકસાન

    એર ઈન્ડિયા ક્રેશ સાઈટથી આવેલા વીડિયોમાં વિમાનનો ટૂટેલો પાછળનો ભાગ બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર હોસ્ટેલની સળગેલી ઈમારત પર દેખાય છે.પ્લેન ક્રેશના કારણે આ ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું છે.

    — ANI (@ANI) June 14, 2025



  • Jun 14, 2025 09:48 IST

    Ahmedabad plane crash Live : ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા રૂપાણીના પરિવારને મળ્યા

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના આવાસ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

    — ANI (@ANI) June 14, 2025



  • Jun 14, 2025 08:51 IST

    અમદાવાદ વિમાન દુર્ઘટના: 'ગુડબાય ભારત, અમે ખુશીથી પાછા જઈ રહ્યા છીએ', આયુર્વેદિક રિટ્રીટ માટે ભારત આવેલા કપલનું મોત

    Ahmedabad plane crash, UK couple dies : અમદાવાદ એર ઈન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટનામાં 241 પૈકી આયુર્વેદિક રિટ્રીટ માટે ભારત આવેલા કપલનું મોત થયું હતું. ...બધું જ વાંચો



  • Jun 14, 2025 08:51 IST

    અમદાવાદ વિમાન દુર્ઘટના: 'ગુડબાય ભારત, અમે ખુશીથી પાછા જઈ રહ્યા છીએ', આયુર્વેદિક રિટ્રીટ માટે ભારત આવેલા કપલનું મોત

    Ahmedabad plane crash, UK couple dies : અમદાવાદ એર ઈન્ડિયા વિમાન ક્રેશ દુર્ઘટનામાં 241 પૈકી આયુર્વેદિક રિટ્રીટ માટે ભારત આવેલા કપલનું મોત થયું હતું. ...બધું જ વાંચો



  • Jun 14, 2025 08:31 IST

    Ahmedabad plane crash Live : વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    લંડનમાં હાઇ કમિશનની બહાર ભારતીય સમુદાયના સભ્યોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

    — ANI (@ANI) June 14, 2025



  • Jun 14, 2025 08:27 IST

    Ahmedabad plane crash Live : ભાજપના નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા

    ભાજપ નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગુજરાતના ગાંધીનગરમાં તેમના પિતાના નિવાસસ્થાને પહોંચ્યા. એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં ભાજપ નેતા વિજય રૂપાણીનું અવસાન થયું.

    — ANI (@ANI) June 13, 2025

    https://platform.twitter.com/widgets.js



  • Jun 14, 2025 07:09 IST

    Ahmedabad plane crash Live : આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં પણ તેમના મોતથી ઘેરો શોક વર્તાય છે. રાજકોટના વેપારીઓએ દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે.સાથે જ ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે.



  • Jun 14, 2025 07:05 IST

    Today's Gujarat Weather: આ દિવસથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે શું કરી આગાહી?

    Gujarat Today Weather Forecast Update: હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી પણ કરી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે. ...સંપૂર્ણ માહિતી



  • Jun 14, 2025 07:05 IST

    Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની તપાસની તૈયારીઓ

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના એ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. DGCAની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને બ્લેક બોક્સ અને ડીવીઆર રીકવર કર્યું છે. હવે તપાસનો ધમધમાટ શરુ થઈ જશે. વિમાન ક્રેશનું કારણ અને કોણ જવાબદાર સહિતન પ્રશ્નનો જવાબ મળશે.



અમદાવાદ પ્લેન ક્રેશ પ્લેન ક્રેશ અમદાવાદ ગુજરાત