Ahmedabad plane crash : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર ટાટા ગ્રુપના વડાએ કહ્યું- ટાટા ગ્રુપના ઈતિહાસનો સૌથી કાળો દિવસ

Air India Plane Crash In Ahmedabad Updates: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર બોલતા ટાટા ગ્રુપના વડાએ કહ્યું કે આ ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. ટાટા ગ્રુપના વડા નટરાજન ચંદ્રશેખરન તેમના સાથીઓને લખે છે ગઈકાલે જે થયું તે સમજની બહારનું છે અને અમે આઘાત અને શોકમાં છીએ

Written by Ankit Patel
Updated : June 13, 2025 23:19 IST
Ahmedabad plane crash : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર ટાટા ગ્રુપના વડાએ કહ્યું- ટાટા ગ્રુપના ઈતિહાસનો સૌથી કાળો દિવસ
અમદાવાદ પ્લેન ક્રેશ મૃતદેહ - Express photo by Bhupendra Rana

Ahmedabad Plane Crash Updates: અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં 12 જૂન 2025, બપોરે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. પ્લેન ક્રેશ બાદ સમગ્ર ઘટનામાં હાહાકાર મચી ગયો હતો. અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું. આ કામગીરીમાં બીએસએફ અને એને એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટમાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો. આ કમનસિબ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારોમાં માતમ છવાયો હતો. રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીને સીધી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ટાટા ગ્રુપના વડાએ કહ્યું- ટાટા ગ્રુપના ઈતિહાસનો સૌથી કાળો દિવસ

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર બોલતા ટાટા ગ્રુપના વડાએ કહ્યું કે આ ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. ટાટા ગ્રુપના વડા નટરાજન ચંદ્રશેખરન તેમના સાથીઓને લખે છે ગઈકાલે જે થયું તે સમજની બહારનું છે અને અમે આઘાત અને શોકમાં છીએ. એક વ્યક્તિને પણ ગુમાવવી એ આપણા માટે દુ:ખદ છે, પરંતુ એક સાથે આટલા બધા મૃત્યુ થાય તે સમજની બહાર છે. ટાટા ગ્રુપના ઇતિહાસમાં આ સૌથી કાળો દિવસ છે.

છ મૃતદેહો પરિવારને સોંપાયા, DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક લાગશે

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટલા પૈકી છ લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કક્ષમાં કેસો સંભાળી રહેલા ચિરાગ ગોસાઈએ કહ્યું કે ડીએનએ નમૂના મેચ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક જેટલો સમય લાગશે. એકવાર ડીએનએ મેચ થયા બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.

પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીનું ટ્વીટ, વિનાશનું દ્રશ્ય દુઃખદ છે

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.”

Live Updates

ડોક્ટર બનવાનું સપનું લઈ અમદાવાદ આવેલો યુવાન વિમાન દર્ઘટનાનો ભોગ બન્યો, ગામમાં શોકનો માહોલ

Ahmedabad plane crash: રાજસ્થાનના રહેવાસી 20 વર્ષીય જયપ્રકાશ જે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને અમદાવાદ આવ્યો હતો, તેણે પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. …વધુ વાંચો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માસુમ બાળકનું પણ મોત, જે ક્યારેય વિમાનમાં બેઠો ન હતો

Ahmedabad plane crash : ગુરુવારે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું ત્યારે બધાએ આગની જ્વાળાઓ વધતી જોઈ અને માની લીધું કે કોઈ બચ્યું નહીં હોય. અંતે એવુ થયું પણ. એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં સવાર બધા જ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. …વધુ માહિતી

Ahmedabad plane crash Live : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર ટાટા ગ્રુપના વડાએ કહ્યું- ટાટા ગ્રુપના ઈતિહાસનો સૌથી કાળો દિવસ

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર બોલતા ટાટા ગ્રુપના વડાએ કહ્યું કે આ ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. ટાટા ગ્રુપના વડા નટરાજન ચંદ્રશેખરન તેમના સાથીઓને લખે છે ગઈકાલે જે થયું તે સમજની બહારનું છે અને અમે આઘાત અને શોકમાં છીએ. એક વ્યક્તિને પણ ગુમાવવી એ આપણા માટે દુ:ખદ છે, પરંતુ એક સાથે આટલા બધા મૃત્યુ થાય તે સમજની બહાર છે. ટાટા ગ્રુપના ઇતિહાસમાં આ સૌથી કાળો દિવસ છે.

Ahmedabad plane crash Live : વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માટે હરિદ્વારમાં ગંગા નદીમાં પ્રાર્થના

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે હરિદ્વારમાં લોકોએ ગંગા નદીમાં પ્રાર્થના કરી હતી.

વિજય રુપાણીને યાદ કરી ભાવુક થયા પીએમ મોદી, કહ્યું - ખૂબ મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા

Ahmedabad Air India Plane Crash : પીએમ મોદીએ દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું – વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે …વધુ વાંચો

Explained: બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં પહેલા પણ આવી ચુકી છે ટેકનિકલી ખરાબી, જાણો વિમાનમાં થયેલી દુર્ઘટના વિશે

Ahmedabad Plane Crash : ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટો બાદ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 મુસાફરો હતા. તેમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત બચ્યો છે …બધું જ વાંચો

Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ મૃતકોમાં 10 લોકો મહારાષ્ટ્રના

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકો પૈકી 241 લોકો મૃત્યુ પામ્યા છે. આ તમામ મૃતકોમાંથી 10 લોકો મહારાષ્ટ્રના હતા. જેમાં મોટાભાગના પ્લેનના ક્રૂ મેમ્બર હોવાનું જાણવા માળી રહ્યું છે.

Ahmedabad plane crash Live : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી. ગઈકાલે અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થયું.

Ahmedabad plane crash Live : DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાકનો સમય લાગશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કક્ષમાં કેસો સંભાળી રહેલા ચિરાગ ગોસાઈએ કહ્યું કે ડીએનએ નમૂના મેચ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક જેટલો સમય લાગશે. એકવાર ડીએનએ મેચ થયા બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.

Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ મૃતકો પૈકી છ મૃતદેહો પરિવારને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટલા પૈકી છ લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે.

Ahmedabad plane crash : અમદાવાદ પ્લેન ક્રેશ મૃતકના પરિવારજનો માટે આ અગત્યના સમાચાર

Ahmedabad plane crash news : એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં પરિવાજનો ઉમટી પડ્યા છે. બીજી તરફ ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી પણ થઈ રહી છે. …વધુ વાંચો

Ahmedabad plane crash Live : ગુજરાત એટીએસને ડિજિટલ વીડિયો રેકોર્ડ મળ્યું

અમદાવાદમાં ગઈકાલે ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના કાટમાળમાંથી ગુજરાત ATS એ ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) મેળવ્યું. ATS ના એક કર્મચારી કહે છે કે, “તે એક DVR છે, જે અમે કાટમાળમાંથી મેળવ્યો છે. FSL ટીમ ટૂંક સમયમાં અહીં આવશે.”

Ahmedabad plane crash Live : મંત્રી, નેતાઓ, સાંસદો ગાંધીનગર વિજય રૂપાણીના બંગલે પહોંચ્યા

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ રાજ્યના મંત્રી, નેતાઓ, સાંસદો વિજય રૂપાણના પત્ની અંજલી રૂપાણીને સાંત્વના આપવા માટે ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા.

Ahmedabad plane crash Live : સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલિંગની કામગીરી ચાલું

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રીકોની ઓળખ કરવા માટે ડીએનએ સેપલિંગની પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાં ચાલું છું.

Ahmedabad plane crash Live : મૃત યાત્રિકોના સંબંધીઓએ વ્યક્ત કરી પીડા

અમદાવાદમાં AI171 પ્લેન દુર્ઘટનામાં ત્રણ મૃતક યાત્રીના સંબંધી મનિષે કહ્યું કે મારી પુત્રી તેનો 15 મહિનાનો પુત્ર અને તેમની સાસુ ફ્લાઈટમાં હતા. મારો પુત્ર હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ આપી રહ્યો છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ : મુંબઈથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફના ત્રણ કલાકમાં પાછું ફર્યું, શું છે કારણ?

air india flight returns : મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના માત્ર ત્રણ કલાક પછી પાછી ફરી.પરત ફરવાનું કારણ હજી અકબંધ છે. …વધુ વાંચો

Ahmedabad plane crash Live : મુંબઈથી લંડન જતી એરઈન્ડિયાની ફ્લાઈટ ત્રણ કલાકમાં પાછી ફરી

ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી, મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના માત્ર ત્રણ કલાક પછી પાછી ફરી.

લંડનમાં પત્નીની રાહ જોતો રહ્યો પતિ…, અમદાવાદ પ્લેન ક્રેશમાં નવી નવેલી દુલ્હન ખુશ્બૂની ખતમ થઈ જિંદગી

Air India Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના 11 લોકો મૃત્યુ પામ્યા છે. ખુશ્બુ પણ તેમાંથી એક હતી.તેને મુકીને પિતા મદન મહેસાણા પહોંચ્યા હતા જ્યારે તેમને અકસ્માતના સમાચાર મળ્યા. …સંપૂર્ણ વાંચો

Ahmedabad plane crash Live : પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીનું ટ્વીટ, વિનાશનું દ્રશ્ય દુઃખદ છે

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.”

Ahmedabad plane crash Live : PM મોદી અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત અને ઘટના સ્થળનું અવલોકન કર્યા બાદ ડોમેસ્ટીક એરપોર્ટ પહોંચ્યા.

Ahmedabad plane crash Live : હું બગીચામાં પ્રવેશ્યો અને (ઇમારતમાંથી) ગાઢ ધુમાડો નીકળતો જોયો : સ્થાનિક યુવક

AI-171 ક્રેશ સાઇટ નજીક રહેતા એક સ્થાનિક વ્યક્તિ કહે છે, “હું બગીચામાં પ્રવેશ્યો અને (ઇમારતમાંથી) ગાઢ ધુમાડો નીકળતો જોયો… મેં મારા મિત્રોને ફોન કર્યો, તેમાંથી લગભગ 15-20 લોકો આવ્યા. મેં તેમને કહ્યું કે વિમાન ક્રેશ થયું છે… અમે જેને બચાવ્યો તે જીવિત હતો, પરંતુ બે લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા. હું ત્યાં હતો ત્યાં સુધી, 4 લોકોને બચાવી લેવામાં આવ્યા… મારા અન્ય મિત્રોએ લગભગ 20-25 વિદ્યાર્થીઓને બચાવ્યા. અમે આઠ સિલિન્ડરો શોધી કાઢ્યા. મારું ઘર આ સ્થળથી 100 મીટર દૂર છે…”

Ahmedabad plane crash Live : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 મિનિટ સુધી ઘાયલોના ખબર અંતર પૂછ્યા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઘાયલો સાથે 10 મિનિટ સુધી મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા.

Ahmedabad plane crash Live : એરલાઇન્સે 'મિત્રો અને સંબંધીઓ સહાય કેન્દ્રો' ઊભા કર્યા

એર ઇન્ડિયાએ શુક્રવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના સંબંધીઓ અને મિત્રો માટે અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક (લંડન) એરપોર્ટ પર સહાય કેન્દ્રો સ્થાપ્યા છે, એમ એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ કેન્દ્રો પરિવારના સભ્યોને અમદાવાદની મુસાફરીમાં સુવિધા આપી રહ્યા છે,

ભારતની અંદરથી ફોન કરનારાઓ માટે પેસેન્જર હોટલાઇન નંબર: 1800 5691 444

ભારતની બહારથી ફોન કરનારાઓ: +91 8062779200

Ahmedabad plane crash Live : કોંગ્રેસ પાર્ટીએ અકસ્માતમાં 241 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ વતી, પાર્ટીના મહાસચિવ અને સંદેશાવ્યવહારના પ્રભારી જયરામ રમેશે અમદાવાદ-લંડન એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, X પર એક પોસ્ટમાં, રમેશે લખ્યું: “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગઈકાલે AI-171 ના અકસ્માતથી શોકગ્રસ્ત અને વિનાશક રીતે પ્રભાવિત થયેલા તમામ પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.”

Ahmedabad plane crash Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજલિ રૂપાણીને મળ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી અંજલિ રૂપાણીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. પીએમ મોદી અંજલિ રૂપાણીને મળ્યા હતા અને સાંત્વના આપી હતી. પીએમની સાથે હર્ષ સંઘવી, સી.આર.પાટીલ અને રામમોહન નાયડુએ અંજલિ રૂપાણીને સાંત્વના આપી.

Ahmedabad plane crash Live : પીડિતોને મૃતદેહો ક્યારે મળશે?

અમદાવાદ લંડન ગેટવિક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખની પુષ્ટી કર્યા બાદ ડીએનએ ટેસ્ટ પુરો થયા બાદ પરિવારનો સોંપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ગુરુવારે બપોરે દુર્ઘટના થોડા સમય બાદ ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેંસિક સાયન્સ યુનિવર્સિટી સંયુક્ત રુપથી ઓછામાં ઓછા સમયે ડીએનએ પરીક્ષ પુરું કરી લેશે. ત્યારબાદ મૃતકોના પરિવારનો મૃતદેહો સોંપવામાં આવશે.

Ahmedabad plane crash Live : પીએમ મોદીએ પ્લેન ક્રેશ ઘટના સ્થળની મુલાકાત લીધી, તસવીરો

પીએમ મોદીએ આજે ​​એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું

Ahmedabad plane crash Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રેશ સાઈટ પર પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધા બાદ વિમાન ક્રેશ ઘટના સ્થળ પર પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી.

Ahmedabad plane crash Live : પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રવાના થયા

AI-171 વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા બાદ પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રવાના થયા

Ahmedabad plane crash Live : પ્લેન ક્રેશ બાદ બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચ્યા

પ્લેન ક્રેશ બાદ બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચ્યા

Ahmedabad Plane Crash : નિવૃત્તિ પહેલા જ પાઈલટે દુનિયા છોડી, જાણો એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં જીવન ગુમાવનાર ક્રૂ મેમ્બર્સ વિશે

Ahmedabad Air India Plane Crash crew members : અમદાવાદમાં એર ઇન્ડિયા ડ્રીમલાઇનર ક્રેશ થયું ત્યારે જીવ ગુમાવનારા 12 સભ્યોના ક્રૂ મેમ્બર્સમાં સામેલ હતા. ચાલો તેમના વિશે જાણીએ. …વધુ વાંચો

Ahmedabad plane crash Live : પીએમ મોદી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા છે. જ્યાં બચી ગયેલા મુસાફરના ખબર અંતર પૂછ્યા.

Air India Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોના પરિજનોને વિમા કંપની કેટલું વળતર આપશે?

Ahmedabad plane crash compensation : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોન્ટ્રીયલ કન્વેન્શન સંધિ અનુસાર એર ઇન્ડિયાએ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોને લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. …સંપૂર્ણ માહિતી

Ahmedabad plane crash Live : ક્રેશ સાઈટ પર પશુ પક્ષીઓ પણ બળીને ખાખ થયા

અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા જણાવ્યું હતું કે એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ભરેલા ઇંધણનું તાપમાન એટલું વધારે હતું કે સ્થળ પર રહેલા કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા નહીં.

Ahmedabad plane crash Live : ક્રેશ સાઇટ પર કાટમાળ સાફ કરવાની કામગીરી છેલ્લા તબક્કામાં

એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા જણાવ્યું હતું કે, ક્રેશ સાઇટ પર આખી રાત ચાલેલી કાટમાળ સાફ કરવાની કામગીરી તેના છેલ્લા તબક્કામાં છે.

Ahmedabad plane crash Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા અસારવા સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયા છે.

Ahmedabad plane crash Live : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પીએમ મોદીને લેવા એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે. આજે તેઓ 8.30 વાગ્યે અમદાવા એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેવા એરપોર્ટ પહોંચ્યા છે.

Ahmedabad plane crash Live : અસારવા સિવિલ હોસ્પિટલના PM રૂમમાં પ્લેનક્રેશ મૃતકોની લાશોના ઢગલા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. તમામ મૃતકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂપમમાં મૃતકોની લાશોના ઢગલાના દ્રશ્યો સર્જાયા છે.

Ahmedabad plane crash Live : પીએમ મોદીના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 8.30 વાગ્યે અમદવાાદ આવી પહોંચશે. જેના પગલે પોલીસ દ્વારા આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પીએમ મોદી અસારવા સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લેશે.

Ahmedabad plane crash Live : વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. તેઓ પત્ની અને પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમના પત્ની અંજલી રૂપાણી લંડનથી આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અને તેઓ રાજકોટ જવા માટે રવાના થયા છે.

Ahmedabad plane crash Live :એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા

એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ કેમ્પબેલ વિલ્સન અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ મહાસચિવ (સંગઠન) રત્નાકર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Ahmedabad plane crash Live : AAIB એ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પુષ્ટિ આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટના જીવલેણ અકસ્માતની એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં 241 લોકો માર્યા ગયા હતા.

Ahmedabad plane crash Live : NDRF એ મૃતદેહો બહાર કાઢ્યા

અમદાવાદમાં કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF એ ટીમોની સંખ્યા વધારીને સાત કરી છે. NDRF ના ઇન્સ્પેક્ટર વિનય કુમારે જણાવ્યું હતું કે સ્પેશિયલ ફોર્સે અત્યાર સુધીમાં 81 મૃતદેહો બહાર કાઢ્યા છે અને કટોકટીનો સામનો કરવા માટે સાત ટીમો તૈનાત કરી છે.

Ahmedabad plane crash Live : DNA ટેસ્ટ માટે સેમ્પલ આપવા સ્વજનોની લાઈનો

મળતી માહિતી પ્રમાણે પ્લેન ક્રેશમાં મુસાફરોના મૃતદેહ ઓળખવા મુશ્કેલ છે. તેથી ડીએનએ ટેસ્ટ કર્યા બાદ ઓળખ થશે. જેની કામગીરી આજે શુક્રવાર સવારથી શરુ થઈ ગઈ છે. ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપવા સ્વજનોની સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી છે.

Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ કરશે અમેરિકા, NTSB મોકલશે નિષ્ણાંતોની ટીમ

અમેરિકાની એક સ્વતંત્ર સરકારી એજન્સી, રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (NTSB), પરિવહન દુર્ઘટનાઓની તપાસ કરે છે. NTSB એ કહ્યું કે જ્યાં તે ગુજરાતમાં થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ માટે અમેરિકાથી નિષ્ણાંતોની એક ટીમ મોકલશે. અને આ તપાસનું નેતૃત્વ કરશે. આ ટીમ દુર્ઘટનાના કારણો સમજવામાં મદદ કરશે.

Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોત, એર ઈન્ડિયાની પુષ્ટી

અમવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. પ્લેન ક્રેશ બાદ સમગ્ર ઘટનામાં હાહાકાર મચી ગયો હતો. એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

Ahmedabad plane crash Live : આજે સવારે પીએમ મોદી અમદાવાદ આવશે

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદ રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ આવશે અને સ્થળ મુલાકાત લેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ