/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/ahmedabad-Iskcon-bridge-accident.jpg)
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત (ફોટો - એક્સપ્રેસ)
ahmedabad Iskcon bridge accident : અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવર પર ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઘાયલ થયા છે. ગુજરાત પોલીસે તેને "હિટ-એન્ડ-રન" તરીકે વર્ણવ્યું હતું, જેમાં "જગુઆર" લક્ઝરી કાર સામેલ હતી.
“અત્યાર સુધી નવ લોકોના મોત નીપજ્યા છે અને 13 લોકો ઘાયલ થયા છે, આ અકસ્માત સવારે 1 વાગ્યે થયો હતો. શહેર પોલીસ કંટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે જગુઆર કારને કારણે અથડામણ થઈ હતી.
9 dead, 13 injured in a major accident involving multiple vehicles at ISKCON flyover in Ahmedabad pic.twitter.com/uPlCbnm9nP
— The Indian Express (@IndianExpress) July 20, 2023
#Ahmedabad | Nine people have died and 13 others injured in an accident that occurred on a flyover near ISKCON temple on Sarkhej-Gandhinagar (SG) Highway
Read more: https://t.co/p3xhv4vd13pic.twitter.com/KyOUYGJqJV— The Indian Express (@IndianExpress) July 20, 2023
અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. એક મૃતકનાા પિતા સતત ડોક્ટરને કહેતા રહ્યા મારા દીકરાને બચાવી લો, હજુ તેનામાં જીવ હશે, તેને વેન્ટીલેટર પર લો, પંપીંગ કરો. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા.
આ અકસ્માતમાં કોઈએ દીકરો તો કોઈએ ભાઈ ગુમાવતા દરેક મૃતક પરિવારના આંખમાં આંસુઓની નદીઓ વહી રહી હતી. હોસ્પિટલ તંત્ર અને પોલીસ પીડિત પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી તેમને હિમ્મત આપી રહી છે.
હોસ્પિટલમાં લાવવામાં આવેલા કુલ 12 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે ANIને જણાવ્યું કે, ઘાયલોની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વહેલી સવારે 1.30 કલાકે અકસ્માત પીડિતોને સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી 8 લોકોના પહેલાથી મોત થઈ ચુક્યા હતા, જ્યારે એકે સારવાર દરમિયાન પ્રાણ રોકી દીધા હતા. ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મેડિકલ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, મૃતકોમાં ત્રણ ચાર યુવકો 18 થી 23 વર્ષના હતા, જ્યારે અન્ય 25થી 40ની ઉંમરના હતા. જેમાં 2 પોલીસકર્મી પણ સામેલ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/image-67.png)
UPDATE: VIDEO | "The driver is undergoing treatment at the hospital and is under our supervision. We will arrest him after a discussion with the doctor," says DCP Traffic West Nita Desai. pic.twitter.com/iPWMhTNTnb
— Press Trust of India (@PTI_News) July 20, 2023
પોલીસે જણાવ્યું કે, કારનો ડ્રાઈવર - સત્ય પટેલ - જે ઈજાગ્રસ્તોમાંનો એક છે, તે નિરીક્ષણ હેઠળ છે. ANI દ્વારા ટાંકવામાં આવેલા DCP ટ્રાફિક પશ્ચિમ નીતા દેસાઈના જણાવ્યા અનુસાર ડૉક્ટર સાથે વાત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
#WATCH | 9 people including two policemen have died in the accident. No one is admitted here, said Kripa Patel, Medical Officer, Sola Civil Hospital, Ahmedabad pic.twitter.com/WYQaKOWSS6
— ANI (@ANI) July 20, 2023
ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને પોલીસે હંગામી ધોરણે બંધ કરી દીધો છે.
The accident that happened last night at ISKCON Bridge in Ahmedabad is very sad. I express my heartfelt condolences. The state government has given Rs 4 lakh each to the families of the deceased and Rs 50,000 to the injured, tweets Gujarat CM Bhupendra Patel pic.twitter.com/JVrNS0YDnJ
— ANI (@ANI) July 20, 2023
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us